સલમાન ખાનના જન્મદિવસે ચાહકોને આંચકો, મનમોહન સિંહના નિધન બાદ સિકંદરના નિર્માતાએ લીધો મોટો નિર્ણય

દેશની અર્થવ્યવસ્થાને સુધારનાર દિગ્ગજ રાજનેતા મનમોહન સિંહ હવે નથી રહ્યા. 26 ડિસેમ્બરની રાત્રે 92 વર્ષીય મનમોહન સિંહે એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે થશે. આ સમાચારથી આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ રાજનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન સિકંદરના નિર્માતાએ એક મોટી જાહેરાત કરીને સલમાન ખાનના ચાહકોને ચોંકાવી દીધા છે.આજે સલમાન ખાનનો 59મો જન્મદિવસ છે. તેની આગામી ફિલ્મ સિકંદરના નિર્માતા અભિનેતાને તેના જન્મદિવસ પર મોટી ભેટ આપવાના હતા, પરંતુ મનમોહન સિંહના નિધનને કારણે તેઓએ મોટો નિર્ણય લીધો છે. ખરેખર, 27 ડિસેમ્બરે રિલીઝ થનારી સિકંદરનું ટીઝર મોકૂફ રાખવામાં આવ્યું છે. હવે તે નવી તારીખે રિલીઝ થશે. -> સિકંદરનું ટીઝર રિલીઝ મોકૂફ :- સિકંદરના નિર્માતા સાજિદ નડિયાદવાલાના…