જંતર-મંતર લાઠીચાર્જ કેસમાં દિલ્હી હાઈકોર્ટ સખ્ત: CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ

જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ અને પોલીસ કાર્યવાહીના મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ઘટનાસ્થળના CCTV ફૂટેજ, બોડી કેમેરાની રેકોર્ડિંગ અને સંબંધિત તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા પણ નિર્દેશ આપ્યા છે. દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ પોલીસ કાર્યવાહી ગેરબંધારણીય ગણાવી અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને જંતર-મંતર પરથી બળજબરીપૂર્વક હટાવવા તેમજ તેમના પર લાઠીચાર્જ કરવો બંધારણ દ્વારા મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. વકીલ એન. હરિહરને કોર્ટમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને…

દિલ્હીમાં ફરી હિંસક દેખાવો, જંતર-મંતર પાસે પથ્થરમારામાં અનેક પોલીસ કર્મી ઘાયલ

દિલ્હી NEET મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન તણાવભરી સ્થિતિ દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ છે. NEET પરીક્ષાના મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટૉલ્સ્ટૉય માર્ગ અને જંતર-મંતર નજીક અચાનક હિંસા ફાટી નીકળ્યાનો પોલીસનો દાવો છે. મળતી માહિતી અનુસાર, પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો ઉગ્ર બન્યા હતા અને સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ તથા રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પોલીસ અને RAF જવાનો પર પથ્થરો અને લાકડીઓથી હુમલાનો આરોપ પોલીસના જણાવ્યા મુજબ, ટૉલ્સ્ટૉય માર્ગ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ અને RAFની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક કેટલાક પ્રદર્શનકારીઓ ઉગ્ર બન્યા…

₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં? પોલીસ કમિશ્નરના પરિપત્ર સામે હાઇકોર્ટમાં PIL

– પરિપત્રથી ફરિયાદ નોંધવામાં વિલંબ થાય છે, તેથી રદ કરવાની PILમાં માંગ – ₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં, પહેલા કમિશ્નરની મંજૂરી જરૂરી પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં ₹20 લાખથી વધુની છેતરપિંડી અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસોમાં સીધી FIR નોંધવાની પ્રક્રિયા અંગે કાનૂની વિવાદ ઊભો થયો છે. અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા વર્ષ 2020માં બહાર પાડવામાં આવેલા પરિપત્રને પડકારતી જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારનો આક્ષેપ છે કે પરિપત્રના કારણે મોટા ફ્રોડ કેસોમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા વધુ લાંબી બની જાય છે અને નાગરિકોને ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થાય છે. અરજી મુજબ, ₹20 લાખથી વધુના ચિટીંગ અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસમાં પોલીસ સ્ટેશન સીધી FIR નોંધતું નથી. પહેલા ફરિયાદને ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલવામાં આવે…

અમદાવાદ પૂર્વમાં પોલીસ પ્રસ્તાવ: ઝોન-૮ રચાશે, વસ્ત્રાલમાં નવું પોલીસ સ્ટેશન

પંકજ મકવાણા – અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ઝડપથી વધી રહેલી રહેણાંક અને ઔદ્યોગિક વસાહતો વચ્ચે કાયદો-વ્યવસ્થાની દેખરેખ મજબૂત કરવા અમદાવાદ સિટી પોલીસ દ્વારા નવા ઝોન-૮ની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રસ્તાવિત ઝોન માટે મયુર પાટીલની ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે નિમણૂક થતાં યોજના ટૂંક સમયમાં અમલમાં આવવાની સંભાવના વધુ સ્પષ્ટ બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઝોન-૮ અંગેનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન હજુ બાકી છે, પરંતુ રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આગામી એક મહિનામાં પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળી શકે છે. યોજનાનુસાર નવા ઝોનમાં પાંચથી છ પોલીસ સ્ટેશનોનો સમાવેશ થશે, જે હાલના ઝોન-૫ અને ઝોન-૬માંથી પુનર્ગોઠવાશે. સાથે જ રામોલ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનની સ્થાપનાનો પ્રસ્તાવ પણ તૈયાર થયો…

રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની નિમણૂક પર રાજકીય ચર્ચા, જયરાજસિંહ જાડેજાનું સ્પષ્ટ નિવેદન

રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂકને લઇને સૌરાષ્ટ્રના રાજકારણમાં તંગદિલી સર્જાઈ છે. આ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેર નિવેદન આપીને અફવાઓનો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટથી ચર્ચા તેજ થઈ તાજેતરમાં નિખિલ દોંગાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં નિર્લિપ્ત રાયની નિમણૂકને લઈને કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોસ્ટમાં દાવો કર્યો હતો કે એક શક્તિશાળી નેતાએ તેમની બદલી અટકાવવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ સફળ રહ્યા નહોતાં. આ પોસ્ટ વાયરલ થતા જ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની ગઈ. જયરાજસિંહ જાડેજાનું નિવેદન જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, નિર્લિપ્ત રાયને આઈજી તરીકે મુકવાની ભલામણ તેમણે જ ગૃહમંત્રી સમક્ષ કરી હતી. તેમના મતે, ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે માટે કડક અને…

