Vadodara : વડોદરાની M.S.યુનિવર્સિટીની વિવાદમાં, વિદ્યાર્થીઓએ ઇન્ટર્નલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવાયા

વડોદરાની M.S.યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. તાજેતરમાં M.S.યુનિવર્સિટીની લાલિયાવાડી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ યુનિ.ના આર્ટસ ફેકલ્ટીના 70 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. જેમાં 70 વિદ્યાર્થીઓએ ઇન્ટર્નલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવાયા હતા. આ પણ વાચો :- Kutch : ગુજરાતનું હવામાન હવે કેવું રહેશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી વિદ્યાર્થીઓ મહેનત કરીને પરિક્ષાઓ આપતા હોય છે. મુખ્ય પરિક્ષા પહેલા ઇન્ટરનલ પરિક્ષા લેવામાં આવતી હોય છે. જેના માર્કસની ગણતરી મુખ્ય પરિક્ષામાં કરાય છે. જેના આધારે ફાઇનલ માર્ક નક્કી થાય છે. ત્યારે વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હોવા છતાં તેમને ગેરહાજર દાખવવામાં આવતા વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે. આ પણ વાચો :- Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ…

Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 28 પીઆઈની આંતરિક બદલી કરી છે. તેમજ 4 પીઆઈને પોસ્ટિંગ આપવામા આવ્યા છે.અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડયું હતુ આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 28 પોલીસ સ્ટેશનને નવા પીઆઈ મળશે. આ પણ વાંચો :- Dhoraji : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા રામોલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતા અમદાવાદ પોલીસનું નાક કપાયું હતું. ત્યારે રામોલ પીઆઈ ચૌધરીને કંટ્રોલ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. તો બાપુનગર પીઆઈને એસઓજીમાં મૂકવામાં આવ્યા છે.વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસ કમિશનર એકશનમાં આવ્યા છે. અને અચાનક બદલીઓ કરી દીધી છે.અન્ય ચાર પોલીસ ઈન્સ્પેકટરોને પોસ્ટિંગ…