સોમનાથ ખાતે મહાશિવરાત્રીએ ભક્તિ-સેવાનો સુભગ સંયોગ; CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ₹1.08 કરોડનો ચેક અર્પણ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનાં પુનરુત્થાન સમા સોમનાથ સ્વાભિમાન પર્વની તાજેતરની ભવ્ય ઉજવણી પછીની પ્રથમ મહાશિવરાત્રીએ ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ રચાયો હતો. દેશના અસ્તિત્વ અને ગૌરવનું પર્વ તથા આપણી હજાર વર્ષની યાત્રાનો ઉત્સવ સોમનાથ સ્વાભિમાન પર્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. આ પર્વમાં દેશભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો સહભાગી થયા હતા. એટલું જ નહિ, દેશના ખૂણે-ખૂણેથી વિશેષ ટ્રેન અને બસો મારફતે પણ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા. સૌ યાત્રિકોને રેલ્વે સ્ટેશનથી લઈને મંદિર સુધી પહોંચવાની તમામ વ્યવસ્થાઓ તથા ભોજન પ્રસાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉદારતાથી કરવામાં આવી હતી. 1951માં સોમનાથ મંદિરનું પુન: નિર્માણ થયું ત્યારે નવનિર્મિત સોમનાથ મંદિર સામે ભક્તોને ભોજન પ્રસાદ પિરસવાનો પડકાર હતો. સોમનાથ સ્વાભિમાન પર્વ સાથે સોમનાથ મંદિરના પુન:…
કીર્તિ પટેલનો “સ્નાનકાંડ”..! | GUJARAT | GUJARATI NEWS BULETIN
વિવાદાસ્પદ કીર્તિ પટેલનો વધુ એક કાંડ ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં લગાવી ડૂબકી જૂનાગઢના મૃગીકુંડમાં કીર્તિ પટેલની ડૂબકીથી વિવાદ મૃગીકુંડ કોઈ સ્વિમિંગ પૂલ નથી, આસ્થા અને પરંપરાનું કેન્દ્ર સાધુ-સંતોની પરંપરા તોડનાર સામે કાર્યવાહીની માંગ સોશિયલ મીડિયા ફેમ માટે આસ્થા સાથે ખેલ? કીર્તિ પટેલના કાંડથી સાધુ સમાજમાં રોષ મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાન બાદ સાધુ સંતોમાં નારાજગી કીર્તિ પટેલ આવા નાટક નાટક કરતી હોય છે : ડૉ.જ્યોર્તિનાથ કીર્તિ પટેલે સનાતન ધર્મ અને સંતોનું અપમાન કર્યું : ડૉ.જ્યોર્તિનાથ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
મૃગી કુંડમાં સ્નાન મુદ્દે કિર્તી પટેલનો વિવાદ: સાધુ-સંતોમાં રોષ, તંત્રની દખલ
જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગી કુંડમાં સ્નાન કરવા આવેલા વિવાદિત નામ કિર્તી પટેલને લઈ સાધુ-સંતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સાધુઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કયા અખાડાએ કિર્તી પટેલને પવિત્ર મૃગી કુંડમાં સ્નાન માટે આમંત્રણ આપ્યું? તેમનો આક્ષેપ છે કે કિર્તી પટેલ લાંબા સમય સુધી કુંડમાં સ્નાન કરતી રહી અને રવેડીમાં પણ ફરી હતી. વિરોધ વધતા તંત્રએ કિર્તી પટેલને સ્થળ પરથી દૂર કરી હતી. “શું હું સનાતની નથી?” – કિર્તી પટેલનો પ્રતિકાર સાધુ-સંતોના વિરોધ વચ્ચે કિર્તી પટેલે પ્રશ્ન ઉઠાવ્યો કે, “શું હું સનાતની નથી?” મૃગી કુંડમાં સ્નાન બાદ કિર્તી પટેલ દ્વારા રૂઆબભર્યું વર્તન કરાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સાધુઓએ નફ્ફટાઇભર્યા વર્તનની ફરિયાદ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં કિર્તી પટેલે ટીઆરપી માટે…
Junagadh : CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા મહાશિવરાત્રીના મેળામાં, શ્રદ્ધાભાવ સાથે કરી પૂજા અર્ચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રી ની સાથે ઉર્જા રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન – પૂજામાં જોડાયા હતાં. મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું. સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રી એ સાધુ સંતો સાથે મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની પણ અનુભૂતિ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધુણાના પણ દર્શન કર્યા હતા ત્યારબાદ મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. સાધુ સંતો સાથે મુલાકાત કરી મુખ્યમંત્રીએ આસ્થાના…
મહાશિવરાત્રી પર વિશેષ યોગ | GUJARAT | GUJARATI NEWS BULETIN
મહાશિવરાત્રીનો પાવન પર્વ ભગવાન શિવની કૃપા દરેક પર વરસે મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી ભગવાન શિવની કૃપા મેળવા માટે શુભ અવસર શિવના આશીર્વાદથી ખુલશે કિસ્મતના બંધ દરવાજા ભોળેનાથની કૃપા સૌના પર વરસે મહાશિવરાત્રી પર વિશેષ ગ્રહયોગનો અનોખો લાભ મહાશિવરાત્રી નિમિત્તે રાત્રિ જાગરણ અને પૂજાનો મહિમા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવનાર પર્વ ભોળેનાથની કૃપાથી દરેકના દુઃખ દૂર થાય ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં નવી ઉર્જાનો થાય છે સંચાર Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