દિલ્હીમાં AI સમિટમાં યુવા કોંગ્રેસના શર્ટલેસ વિરોધ પ્રદર્શન પર FIR નોંધાઈ, ચાર કાર્યકરોની ધરપકડ

દિલ્હી પોલીસે Indian Youth Congressના ચાર કાર્યકરોને AI ઇમ્પેક્ટ સમિટમાં શર્ટલેસ વિરોધ પ્રદર્શન કરવા અંગે FIR નોંધતા કડક કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પર જાહેર સેવક પર હુમલો, આદેશનો અનાદર, ગેરકાયદેસર સભા અને પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. કેસ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 61(2) હેઠળ નોંધાયો છે. ધરપકડ કરાયેલા કાર્યકરો – કૃષ્ણ હરિ – બિહારના રાષ્ટ્રીય સચિવ – કુંદન યાદવ – બિહારના રાજ્ય સચિવ – અજય કુમાર – ઉત્તરપ્રદેશના પ્રદેશ પ્રમુખ -નરસિંહ યાદવ – તેલંગાણાના કાર્યકર ઘટના વિગતવાર શુક્રવારે સવારે, અંદાજે 10 કાર્યકરો પોતાના શર્ટ ઉતારીને હોલ નં.5ના લોબી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક આરોપીઓએ સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ સાથે ઝપાઝપી કરી. પોલીસકર્મીઓએ બધા વિરોધકારીઓને અટકાવી, FIR નોંધાઈ અને ચાર આરોપીઓ આજે…

‘રાહુલ ગાંધીને ઘરમાં ઘુસીને ગોળી મારી દેશું’ – ધમકી આપનારની રાજસ્થાનથી ધરપકડ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 25 કોંગ્રેસ સાંસદોને ઘરમાં ઘુસીને ગોળી મારી દેવાની ધમકી આપનાર એક વ્યક્તિની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ કોટા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આરોપીનું નામ રાજ સિંહ અમેરા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં તે પોતાને કરણી સેના અને Bharatiya Janata Party (ભાજપ) કાર્યકર તરીકે રજૂ કરે છે અને કોંગ્રેસ સાંસદો તથા રાહુલ ગાંધી સામે ઉશ્કેરણીજનક ભાષા વાપરે છે. ધમકીમાં શું કહ્યું? વાયરલ વીડિયોમાં રાજ સિંહ અમેરિકાએ આરોપ મૂક્યો કે કોંગ્રેસના સાંસદોએ લોકસભા અધ્યક્ષ Om Birlaનું અપમાન કર્યું હતું. તેણે કહ્યું કે જો આવી ઘટના ફરી બનશે તો તેઓ સાંસદોના ઘરમાં ઘુસીને હુમલો કરશે. વીડિયોમાં તેણે રાહુલ ગાંધીને સીધી ગોળી મારી દેવાની ધમકી…

પોલીસને પડકાર ફેંકનાર સામે કડક કાર્યવાહી થશે: હર્ષ સંઘવી

ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ, જેલ અને અન્ય માળખાકીય સુવિધાઓના બાંધકામ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. દહેગામ ખાતે બનનારી નવી જેલનું ખાતમુહૂર્ત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે દિવસ-રાત કામગીરી કરે છે અને સરકાર પણ પોલીસ પરિવારની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગ હેઠળ અંદાજે રૂ. 273 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. બજેટમાં આગામી પાંચ વર્ષમાં પોલીસ પરિવાર માટે 20,400 મકાનો બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. “પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઈએ” કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ કડક સંદેશ આપતા જણાવ્યું કે પોલીસને પડકાર ફેંકનારાઓ સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર…

મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી હિંસા ભડકી, અનેક ઘરોને આગ ચાંપવાની ઘટના

મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સોમવાર બપોરે લિટાન સારેઈખોંગ ગામમાં હથિયારધારી બદમાશોએ અનેક રહેણાંક ઘરોને આગ ચાંપી દેતાં દહેશત ફેલાઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, પહાડી વિસ્તારોમાં સશસ્ત્ર જૂથો દ્વારા આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે મોટી સંખ્યામાં ગ્રામિણોએ પોતાના ઘરો છોડીને પડોશી કાંગપોકપી જિલ્લામાં શરણ લેવા મજબૂર બન્યા છે. હિંસાની શરૂઆત શનિવાર રાત્રે થઈ હતી, જ્યારે તંગખુલ નાગા સમુદાયના એક સભ્ય પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત ચાલી હતી, પરંતુ રવિવારે યોજાનારી બેઠક રદ થતાં મામલો વધુ બગડ્યો હતો. આ બાદ પડોશી ગામના લોકોએ લિટાન સારેઈખોંગ ગામના મુખિયાના નિવાસસ્થાન…

સુરક્ષિત ગુજરાત તરફ વધુ એક પગલું: ATSના નવા બિલ્ડિંગ સહિત ₹202 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે 47.98 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે 33.49 કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઈન ખાતે 74.62 કરોડના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે 39.68 કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘા ખાતે 5.74 કરોડના ખર્ચે ડૉગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને 1.34 કરોડના ખર્ચે SRP ગ્રુપ-2 ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો સુવિધા સભર હશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં…