આજે લોકસભામાં રજુ થશે આ બિલ, ભારતમાં ગેરકાયદે રહેતા લોકો સામે કડક કાર્યવાહીની જોગવાઇ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 રજૂ કરશે, જેના અમલીકરણ પછી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બિલ કાયદો બન્યા પછી, ઇમિગ્રેશન અને વિદેશી નાગરિકોને લગતા ચાર જૂના કાયદાઓ નાબૂદ કરવામાં આવશે. આ પણ વાંચો :- છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના નિવાસ સ્થાને EDના દરોડા આ નવા બિલમાં, ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને પ્રાથમિકતા આપતા, વિદેશી નાગરિકોના પ્રવેશ અને તેમના ગેરકાયદેસર રોકાણ અંગે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિનું દેશમાં રહેવું દેશ માટે ખતરો બની જાય અથવા તે નકલી દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિકતા મેળવે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે, જો કોઈ વ્યક્તિના પ્રવેશથી ભારતના…







