કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગની નવતર પહેલ: જળ અને જમીન સંરક્ષણ થકી વન્યજીવ સૃષ્ટિનું થશે સંવર્ધન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુષ્ક વાતાવરણ માટે જાણીતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી, જમીનનું ધોવાણ અટકાવી તેમજ વન્યપ્રાણીઓ-પક્ષીઓ માટે આવાસની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું. મંત્રી મોઢવાડીયાએ વિગતો આપતા કહ્યું હતું કે, કચ્છના નાના રણ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન તેમજ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે માટી-ભેજ સંરક્ષણ સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે આશરે એક કિ.મી.ના વિસ્તારમાં ત્રણ જેટલા ખાસ પ્રકારના પાળા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ભવિષ્યમાં વધારો કરવામાં આવશે. આ કામગીરીના પરિણામે ચોમાસામાં વહી જતા આશરે ૧.૩૫ કરોડ લિટર વરસાદી પાણીનો સંગ્રહ થશે,…

છારી-ઢંઢ વેટલેન્ડ ખાતે આવતું આ પ્રવાસી પક્ષી દુનિયાભરનાં પક્ષીરસિકોનું છે આકર્ષણનું કેન્દ્ર, જાણો વિગત

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી: કચ્છ જિલ્લાનાં છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વને તાજેતરમાં રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. આ વેટલેન્ડની આસપાસ 283 થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, પરંતુ અહીં જોવા મળતા કેટલાક દુર્લભ અને પ્રવાસી પક્ષીઓ દુનિયાભરનાં પ્રવાસીઓને આકર્ષે છે. આ પક્ષીઓમાં ગ્રે હાયપોકોલિયસ મુખ્ય આકર્ષનું કેન્દ્ર છે. ગુજરાતીમાં તેને ‘મશ્કતી લટોરો’ કહે છે. ગ્રે હાયપોકોલિયસ (Hypocolius ampelinus) સૌથી વિશિષ્ટ અને આકર્ષક પક્ષી છે. પાતળી કાયા ધરાવતું આ પક્ષી ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સુકા વિસ્તારોમાં પ્રજનન કરે છે અને 1990થી કચ્છનાં છારી-ઢંઢનાં જળપ્લાવિત વિસ્તારમાં શિયાળો ગાળવા આવે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, ગ્રે હાયપોકોલિયસ સામાન્ય રીતે સુકા ઝાડીવાળા વિસ્તારો, રણપ્રદેશ અને નજીકના ખેતી વિસ્તારોમાં જોવા મળે છે. તે મોટાભાગે નાના જૂથોમાં જોવા મળે છે અને ફળાઉ વૃક્ષો તથા ઝાડીઓનાં…

Junagadh: ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતી કાલથી પ્રારંભ, પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’ યોજાશે

દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાશે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા. 11 ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’નું આયોજન કરાયું છે જેમાં, નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે.…

કોડીનારના સિંધાજ ગામે સિંહ પરિવારની લટાર, જુઓ વીડિયો

શબ્બીર સેલોત, કોડીનાર / કોડીનાર તાલુકાના સિંધાજ ગામમાં ગત રાત્રિએ આઠ સિંહોના પરિવારે ગામની શેરીઓમાં પ્રવાસ કર્યો હતો. ખોરાકની શોધમાં ગામમાં પ્રવેશેલા આ સિંહ પરિવારના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. આ ઘટના ગીર જંગલની સરહદ નજીક આવેલા ગામમાં બની હતી . CCTV ફૂટેજમાં સિંહ, સિંહણ અને તેમના બચ્ચાંઓ સહિતનો આખો પરિવાર શાંતિપૂર્વક ગામની ગલીઓમાંથી પસાર થતો જોવા મળ્યો હતો. આ અચાનક આગમનથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ અવારનવાર ગીર જંગલની સીમા લાગતા ગામોમાં પ્રવેશ કરે છે. સિંધાજ ગામ છેલ્લા કેટલાક દિવસોથી સિંહ પરિવારનું અસ્થાયી રહેણાંક બની ગયું છે, જ્યાં ગામની આસપાસના વિસ્તારોમાં સિંહો ધામા નાખી રહ્યા હોવાના અહેવાલો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગ સક્રિય બન્યું…

ગુજરાતમાં ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર પ્રતિબંધ, રાજ્ય સરકારે લીધું કડક પગલું

