હવે ચાહકો જેહ-તૈમૂરની ઝલક જોઈ શકશે નહીં!: હુમલા બાદ સૈફ-કરીનાએ બાળકો માટે કડક પગલાં લીધાં, જાણો
અભિનેતા સૈફ અલી ખાન પર તાજેતરમાં હુમલો થયો હતો. ૧૬ જાન્યુઆરીના રોજ, એક અજાણ્યો માણસ ચોરીના પ્રયાસમાં તેના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસી ગયો અને ઝપાઝપી દરમિયાન તેણે અભિનેતા પર અનેક વાર ચાકુ માર્યું. આ ઘટનામાં સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, 5 દિવસ સુધી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ અભિનેતાને રજા આપવામાં આવી છે અને તે ઘરે પરત ફર્યા છે. હુમલાની ગંભીરતાને જોઈને હવે સૈફ અને તેની પત્ની કરીના કપૂરે તેમના પરિવાર માટે કડક પગલાં લીધાં છે. તેણે નક્કી કર્યું કે તે પોતાના બાળકોને પાપારાઝીથી દૂર રાખશે. -> પાપારાઝીને બાળકોના ફોટા લેવાની મનાઈ હતી :- ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સૈફ અને કરીનાએ આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી તેમના બાળકો અને પરિવારની…







