કેનેડાના ઇમિગ્રેશન ફેરફારોથી ભારતીયો પર ડબલ અસર, H-1B ધારકો માટે નવા દરવાજા ખૂલ્યા
કેનેડાએ પોતાની ઇમિગ્રેશન નીતિમાં દાયકા પછીનો સૌથી મોટો ફેરફાર જાહેર કર્યો છે જેના સીધા પ્રભાવ ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર પડશે. સરકારના નવા નિર્ણય મુજબ 2026થી વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશમાં 25 થી 32 ટકા સુધી ઘટાડો કરવામાં આવશે. એટલે કે, સ્ટડી પરમિટની સંખ્યા 2026માં 1.55 લાખ અને 2027-28માં 1.50 લાખ સુધી મર્યાદિત રહેશે હાલની સંખ્યાથી લગભગ અડધું. ભારતીય વિદ્યાર્થીઓ પર અસર: ભારતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ કનેડાની યુનિવર્સિટીઝમાં પ્રવેશ લે છે. નવી મર્યાદાઓને કારણે સ્ટડી વિઝા મેળવવામાં સ્પર્ધા વધશે અને ઘણા વિદ્યાર્થીઓને વિકલ્પરૂપે અન્ય દેશોમાં જોબ કે અભ્યાસની તક શોધવી પડશે. H-1B ધારકો માટે ખુશખબર: બીજી તરફ, કનેડા સરકારે H-1B વિઝા ધારકો અને આંતરરાષ્ટ્રીય સંશોધકો માટે નવી “ફાસ્ટ એન્ટ્રી રૂટ” યોજના જાહેર કરી છે. આ યોજનાથી અમેરિકા…