ગુજરાત સરકારે ચરસ, ગાંજો અને અન્ય ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું કરીને રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના સંગ્રહ, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે આ વસ્તુઓનું વેચાણ ઈ-કોમર્સ, પાનના ગલ્લા, લારી અને દુકાનો પર પણ નહીં થઈ શકે. યુવાનો અને જાહેર સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ પગલું ગુજરાત સરકારે આ પગલું યુવાનોને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્ય સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસમાં ભર્યું છે. રાજ્યમાં રોલિંગ પેપરની હેરાફેરી ગેરકાયદે ગણાશે. અમદાવાદમાં પોલીસે ઝડપ્યો મોટો જથ્થો અમદાવાદ શહેરની વટવા સર્વેલન્સ સ્ક્વોડે બાતમીના આધારે દરોડો પાડ્યો અને 1,30,820 સ્મોકિંગ કોન્સ અને રોલિંગ પેપર જપ્ત કર્યા. પોલીસે અતુલ ચૌહાણ નામના વેપારીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દ્વારા જાહેરને…

સુરક્ષિત ગુજરાત તરફ વધુ એક પગલું: ATSના નવા બિલ્ડિંગ સહિત ₹202 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે 47.98 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે 33.49 કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઈન ખાતે 74.62 કરોડના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે 39.68 કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘા ખાતે 5.74 કરોડના ખર્ચે ડૉગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને 1.34 કરોડના ખર્ચે SRP ગ્રુપ-2 ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો સુવિધા સભર હશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં…

Junagadh :ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઇ

કૃતાર્થ વૈષ્ણવ, જૂનાગઢ : જુનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઇ હતી. જેમાં વિષયતજજ્ઞો, યુનિ.નાં ડિપાર્ટમેન્ટનાં અધક્ષ્ય, ડો. મયંક સોની સહિત ડીન, સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક દરમિયાન પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણએ જણાવ્યું હતું કે, સત્ય સામેથી છાત્ર પાસે જાય તેવી અપેક્ષા રાખી શકાય નહીં. કોઇપણ નવિનત્તમ જ્ઞાન યુનિ.નાં બાળકોને મળી રહે તેજ બોર્ડ ઓફ સ્ટડીઝની ભુમીકા છે. ભારતિય જ્ઞાન પરંપરામાં ઋષિકુળથી સાંપ્રત સમય સુધી શિક્ષણનો આત્મા તો એ જ છે, સત્ય તો એ જ છે, અધ્યાત્મ તો એ જ છે, મૂલ્યો પણ એ જ છે, નૈતિક ખ્યાલો પણ એ જ છે, શુચિતાભર્યું પવિત્ર જીવન કે એવા ખ્યાલો પણ એ જ છે, જ્ઞાનની પવિત્રતા પણ એ જ છે, જ્ઞાનની મહત્તા…

ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓમાં વધારાની ચર્ચા ફરી શરૂ, જાણો વિગત

રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોને મળતી સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર પ્રક્રિયા શરૂ થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હાલ પહેલેથી જ ઓછા ખર્ચે વિવિધ હાઈફાઈ સુવિધાઓનો લાભ લેતા ધારાસભ્યોને વધુ સસ્તી અને વધારાની સુવિધાઓ આપવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી સામે આવી છે, જેનાથી રાજ્યની જનતા પર વધારાનો આર્થિક બોજ પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિધાનસભામાં ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની તાજેતરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે તથા હવાઈ મુસાફરી માટે મળતા ભથ્થાંમાં વધારો કરવાની સંભાવનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે ધારાસભ્યોના કાર્યાલય ખર્ચ તેમજ મતવિસ્તાર વિકાસ માટે મળતા ભથ્થાં વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. સમિતિ દ્વારા…

રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન, Starlink સાથે કર્યા LoI

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી Starlink સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) કર્યા છે. આ LoIને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSC), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જોડવાનું આયોજન છે.…

શહેરી વિકાસ વર્ષમાં ગુજરાત બન્યું ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું મૉડલ, જાણો વિગત

ગુજરાત સરકારે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના સંકલ્પ હેઠળ ગુજરાતના શહેરોને શ્રેષ્ઠ સુવિધાયુક્ત બનાવવા તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કર્યું છે. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત રાજ્ય સરકાર ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું લક્ષ્ય ધરાવે છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્ચ સરકાર મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરવાની સાથે નવા ગ્રીન સ્પેસના નિર્માણ તેમજ 100 લિગસી વેસ્ટના નિકાલ માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતે હંમેશા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપ્યું છે, જેના ભાગરૂપે રાજ્યના શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોમાં 240 હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ વિકસાવવામાં આવશે, જેમાં બાગ-બગીચા, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા…