ગાંધીનગરમાં આજે રાજ્ય કેબિનેટ બેઠક: ચિંતન શિબિર, કૃષિ રાહત પેકેજ અને MSP ખરીદી પર થશે મોટી સમીક્ષા
ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં વહીવટી તંત્ર અને જનહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. મુખ્ય ફોકસ આવનારી ચિંતન શિબિરની તૈયારીઓ, કૃષિ રાહત પેકેજની સમીક્ષા અને MSP પર ખરીદીની સ્થિતિ રહેશે. ચિંતન શિબિર અંગે પ્રસ્તુતીકરણ રાજ્યના મુખ્ય સચિવ કેબિનેટ સમક્ષ ચિંતન શિબિરની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરશે. આ શિબિરનો હેતુ — – વહીવટી તંત્રને વધુ અસરકારક બનાવવું – આવનારી વિકાસ યોજનાઓ માટે દિશા નક્કી કરવી રાજ્યના સ્તરે નીતિ-નિર્ણય પ્રક્રિયાને વધુ સશક્ત બનાવવાનો આ મુખ્ય પ્રયાસ માનવામાં આવે છે. કેબિનેટના મુખ્ય મુદ્દા: કૃષિ પર વિશેષ ધ્યાન 1. કૃષિ રાહત પેકેજની સઘન સમીક્ષા – તાજા કૃષિ રાહત પેકેજ અંતર્ગત રાજ્યભરમાંથી મળેલી અરજીઓની સ્થિતિની સમીક્ષા થશે. હેતુ એ છે કે: – પાત્ર ખેડૂતોને ઝડપથી…
દેશી/વિદેશી દારૂ હાટડીઓ પર પોલીસ બેદરકાર, પત્રકારોની 14449 ફરિયાદ
B-india ટીમ, અમદાવાદ, 29 નવેમ્બર 2025 શહેરના પૂર્વ વિસ્તાર છેવાડાના નદીના પટની નજીકના પોલીસ સ્ટેશન હદમાં દેશી-વિદેશી દારૂની હાટડીઓ ધમધમતી હોવાની ખબર B-Indiaના પત્રકારોના ખાનગી સ્ત્રોત પરથી મળી. અનુસંધાનમાં સ્થળ તપાસ અને સ્ટિંગ ઓપરેશન કરતાં સ્પષ્ટ થયું કે કાયદાનું ઉલ્લંઘન કરીને ધજાગરા ઉડાવી રહ્યા છે..અને મોટો ધંધો ફૂલી ફાલી રહ્યો છે. આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવા પહોંચેલા પત્રકારોને PSO પાસેથી મળ્યો એવો જવાબ કે ‘જે થાય એ કરી લો!’ આવી ઉદ્ધતાઈ ભાષામાં ફરજ પ્રત્યેની બેદરકારી! આ અપમાનજનક વર્તન સહન કરી ન શકાય તેવી સ્થિતિમાં પત્રકારોએ 14449 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી. આ ઘટના માત્ર એક સ્ટેશનની નથી, પોલીસ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાનું પ્રતીક છે. દારૂના ધંધા પાછળ કોણ છે અને કોણ…
સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત
દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટએ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ અશ્લીલ અને માનસિક અસર પહોંચાડનારા કન્ટેન્ટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, “મોબાઇલમાં એપ ખોલતા જ એવો કન્ટેન્ટ સામે આવી જાય છે, જે જોવો યોગ્ય નથી. સમાજ પર આનો પ્રતિકૂળ પ્રભાવ પડી રહ્યો છે.” કોર્ટએ સ્પષ્ટ કર્યું કે— – OTT અને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ શરૂ થવા પહેલાં સ્પષ્ટ એલર્ટ અને ડિસ્ક્લેમર ફરજિયાત હોવા જોઈએ. – માત્ર 18+ પ્રેક્ષકો પર ફોકસ પૂરતું નથી;…
US: વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર, બે નેશનલ ગાર્ડના મોત; ટ્રમ્પે કહ્યું હુમલાખોરને ભારે કિંમત ચૂકવવી પડશે
યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારના ભયાનક બનાવમાં બે નેશનલ ગાર્ડ સૈનિકોને ગંભીર રીતે ઘાયલ કરી તેમને અંતે મોતને ભેટવા પાડ્યું. વેસ્ટ વર્જિનિયાના ગવર્નર પેટ્રિક મોરિસીએ આ ઘટના અંગે પુષ્ટિ આપી છે. પોલીસએ ઘટનામાં શંકાસ્પદ એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. ગોળીબાર ક્યાં બન્યો? આ ઘટનાનો કેન્દ્ર 17મી સ્ટ્રીટ અને એચ સ્ટ્રીટનો વિસ્તાર હતો, જે વ્હાઇટ હાઉસથી માત્ર બે બ્લોક દૂર છે. તાત્કાલિક પોલીસ, ફાયર વિભાગ અને કટોકટી ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. યુએસ સિક્રેટ સર્વિસ, એટીએફ અને નેશનલ ગાર્ડના કર્મચારીઓએ આસપાસના વિસ્તારને ઘેરી દીધું. નેશનલ મોલ પર એક હેલિકોપ્ટર પણ ઉતર્યો હતો. ટ્રમ્પની પ્રતિક્રિયા યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જણાવ્યું કે, “જે વ્યક્તિએ બે નેશનલ…
