સુરક્ષિત ગુજરાત તરફ વધુ એક પગલું: ATSના નવા બિલ્ડિંગ સહિત ₹202 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે 47.98 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે 33.49 કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઈન ખાતે 74.62 કરોડના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે 39.68 કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘા ખાતે 5.74 કરોડના ખર્ચે ડૉગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને 1.34 કરોડના ખર્ચે SRP ગ્રુપ-2 ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો સુવિધા સભર હશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં સુધારો લાવશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો કરશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એટીએસ અને અમદાવાદ શહેર પોલીસના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે અમદાવાદ પોલીસ અને એટીએસ માટે સોનેરી દિવસ છે, કારણ કે એક જ દિવસમાં 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સુરક્ષા અને આવાસના પ્રકલ્પો સાકાર થવા જઈ રહ્યા છે. ગુજરાત એટીએસ આજે સાડા છ કરોડ ગુજરાતીઓના અતૂટ વિશ્વાસનું કેન્દ્ર છે. એટીએસ માત્ર આતંકી હુમલા સમયે જાગતી ફોર્સ નથી, પરંતુ ૩૬૫ દિવસ ૨૪ કલાક રાજ્યનો પ્રત્યેક નાગરિક સુરક્ષિત રહે અને દુશ્મનો આંખ પણ ન ઉઠાવી શકે તે માટે નિરંતર કામ કરતી એક ‘સાયલન્ટ ફોર્સ’ છે.

તેમણે એટીએસની કામગીરીના વિવિધ પાસાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે, આપણી એટીએસ ટીમે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. માત્ર ગુજરાત જ નહીં, પણ અન્ય રાજ્યોમાં થયેલા હુમલાઓના આરોપીઓને પકડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ઓનલાઇન માધ્યમોથી યુવાનોને કટ્ટરપંથી બનાવતા ‘ટેરર મોડ્યુલ્સ’નો પર્દાફાશ કરવામાં એટીએસને મળેલી સફળતા રાજ્યના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે અનિવાર્ય છે. પંજાબની જેલમાંથી ચાલતા નેટવર્કને તોડવું હોય કે બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા ૧૪થી વધુ રાજ્યોમાં ડ્રગ્સની ફેક્ટરીઓ પર દરોડા પાડવાના હોય, એટીએસના જવાનોએ મહિનાઓ સુધી ઘર-પરિવારનો ત્યાગ કરીને આ ઓપરેશન્સ સફળ બનાવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

દરિયાઈ સુરક્ષા અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 1600 કિમીની દરિયાઈ સીમા પર તેજ લહેરો વચ્ચે પાકિસ્તાની ઘૂસણખોરો અને ડ્રગ્સ માફિયાઓની રાહ જોઈને બેસવું એ કોઈ નાની વાત નથી. ૭૫થી વધુ પાકિસ્તાનીઓને સીમા પર જ દબોચી લેવાનું કામ આપણા જવાનોએ કર્યું છે. રાજ્ય સરકાર એટીએસને માત્ર ટેકનિકલ રીતે જ નહીં પણ બજેટરી સહાયથી પણ વધુ સ્ટ્રોંગ બનાવવા કટિબદ્ધ છે. નવું નિર્માણ પામનાર ભવન માત્ર એક ઈમારત નથી, પણ તે વિશ્વસ્તરીય ટેકનિકલ સુવિધાઓથી સજ્જ એક એવું કેન્દ્ર બનશે, જે ગુજરાતની સુરક્ષાને આગામી અનેક વર્ષો સુધી અભેદ્ય રાખશે. દેશ વિરુદ્ધ ષડયંત્ર રચનારાઓને જડબાતોડ જવાબ આપવા માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.

