મને દિલ્હીની સેવા કરવાનો મોકો આપો, ખાતરી આપુ છું કે વિકાસમાં કોઇ કસર નહીં છોડુઃ વડાપ્રધાન મોદી
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના દ્વારકામાં એક રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે દિલ્હીની જનતાએ નક્કી કરી લીધું છે કે તેમણે AAP-DAના લોકોને ભગાડવાના છે અને આ વખતે તેમને પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવવી છે. તેમણે કહ્યું કે દિલ્હીને સંકલનવાળી સરકારની જરૂર છે, ભ્રમણાની નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીમાં કહ્યું હતું કે, હું જ્યારે પણ દ્વારકા આવું છું ત્યારે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી યાદ આવે તે સ્વાભાવિક છે. હું ભાગ્યશાળી છું કે મને ગુજરાતમાં દ્વારકાની સેવા કરવાની તક મળી. ભાજપ દિલ્હીને કેટલી હદે આધુનિક બનાવવા માંગે છે તે દ્વારકામાં જોઈ શકાય છે. કેન્દ્ર સરકારે અહીં ભવ્ય યશોભૂમિનું નિર્માણ કર્યું…







