અમારી પાસે ડ્રગ માફીયાઓના ઘરો પર બુલડોઝર ચલાવવાની હિંમત છેઃ કેજરીવાલ
ભગવંત માન પંજાબના પહેલા મુખ્યમંત્રી છે જે જનતાને માઈક આપી રહ્યા છે અને તેમને પ્રશ્નો પૂછવા માટે કહી રહ્યા છે. આનું કારણ એ છે કે પંજાબમાં એક પ્રામાણિક સરકાર છે. ડ્રગ્સ સામે યુદ્ધ છેડાયું છે. તેમણે કહ્યું, “ઘણા લોકો મને કહી રહ્યા છે કે છેલ્લા 20 દિવસમાં પંજાબમાં એક ચમત્કાર થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર અને ડ્રગ્સના દુરુપયોગ સામે ઘણા કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ફક્ત ટ્રેલર છે, પિકચર હજુ આવવાનું બાકી છે. પંજાબને રંગલા પંજાબ બનાવવા માટે મોટા પગલાં લેવામાં આવશે. મફત વીજળી વિશે કેજરીવાલે શું કહ્યું? :- મફત વીજળીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “દેશમાં ફક્ત બે રાજ્યોમાં વીજળી મફત છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી. પંજાબમાં અમારી સરકાર છે. આ લોકો પૂછતા હતા…







