Surat : સુરતવાસીઓ માટે સારા સમાચાર, પાણી બિલમાં મળશે રાહત

સુરત શહેરીજનોને રાહત આપવા મનપાની સ્થાયી સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં કરદાતાઓ અને પાણી બિલમાં રાહત આપવામાં આવશે. સુરતવાસીઓનું 41 હજાર મિલકતોના પાણી બિલમાં વ્યાજ માફ થશે. તેમજ 30 જુન સુધીમાં જે લોકો પાણીનું બીલ ભરશે તેમને ફાયદો થશે. આ પણ વાંચો :- Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ મનપાની સ્થાયી સમિતિ સુરતવાસીઓના મિલકતોને લઈને પણ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત કરદાતાઓને 100 ટકા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે. 35536 રહેણાંક મિલકતમાં બાકી વ્યાજની રકમ 17.29 કરોડ થાય છે જ્યારે 30 ધાર્મિક મિલકતમાં બાકી વ્યાજ રૂ.26 હજાર અને બિનરહેણાંક મિલકતમાં બાકી વ્યાજ રૂ.10.55 કરોડ હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો :- રાજ્યમાં…

SA vs AUS: ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ-બીમાં હવે કઈ ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકશે? વસીમ અકરમે કહ્યું…..

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ (AUS vs SA ચેમ્પિયન્સ ટ્રોફી 2025) સતત વરસાદને કારણે મંગળવારે રદ કરવામાં આવી હતી જેના કારણે ગ્રુપ Bની આ બે ટીમોએ એક-એક પોઈન્ટ શેર કરવો પડ્યો હતો. રમતનો કટ-ઓફ સમય 7.32 વાગ્યાનો હતો પરંતુ હવામાનમાં કોઈ સુધારો ન થવાને કારણે અધિકારીઓએ આ નિર્ણય ઘણો વહેલો લઈ લીધો હતો. મેચ રદ્દ થવાને કારણે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને એક-એક પોઈન્ટ મળ્યો છે, જેનો અર્થ છે કે બુધવારે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ લગભગ નોકઆઉટ છે જેમાં હારનાર ટીમ આઈસીસી ટુર્નામેન્ટમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની જશે. બીજી તરફ પૂર્વ દિગ્ગજ ખેલાડી વસીમ અકરમે પાકિસ્તાનને જણાવ્યું કે ગ્રુપ બીમાંથી કઈ ટીમ સેમીફાઈનલમાં જઈ શકે છે. અકરમે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને…