ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારતની વસ્તીમાં મોટા ઘટાડાનું અનુમાન રજુ કર્યુ, નાઇઝીરીયા બનશે વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

અબજોપતિ ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારત અને ચીનની વસ્તીમાં અંદાજિત ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મસ્કના X હેન્ડલ પરથી ગ્રાફની તસવીર પોસ્ટ કરવામાં આવી છે, જે વિશ્વના મુખ્ય દેશોની વસ્તીમાં સંભવિત ફેરફાર દર્શાવે છે. મસ્કે તેને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આ અનુમાન મુજબ, 2100 સુધીમાં, ભારતની વસ્તી ઘટીને 110 કરોડ થઇ જવાનું અનુમાન છે. આ અંદાજે રૂ. 40 કરોડનો ઘટાડો દર્શાવે છે.. હાલમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારતની વસ્તીમાં આ ઘટાડો ચિંતાજનક હોઈ શકે છે.ચીનની વસ્તીમાં પણ ધરખમ ઘટાડો થવાનો અંદાજ છે. 2100 સુધીમાં, ચીનની વસ્તી ઘટીને 74 કરોડ થઇ જશે , આ વસ્તીમાં મોટો ઘટાડો સૂચવે છે, જે દેશના સામાજિક અને આર્થિક માળખાને અસર કરી શકે છે.

-> નાઇજીરીયા બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે :- સદીના અંત સુધીમાં, નાઇજીરીયાની વસ્તી 790.1 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે, જે તેને વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનાવશે. તો બીજી તરફ અમેરિકા વિશ્વનો ચોથો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે, જ્યારે ઇન્ડોનેશિયા અને પાકિસ્તાનમાં વસ્તીમાં થોડો ઘટાડો જોવા મળશે. આ અનુમાન અનુસાર કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વસ્તીનું પ્રમાણ સ્થિર રહેશે.

-> વસ્તીમાં ઘટાડાનું કારણ બનેલા પરિબળો :

-પ્રજનન દરમાં ઘટાડોઃ વિકસિત દેશોમાં પ્રજનન દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જે વસ્તીમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે.
-સ્થળાંતર: લોકો વધુ સારી તકોની શોધમાં એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરી રહ્યા છે, જેના કારણે વસ્તી અસંતુલન થાય છે.
-વૃદ્ધ વસ્તી: ઘણા દેશોમાં, યુવાનોની વસ્તીનો અભાવ અને વૃદ્ધ લોકોની વધતી સંખ્યા વસ્તીના ઘટાડાને વેગ આપી રહી છે.

-> નિષ્ણાતોના અભિપ્રાય :- વોશિંગ્ટન યુનિવર્સિટીના શિક્ષણવિદો દ્વારા 2020ના અભ્યાસ મુજબ, વસ્તીમાં ઘટાડો અગાઉના વિચાર કરતાં વધુ ઝડપથી થઈ શકે છે, ખાસ કરીને ચીન અને ભારતમાં. આ ઘટાડો વૈશ્વિક સ્તરે આર્થિક અને સામાજિક પડકારો લાવી શકે છે.

Related Posts

Junagadh માં મેઘરાજાની મહેર: ગિરનાર પર ધોધમાર વરસાદ, 2 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ Girnar Magic

Junagadhમાં મેઘરાજાની મહેર: ગિરનાર પંથકમાં ધોધમાર વરસાદ, બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ Junagadh : લાંબા વિરામ બાદ Junagadhશહેર અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રવિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને ગિરનાર પંથકમાં વરસાદે જોર પકડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. Junagadh બપોર બાદ શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે, જૂનાગઢમાં બપોર બાદ થોડા જ સમયમાં વરસાદે ભારે સ્વરૂપ ધારણ કર્યું હતું. આશરે બે કલાકના સમયગાળામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો છે. બીજી…

રાજકોટના પારેવડી ચોકમાં ગમખ્વાર અકસ્માત: DJનો બેકાબૂ ટ્રક અનેક લોકોને અડફેટે લેતા એકનું મોત, DJ Peril 2026

રાજકોટના પારેવડી ચોકમાં ગમખ્વાર અકસ્માત: DJનો બેકાબૂ ટ્રક અનેક લોકોને અડફેટે લેતા એકનું મોત, અનેક ઘાયલ રાજકોટ શહેરના પારેવડી ચોક વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ DJનો ટ્રક અચાનક બેકાબૂ બન્યો હતો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા અનેક લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ઈમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે પારેવડી ચોક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. -> પારેવડી ચોકમાં અચાનક બેકાબૂ બન્યો DJનો ટ્રક : મળતી પ્રાથમિક માહિતી અનુસાર, રાજકોટના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *