મોહન ભાગવત: ભારતનો ઉદ્દેશ્ય શક્તિ નહીં, વિશ્વને દિશા આપવું છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ સમાજને એકતાબદ્ધ થવા અને સનાતન ધર્મના મૂલ્યોને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાની અપીલ કરી છે. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આયોજિત “વિશ્વ સંઘ શિબિર” ના સમાપન સમારોહમાં રવિવારે સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ભારતનો હેતુ શક્તિનું પ્રદર્શન કરવાનો નથી, પરંતુ વિશ્વને સાચી દિશા આપવાનો છે. મોહન ભાગવતે જણાવ્યું હતું કે આજનું વિશ્વ ઉપભોક્તાવાદ અને ભૌતિકતામાં ડૂબી ગયું છે, જેના કારણે આધ્યાત્મિક ખોટ ઊભી થઈ છે. આ આધ્યાત્મિક અભાવને કારણે વૈશ્વિક સ્તરે ઉગ્રવાદ અને અસંતુલન વધતું જઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતે આર્થિક કે લશ્કરી શક્તિના આધારે નહીં, પરંતુ સદ્ભાવના, સંસ્કાર અને માનવ મૂલ્યોના આધારે “વિશ્વગુરુ”ની ભૂમિકા નિભાવવી પડશે. “વિશ્વગુરુ”ની કલ્પના અંગે વાત કરતા સંઘ પ્રમુખે કહ્યું કે…