ગુજરાત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’: 15 દિવસમાં જામીન-પેરોલ પરથી ફરાર 41 આરોપીઓ ઝડપાયા

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 26 નવેમ્બરથી વિશેષ ‘ઓપરેશન કારાવાસ’ શરૂ કર્યું છે. આ અભિયાનમાં ગુજરાત પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે.

15 દિવસમાં 41 ફરાર આરોપીઓ ઝડપાયા
ઓપરેશન અંગે માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં પોલીસે કુલ 41 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાંથી 15 આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. આ ઉપરાંત ઓપરેશન દરમિયાન 25 આરોપીઓનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. તેમના ડેથ સર્ટિફિકેટ મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ 25 પૈકી 17 આરોપીઓ પણ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા.

ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ
પકડાયેલા તમામ આરોપીઓ ખૂન, દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને આજીવન કેદની સજા થયા બાદ જામીન કે પેરોલ પર છૂટીને જેલમાં પરત ન ફર્યા હતા.

આંતર-રાજ્ય કોઓર્ડિનેશનથી મળી સફળતા
ગુજરાત પોલીસની આ સફળતા પાછળ હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે ટેક્નિકલ સર્વેલન્સનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ફરાર આરોપીઓ અન્ય રાજ્યોમાં ઓળખ અને હુલિયો બદલીને રહેતા હતા. આવા જટિલ કેસોમાં પણ પોલીસે આંતર-જિલ્લા અને આંતર-રાજ્ય કોઓર્ડિનેશન સ્થાપિત કરીને આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે.

પોલીસ ટીમોને અભિનંદન
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ કામગીરી બદલ સમગ્ર પોલીસ ટીમને બિરદાવતા અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે કાયદાથી દૂર રહેલા અન્ય આરોપીઓને ઝડપવા માટે ‘ઓપરેશન કારાવાસ’ આગળ પણ સતત ચાલુ રહેશે. સાથે જ પેરોલ કે ફર્લો પરથી પરત ન આવેલા આરોપીઓને પકડવા તમામ પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…