Live Coverage : અમે લાઇવ છીએ ભવનાથ મેળાની દરેક પળ તમારા સુધી પહોંચાડવા
પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં ભવ્ય ભવનાથ મેળો! મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તોની ઉમટી પડી ભીડ નાગા બાવાઓની શોભાયાત્રા અને આધ્યાત્મિક રંગતનું અનોખું દર્શન હર હર મહાદેવના જયઘોષ સાથે ગૂંજી રહ્યો છે સમગ્ર વિસ્તાર દેશભરમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓનો સંગમ લોકસંસ્કૃતિ, ભજન-કીર્તન અને ધાર્મિક વિધિઓનો મહોત્સવ સુરક્ષા અને વ્યવસ્થાના કડક બંદોબસ્ત વચ્ચે ઉત્સાહનો માહોલ અમે લાઇવ છીએ ભવનાથ મેળાની દરેક પળ તમારા સુધી પહોંચાડવા જોડાયેલા રહો અને અનુભવો આ અદભૂત આધ્યાત્મિક ઉત્સવનું જીવંત દર્શન! Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાનો ચોથો દિવસ, ભવનાથમાં 4 લાખથી વધુ ભક્તોની ભીડ
જૂનાગઢ ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રીના ભવ્ય મેળાનો આજે ચોથો દિવસ છે. ભવનાથ મંદિર ખાતે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી પુણ્યનો લાભ લીધો છે. ‘મિની કુંભ’ તરીકે ઓળખાતા આ મેળામાં જીવ અને શિવના મિલનનો અનોખો આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિરમાં અવિરત ભક્તોનો ધસારો યથાવત છે. ગર્ભગૃહમાં બિલીપત્રથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે. 1,000 બસોનું સંચાલન: યાત્રિકો માટે વિશેષ આયોજન મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે યોજાયેલા આ વિશાળ મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે Gujarat State Road Transport Corporation (એસ.ટી. નિગમ) દ્વારા…
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન
જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને “બોલ બમ”ના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો. 10થી 12 લાખ લોકો માટે આયોજન આ વર્ષે મેળામાં અંદાજે 10થી 12 લાખ શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવા અંદાજ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ વ્યવસ્થાઓની સમીક્ષા કરીને સુરક્ષા અને સુવિધાઓ અંગે ખાસ માર્ગદર્શન આપ્યું છે. ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા મેળાની શરૂઆત સાથે જ શહેરમાં ભારે વાહનવ્યવહાર નોંધાયો હતો. બે કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ સઘન બનાવવામાં આવ્યું હતું.…
એસ.ટી. નિગમ દ્વારા ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એક્સ્ટ્રા 195 બસમાં 7800થી વધુ ટ્રીપોનું સંચાલન કરાશે, જાણો વિગત
આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે 2.91 લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાને રાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે 195 જેટલી વધુ બસમાં 7800થી વધુ ટ્રીપો દ્વારા 3.70 લાખ જેટલા મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મહાશિવરાત્રી મેળાને ‘મિનિ કુંભ મેળા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક બનવાનો છે ત્યારે લાખઓની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથના દર્શનાર્થે આવશે. શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે કુલ 195 વધારાની બસો દોડાવવામાં આવશે. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે દૈનિક…
મહાશિવરાત્રિની થશે સોમનાથમાં ઉજવણી, આજે CM ભૂપેન્દ્ર પટેલ મહોત્સવનો કરાવશે પ્રારંભ
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’નો પ્રારંભ થશે. જેનો આજે CM ભૂપેન્દ્ર પટેલ મહોત્સવનો પ્રારંભ કરાવશે. તેમજ આ પ્રોગામમાં પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ સન્માનિત જોડાશે. -> વિવિધ કાર્યક્રમનું આયોજન :- 24 થી 26 ફેબ્રુઆરી સુધી કલા દ્વારા આ આરાધનાનો અલૌકિક ઉત્સવ ઉજવવામાં આવશે. ત્રિવેણી ઘાટે દરરોજ સાંજે સંગમ આરતી, વાઘમ-નાદસ્ય યાત્રા ઉપર પ્રદર્શન પણ યોજાશે. તેમજ રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવ મનાવવામાં આવશે. -> વિશેષ બસ દોડશે :- આ ત્રિ-દિવસીય મહોત્સવ દરમ્યાન ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ દ્રારા યાત્રિકોને વેરાવળ બસ સ્ટેશનથી સોમનાથ મહાશીવરાત્રી મહોત્સવ સ્થળ (સમુદ્ર દર્શન પથ પાસેનું મેદાન) સુધી જવા તેમજ પરત આવવા…
















