‘સારા સંબંધો બન્ને દેશોના હિતમાં છે’. ભારત સાથેના રિલેશનને લઇને બોલ્યા બાંગ્લાદેશના આર્મી ચીફ
બાંગ્લાદેશ આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને દેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવા અપીલ કરી છે. તેમણે રાષ્ટ્રીય સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે સ્થિરતા અને વિકાસને પ્રોત્સાહન આપી શકે. એક ઈન્ટરવ્યુમાં તેમણે દેશની વર્તમાન સ્થિતિ અને પડોશી દેશો સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન, તેમણે મોહમ્મદ યુનુસના વચગાળાના વહીવટની પોલીસિંગ નિષ્ફળતાઓ પર ચિંતા વ્યક્ત કરી અને દેશમાં શાંતિ, સુશાસન અને વિકાસ માટે રાજકીય પક્ષોની સક્રિય ભૂમિકાની જરૂરિયાત પર ભાર મૂક્યો. જનરલ વકારે કહ્યું કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા અને સામાજિક વિકાસ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી છે. તેમણે કહ્યું, “શાંતિ અને સ્થિરતા વિના વિકાસ અને સુશાસન શક્ય નથી. આપણે પરસ્પર સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવું પડશે અને સમાધાન તરફ પગલાં ભરીને રાષ્ટ્રીય સર્વસંમતિનું વાતાવરણ બનાવવું પડશે.” ભારત સાથેના સંબંધો પર…