સેલવાસ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 વર્ષીય તરૂણ સાથે અપરાધ કરનાર આરોપીને 20 વર્ષની કેદ
સેલવાસના કૂડાચા ગામમાં 13 વર્ષીય તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાનો ગંભીર ગુનો સાબિત થતાં સેલવાસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી રૂસ્તમ અલાઉદીન ખાનને 20 વર્ષની કેદ તથા ₹25,000 દંડની સજા ફટકારી છે. દંડ નહીં ભરાય તો વધુ 6 મહિનાની કેદ ભોગવવાની રહેશે. ઘટનાનો વિગતવાર ક્રમ વર્ષ 2024ની 26 માર્ચે કૂડાચા ગામે રહેતો એક પરપ્રાંતિય પરિવાર રોજની જેમ નોકરી પર ગયો હતો. તેમના 13 વર્ષીય પુત્ર અશોક (નામ બદલેલ) ટ્યુશન ક્લાસ માટે ઘરેથી નીકળ્યો ત્યારે પાડોશી રૂસ્તમ ખાને તેનો માર્ગ રોકી મોઢું દબાવી પોતાની રૂમમાં ખેંચી ગયો હતો. રૂમનો દરવાજો બંધ કરીને આરોપીએ કિશોરના ગુપ્તાંગ સાથે છેડછાડ કરી સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. તક મળતા તરૂણ ભાગીને ઘરે પહોંચી ગયો અને પરિવારને સમગ્ર બનાવની…
અયોધ્યા બની સુરક્ષા કિલ્લો: પીએમ મોદીના આગમન પહેલા શહેર સીલ, બ્લેક કેટ કમાન્ડો તૈનાત
અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધ્વજવંદન સમારોહ અને રોડ શોને ધ્યાનમાં રાખીને શહેરને અભૂતપૂર્વ સુરક્ષાથી ઘેરી દેવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાનો અકલ્પનીય કિલ્લો બનાવી દેવામાં આવ્યો છે. હવા–જમીન–જળ એમ ત્રણેય માર્ગોથી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. અયોધ્યા સીલ – પાસ વિના પ્રવેશ બંધ સોમવારથી જ અયોધ્યાની બધી સરહદો સીલ કરી દેવામાં આવી છે. પાસ વગર કોઈને પણ શહેરમાં પ્રવેશવાની મંજૂરી નથી. રામપથ તરફ જતી બધી ગલીઓ બંધ કરી દેવામાં આવી છે. રોડ શો રૂટ પર કડક સુરક્ષા મંગળવારે પીએમ મોદી સાકેત કોલેજથી રામ મંદિર સુધી રોડ શો કરશે. આ રૂટની બંને બાજુ બેરિકેડ લગાવવામાં આવ્યા છે, અને ઘરોની છતો પર સશસ્ત્ર jજવાન તૈનાત છે. ડ્રોન, CCTV અને જીઓ-ફેન્સિંગથી 360° મોનિટરિંગ – સમગ્ર એરિયામાં ડ્રોન પેટ્રોલિંગ…
જસ્ટિસ સૂર્યકાંત આજે શપથ લેશે 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે, બીઆર ગવઈ વિદાય લેતા આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
આજે જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. તેઓ જસ્ટિસ બીઆર ગવઈનું સ્થાન લેશે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરનારી કલમ 370, બિહાર મતદાર યાદી સમીક્ષા અને પેગાસસ સ્પાયવેર કેસનો સમાવેશ થાય છે. જસ્ટિસ સૂર્યકાંતનો કાર્યકાળ આશરે 15 મહિનાનો રહેશે અને તેઓ 9 ફેબ્રુઆરી 2027ના રોજ નિવૃત્ત થશે. નિવૃત્ત થઈ રહેલા CJI જસ્ટિસ બીઆર ગવઈનું નિવેદન નિવૃત્તિ પહેલા જસ્ટિસ ગવઈએ કહ્યું કે તેઓ નિવૃત્તિ પછી કોઈપણ સરકારી પદ સ્વીકારશે નહીં. તેઓએ કોલેજિયમ સિસ્ટમનો પણ બચાવ કર્યો અને જણાવ્યું કે તે ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવામાં મદદ કરે છે. જસ્ટિસ ગવઈએ પોતાને કાર્યકાળ દરમિયાન કોઈપણ મહિલા ન્યાયાધીશની નિમણૂક ન થતા દુઃખ વ્યક્ત કર્યું અને છેલ્લા દિવસે અનેક મુદ્દાઓ…
