સુરેન્દ્રનગરમાં પોલીસ પર છરીથી હુમલો કરતા સ્વબચાવમાં PSIએ આરોપીના પગમાં મારી ગોળી
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કાર્યવાહી દરમિયાન ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મારામારીના એક કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કરતા PSIએ સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી. મળતી માહિતી મુજબ, દેવરાજ બોરાણા નામના આરોપીને પોલીસ દ્વારા મારામારીના કેસમાં પકડવામાં આવ્યો હતો. બાદમાં શિયાણી ગામે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે પોલીસ આરોપીને સાથે લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીએ અચાનક છરી કાઢીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. પોલીસકર્મી ઈજાગ્રસ્ત આરોપીના હુમલામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ફરજ પર હાજર PSIએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. આરોપી સારવાર હેઠળ, તપાસ ચાલુ ઘટના બાદ આરોપી દેવરાજ બોરાણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે…
ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં પોલીસ સાથે અથડામણ દરમ્યાન 6 આતંકવાદીઓ ઠાર
ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શુક્રવારે પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા છ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઘટના લક્કી મારવત જિલ્લામાં બની હતી, જ્યાં આતંકવાદીઓએ પોલીસ પર ભારે હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સ્નાઈપર રાઈફલ્સ અને ક્વોડકોપ્ટર ડ્રોનથી સજ્જ હતા અને તેમણે પોલીસ તેમજ સ્થાનિક ગ્રામજનોના ઘરોને નિશાન બનાવ્યા હતા. બન્નુ પ્રાદેશિક પોલીસ કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં નાગરિક જાનહાનિ પણ થઈ છે. નિવેદન મુજબ, સેરાઈ નૌરંગ શહેર નજીક આવેલા શહીદ અસમાતુલ્લાહ ખાન ખટ્ટક પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. હુમલા બાદ પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો. આતંકવાદ વિરોધી વિભાગ (CTD)ના કમાન્ડો અને સશસ્ત્ર સ્થાનિક લોકોએ પોલીસને જવાબી કાર્યવાહીમાં મદદ કરી…
દાહોદ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા PI અને PSIની મોટા પાયે કરાઈ આંતરિક બદલી
દાહોદ જિલ્લા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ અચાનક બદલીના હુકમો કર્યા, જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહત્વપૂર્ણ બદલીની યાદી મુજબ: – PSI એસ.ડી. સરવૈયા – સાગટાળામાં બદલી – PSI ડી.એસ. લાડ – દાહોદ એ ડિવિઝનમાં બદલી – PI વી.પી. કનારાની – LIB ઓફિસમાં બદલી – PI ડી.એમ. ઢોલ – દાહોદ રૂરલમાં નિમાયા – PI સી.આર. દેસાઈ – સાગટાળામાં બદલી – PI કે.આર. રાવત – મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી – PI કે.કે. રાજપૂત – દેવગઢ બારિયામાં બદલી – PI બી.કે. ચાવડા – લીમખેડામાં મુકાયા – PI કે.સી. વાઘેલા – પેરોલ-ફર્લો વિભાગમાં બદલી – PI જી.બી. પરમાર – સંજેલીમાં બદલી આ અચાનક બદલી પોલીસ વિભાગમાં વિવિધ કાર્યસ્થળોમાં…
કચ્છમાં સગીર કિશોરી સાથે ગંભીર ગુનો: પાંચ યુવકો સામે પોક્સો હેઠળ કાર્યવાહી
કચ્છ જિલ્લાના ભુજ વિસ્તારમાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 14 વર્ષની સગીર કિશોરી સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ભુજ પોલીસ બી ડિવિઝન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, કિશોરીને ધાક-ધમકી આપી અલગ-अलग સ્થળોએ લઈ જઈ તેની સાથે અપરાધિક વર્તન કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં કુલ પાંચ યુવકો સંડોવાયેલા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સતત માનસિક દબાણ અને ભયના કારણે કિશોરી લાંબા સમય સુધી આ બાબત અંગે મૌન રહી હતી. હોસ્ટેલમાં કિશોરીની સ્થિતિ શંકાસ્પદ લાગતાં તેના પરિવારજનો અને શિક્ષિકાએ પૂછપરછ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બાદમાં પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા…
અમદાવાદમાં પોલીસને ગાળો આપનારી બંસરી ઠક્કર સામે બીજી FIR, જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસકર્મી દ્વારા યુવતીને લાફો મારવાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. પરંતુ હવે પોલીસના બોડી વોર્ન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનાનું વાસ્તવિક ચિત્ર બહાર આવ્યું છે. યુવતી અગાઉ પણ કરી ચૂકી છે બબાલ પોલીસ દ્વારા 20 ડિસેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવામાં આવ્યો કે, આ યુવતી બંસરી ઠક્કર અગાઉ પણ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કરી ચૂકી છે. 14 નવેમ્બર 2025ના રોજ શ્યામલ ચાર રસ્તા પાસે હેલ્મેટ ન પહેરવાના કારણે ટ્રાફિક પોલીસે તેને રોકી હતી. તે સમયે પણ યુવતીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઉગ્ર…
