ઢાકાની રાજધાની બદલવાની માંગે જોર પકડ્યું, મૂળભૂત સુવિધાઓનો અભાવ મુખ્ય કારણ

બાંગ્લાદેશમાં રાજધાની ઢાકા બદલવાની માંગ જોર પકડી રહી છે. આનું મુખ્ય કારણ શહેરમાં મૂળભૂત સુવિધાઓનો ભારે અભાવ છે. ૩૦૬ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ શહેરમાં એક કરોડથી વધુ લોકો રહે છે, જેમાંથી ૮૦ ટકાથી વધુ વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. ઢાકા નદીના કિનારે આવેલું છે, પરંતુ મોટી સંખ્યામાં લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. બિનઆયોજિત શહેરીકરણે પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી છે. કેટલાક પસંદગીના વિસ્તારોને બાદ કરતાં, આખું શહેર આડેધડ વિકાસથી ઝઝૂમી રહ્યું છે. ધૂળ, તૂટેલા રસ્તા, અસ્તવ્યસ્ત ટ્રાફિક, નબળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને મૂળભૂત સુવિધાઓના અભાવે અહીંના રહેવાસીઓનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ઢાકા હવે રહેવા યોગ્ય સ્થળ રહ્યું નથી!:- ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, હવે સ્થાનિક લોકો પણ આ શહેરને રહેવા માટે યોગ્ય માનતા…

ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારતની વસ્તીમાં મોટા ઘટાડાનું અનુમાન રજુ કર્યુ, નાઇઝીરીયા બનશે વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

અબજોપતિ ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારત અને ચીનની વસ્તીમાં અંદાજિત ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મસ્કના X હેન્ડલ પરથી ગ્રાફની તસવીર પોસ્ટ કરવામાં આવી છે, જે વિશ્વના મુખ્ય દેશોની વસ્તીમાં સંભવિત ફેરફાર દર્શાવે છે. મસ્કે તેને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આ અનુમાન મુજબ, 2100 સુધીમાં, ભારતની વસ્તી ઘટીને 110 કરોડ થઇ જવાનું અનુમાન છે. આ અંદાજે રૂ. 40 કરોડનો ઘટાડો દર્શાવે છે.. હાલમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારતની વસ્તીમાં આ ઘટાડો ચિંતાજનક હોઈ શકે છે.ચીનની વસ્તીમાં પણ ધરખમ ઘટાડો થવાનો અંદાજ છે. 2100 સુધીમાં, ચીનની વસ્તી ઘટીને 74 કરોડ થઇ જશે , આ વસ્તીમાં મોટો ઘટાડો સૂચવે છે, જે દેશના સામાજિક અને આર્થિક માળખાને અસર કરી શકે છે.…