કેનેડિયન પીએમ માર્ક કાર્ની ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે, બે વર્ષના રાજદ્વારી તણાવ બાદ સુધારાના સંકેતો

લગભગ બે વર્ષ સુધી ચાલેલા રાજદ્વારી તણાવ પછી હવે ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં સુધારાના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે તેવી તૈયારીઓ ચાલી રહી છે. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધો માટે એક મહત્વપૂર્ણ “રીસેટ મોમેન્ટ” તરીકે જોવામાં આવી રહી છે. આ મુલાકાત એવા સમયમાં યોજાવાની છે જ્યારે અમેરિકાની કડક ટેરિફ નીતિઓને કારણે વૈશ્વિક વેપારમાં અસ્થિરતા સર્જાઈ છે અને ભારત તથા કેનેડા બંને દેશો નવા વેપારી ભાગીદારોની શોધમાં છે. CEPA પર ફરીથી ચર્ચાની તૈયારી માર્ક કાર્નીની ભારત મુલાકાત માત્ર ઔપચારિક રાજદ્વારી કાર્યક્રમ નથી, પરંતુ તેનો મુખ્ય હેતુ ભારત-કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર વાટાઘાટો ફરી શરૂ કરવાનો છે. આ કરાર દ્વારા 2030 સુધી દ્વિપક્ષીય…

કેનેડાના ઇમિગ્રેશન ફેરફારોથી ભારતીયો પર ડબલ અસર, H-1B ધારકો માટે નવા દરવાજા ખૂલ્યા

કેનેડાએ પોતાની ઇમિગ્રેશન નીતિમાં દાયકા પછીનો સૌથી મોટો ફેરફાર જાહેર કર્યો છે જેના સીધા પ્રભાવ ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર પડશે. સરકારના નવા નિર્ણય મુજબ 2026થી વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશમાં 25 થી 32 ટકા સુધી ઘટાડો કરવામાં આવશે. એટલે કે, સ્ટડી પરમિટની સંખ્યા 2026માં 1.55 લાખ અને 2027-28માં 1.50 લાખ સુધી મર્યાદિત રહેશે હાલની સંખ્યાથી લગભગ અડધું. ભારતીય વિદ્યાર્થીઓ પર અસર: ભારતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ કનેડાની યુનિવર્સિટીઝમાં પ્રવેશ લે છે. નવી મર્યાદાઓને કારણે સ્ટડી વિઝા મેળવવામાં સ્પર્ધા વધશે અને ઘણા વિદ્યાર્થીઓને વિકલ્પરૂપે અન્ય દેશોમાં જોબ કે અભ્યાસની તક શોધવી પડશે. H-1B ધારકો માટે ખુશખબર: બીજી તરફ, કનેડા સરકારે H-1B વિઝા ધારકો અને આંતરરાષ્ટ્રીય સંશોધકો માટે નવી “ફાસ્ટ એન્ટ્રી રૂટ” યોજના જાહેર કરી છે. આ યોજનાથી અમેરિકા…