રાજ્ય પોલીસમાં બઢતી પ્રક્રિયા શરૂ, 119 PIને ડીવાયએસપી બનાવવા તૈયારી
રાજ્ય પોલીસ દળમાં બઢતીને લઈને મહત્વની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ગ-2ના પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી)ને વર્ગ-1ના ડીવાયએસપી તરીકે બઢતી આપવા માટે પસંદગી યાદી તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત કુલ 119 PI અધિકારીઓની ખાતાકીય તપાસ, શિસ્ત સંબંધિત વિગતો અને શૈક્ષણિક માહિતી મંગાવવામાં આવી છે. કોર્ટ કેસ અને વિજિલન્સ તપાસની માહિતી એકત્ર બઢતી પ્રક્રિયામાં પારદર્શકતા અને યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે સંભવિત બઢતીપાત્ર અધિકારીઓ સામે ચાલી રહેલી અથવા પૂર્ણ થયેલી કોર્ટ કેસ, વિજિલન્સ તપાસ તેમજ શિસ્તભંગ સંબંધિત કાર્યવાહી અંગેની વિગતવાર માહિતી સંબંધિત વિભાગોથી માંગવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અધિકારીઓની સેવા નોંધ, વર્તણૂક અને શિસ્તને આધારે બઢતી અંગે નિર્ણય લેવામાં આવશે. જો કોઈ અધિકારી સામે ગંભીર પ્રકારની તપાસ અથવા કેસ ચાલુ હોવાનું સામે આવશે…
સુરતમાં ડબલ મર્ડર કેસના આરોપી પર ફાયરિંગ, ઇજાગ્રસ્ત થયા બાદ કહ્યું “હવે નહીં ભાગું”
સુરતના ગોડાદરા વિસ્તારમાં ડબલ મર્ડર કેસના આરોપી શિવા ઉર્ફે શિવો ટકલા પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસને ફાયરિંગ કરવું પડ્યું. આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેના પગલે પગમાં બે રાઉન્ડ ગોળી લાગી અને તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં આવતા શિવા ટકલા બોલ્યો કે, “સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં થશે, હવે નહીં ભાગું, મને છોડી દો.” અસલમાં શિવા ટકલા પર ગુજસીટોક, હત્યા સહિત ૧૦ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એક મહિના પહેલા જ તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. આરોપીએ રૂપિયા લેતીદેતીના મામલે ત્રણ યુવકોનું અપહરણ કર્યું, જેમાંથી બેની હત્યા કરી, ત્રીજા યુવકને મુક્ત કરાવ્યું. ડીસીપી આલોક કુમારએ જણાવ્યું કે આરોપીની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી હતી. રસ્તામાં વોમિટ થવાનો બહાનું બતાવતા, તે પથ્થર વડે…
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’: 15 દિવસમાં જામીન-પેરોલ પરથી ફરાર 41 આરોપીઓ ઝડપાયા
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 26 નવેમ્બરથી વિશેષ ‘ઓપરેશન કારાવાસ’ શરૂ કર્યું છે. આ અભિયાનમાં ગુજરાત પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. 15 દિવસમાં 41 ફરાર આરોપીઓ ઝડપાયા ઓપરેશન અંગે માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં પોલીસે કુલ 41 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાંથી 15 આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. આ ઉપરાંત ઓપરેશન દરમિયાન 25 આરોપીઓનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. તેમના ડેથ સર્ટિફિકેટ મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ 25 પૈકી 17 આરોપીઓ પણ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પકડાયેલા…
ગીર સોમનાથ: SP જયદીપસિંહ જાડેજાના આદેશથી 82 પોલીસકર્મીઓની બદલી; પોલીસ બેડામાં ખળભળાટ
ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી સાધારણતા વધારવા અને પોલીસ વિભાગમાં નવી વ્યવસ્થાપન રચના કરવા જિલ્લા પોલીસ વડા એસપી જયદીપસિંહ જાડેજાએ મોટો નિર્ણય કર્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા એક સાથે 82 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે, જેને કારણે સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચા અને ખળભળાટ મચ્યો છે। 57 પોલીસકર્મીઓ માત્ર વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાંથી બદલી બદલી કરાયેલા 82 કર્મચારીઓમાં સૌથી મોટી ખાસિયત એ છે કે માત્ર 57 પોલીસકર્મીઓ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાંથી છે. એક જ પોલીસ સ્ટેશનમાંથી આટલા મોટા પ્રમાણમાં કર્મચારીઓની બદલી સામાન્ય રીતે દુર્લભ માનવામાં આવે છે, જેના પગલે આ કામગીરી વહીવટી દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણી શકાય છે। વહીવટી ફેરફારનો મોટો સંકેત સામાન્ય રીતે પોલીસ વિભાગમાં સમયાંતરે બદલીની પ્રક્રિયા ચાલતી રહે છે, પરંતુ આ…
