રાજકુમાર જાટ મોત મામલો: SP પ્રેમસુખ ડેલુ HC રિપોર્ટ તૈયાર કરશે, જાણો વિગત
ચકચારી રાજકુમાર જાટની અદનવાર્ષક મોત કેસમાં પોલીસ દ્વારા તપાસની ગતિ વધારી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને આ કેસના મુખ્ય તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે DYSP જે.ડી. પુરોહિત સાથે મળીને કેસ સંબંધિત લોકોને પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે. ગણેશ ગોંડલ સહિત 13 લોકોની પૂછપરછ તપાસ દરમિયાન પોલીસ દ્વારા ગણેશ ગોંડલ સહિત કુલ 13 લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને તેમના નિવેદનો નોંધાયા છે. તપાસ અધિકારી પ્રેમસુખ ડેલુ દ્વારા આ કેસની હાલની પ્રગતિનો પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. કાયદાકીય અને નાગરિક દૃષ્ટિકોણ આ કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પોલીસ દ્વારા તપાસ કડક અને તટસ્થ રીતે ચાલી રહી છે, જેથી કેસના તમામ પાસાંઓનું સંપૂર્ણ નિરીક્ષણ થાય.…
EDની મોટી કાર્યવાહી: પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 44 સ્થળોએ દરોડા, કરોડોનો મુદ્દામાલ જપ્ત
પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બંને રાજ્યોમાં EDએ કુલ 44 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં રૂ. 14 કરોડથી વધુ કિંમતના રોકડ અને સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા. દરોડા દરમિયાન, કોલસા સિન્ડિકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ પાસેથી અસંખ્ય મિલકતના દસ્તાવેજો, જમીન ખરીદી અને વેચાણ કરાર, ડિજિટલ ઉપકરણો, કંપની ખાતાવહી અને અન્ય પુરાવા મળી આવ્યા. EDની તપાસ પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIR પર આધારિત છે, જેમાં બંને રાજ્યો વચ્ચે ગેરકાયદેસર કોલસા સપ્લાય નેટવર્ક કાર્યરત હોવાનો આરોપ છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર, પુરુલિયા, હાવડા અને કોલકાતામાં 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. અહીં નરેન્દ્ર ખારકા, કૃષ્ણ મુરારી કાયલ, યુધિષ્ઠિર ઘોષ, રાજ કિશોર યાદવ, લોકેશ સિંહ, ચિન્મય મંડલ,…
કચ્છ: હાજીપીર પાસેથી 55 વિસ્ફોટકો સાથે 3 ઝડપાયા, જાણો વિગત
કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર હાજીપીર પાસે પોલીસે 3 શંકાસ્પદ વ્યક્તિઓને ૫૫ વિસ્ફોટકો સાથે ઝડપી પાડ્યા છે. આ કામગીરી કચ્છ-ભુજ બોર્ડર રેન્જના પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન, બોલેરો પિક-અપમાંથી વિસ્ફોટકોના ગોળા મળી આવ્યા, જે ઘઉના લોટથી કવર કરવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી લોખંડનો કોચથો અને છરી પણ જપ્ત કરવામાં આવી હતી. આ ગુનાની નોંધ હાજીપીર પોલીસ સ્ટેશનમાં એક્સલોઝીવ એક્ટ હેઠળ કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોના નામ અને સરનામું આ પ્રમાણે છે: – પ્રકાશ હિરાભાઈ સથવારા, ઉંમર ૨૫, હેમલાઈ ફળીયું, અંજાર – રાજુ વેલજી દાતણીયા, ઉંમર ૩૫, સતાપર, અંજાર – હિરા કાનજી દાતણીયા, ઉંમર ૨૮, હેમલાઈ ફળીયું, અંજાર સફળ કામગીરી માટે પો.સબ ઇન્સ્પેક્ટર વી.ડી. ગોહિલ, એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજા, પો.હેડ કોન્સ કિરણકુમાર…
