નાણાં, જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, મજબૂત ગુજરાત માટે મજબૂત પોલીસ અને મજબૂત ATS અનિવાર્ય છે. આજે ગુજરાતમાં જે શાંતિનો માહોલ છે અને નવી પેઢીએ ‘કર્ફ્યુ’ શબ્દ સાંભળ્યો નથી, તેનો સંપૂર્ણ શ્રેય ગુજરાત પોલીસ અને ATSની કાર્યક્ષમતાને જાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે આગળ વધી રહી છે. રાજ્યમાં ગુંડાતત્વ, આતંકવાદ અને નાર્કોટિક્સને કોઈ સ્થાન નથી. ગુજરાતને સુરક્ષિત રાખવા માટે ૧૬૦૦ કિમી લાંબા દરિયાકિનારાની સુરક્ષા હોય કે આંતરિક સુરક્ષા, આપણું ATS દળ નિષ્ઠા અને શૌર્ય સાથે કાર્ય કરી રહ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ પરિવારની સુખાકારી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં પોલીસ આવાસ નિગમ દ્વારા મકાનોની ઘટ પૂર્ણ કરવાના ધ્યેય સાથે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે, જેથી પોલીસ જવાનો તણાવમુક્ત થઈ પોતાની ફરજ બજાવી શકે. અદ્યતન ટેકનોલોજી અને આધુનિક સંસાધનો સાથે ગુજરાત પોલીસ રાષ્ટ્રની સુરક્ષામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા રાજ્ય પોલીસ વડા (DGP)  કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, સમાજ અને નાગરિકોની સુરક્ષા રાજ્ય પોલીસની પ્રાથમિકતા છે. પોલીસ વેલ્ફર અને લોકસેવા ક્ષેત્રે મજબૂતી આપનારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણે સૌ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છીએ.

રાજ્યની સુરક્ષા માટે સ્થપાયેલ ATS (Anti-Terrorist Squad) એક વિશિષ્ટ દળ તરીકે સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ જે રીતે ગંભીર પડકાર બની રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા એટીએસને અત્યાધુનિક વેપનરી, આધુનિક તાલીમ અને માનવબળથી સતત સજ્જ કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની રચના દ્વારા આ સંગઠનને વધુ મજબૂતી મળી છે. આજે નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે એટીએસના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત એ સુરક્ષા ક્ષેત્રે એક નવો અધ્યાય છે એમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત પોલીસના આધુનિક હથિયારો અને મરીન કમાન્ડો ફોર્સના અત્યાધુનિક સંસાધનોનું એક ભવ્ય પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સૌ મહાનુભાવોએ ખાતમુહૂર્ત બાદ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને પ્રદર્શનમાં મૂકાયેલા આધુનિક શસ્ત્રો નિહાળી પોલીસ દળની સજ્જતાની સરાહના કરી હતી. કાર્યક્રમ દરમિયાન ATSની કામગીરી અને સિદ્ધિઓ દર્શાવતી એક વિશેષ શોર્ટ ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.

વિવિધ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, અમદાવાદ અને ગાંધીનગરના ધારાસભ્યો, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ફોર્સિસના પ્રતિનિધિઓ, અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અને અન્ય મહાનુભાવો તથા પોલીસ પરિવારોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો. આ ઘટનાને કારણે કિન્નૌર જિલ્લાનો રાજ્યના અન્ય વિસ્તારો સાથેનો માર્ગ સંપર્ક ખોરવાઈ ગયો હતો અને અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા હતા. હિમાચલ પ્રદેશમાં માર્ગ ખુલ્લો કરવા માટે વહીવટીતંત્ર, પોલીસ અને બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO)ની ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. ભારે મશીનોની મદદથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. અધિકારીઓએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાન સુધરે ત્યાં સુધી સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે. મનાલીમાં રસ્તાઓ પર કાટમાળ, વાહનો ફસાયા હિમાચલ પ્રદેશના મનાલી અને આસપાસના ધુંધી, પાલચન, અંજની મહાદેવ, શનાગ અને સોલાંગ ખીણમાં સતત વરસાદને કારણે અનેક સ્થળોએ રસ્તાઓ પર કાટમાળ આવી ગયો હતો. સોલાંગ વેલી નજીક ‘ફર્સ્ટ સ્નો ગેલેરી’ પાસે એક સ્કોર્પિયો વાહન અચાનક સરકેલા કાટમાળમાં ફસાઈ ગયું હતું. સદનસીબે વાહનમાં સવાર તમામ લોકો સમયસર બહાર નીકળી ગયા હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી. હિમાચલ પ્રદેશના પાલચન બ્રિજ નજીક પણ નાનું ભૂસ્ખલન નોંધાયું હતું, જેના કારણે રસ્તા પર માટી અને પથ્થરોનો ઢગલો થઈ ગયો. પાણીના જોરદાર પ્રવાહને કારણે મનાલી ટાઉન બાયપાસના કેટલાક ભાગોમાં રસ્તાની બાજુનું ધોવાણ પણ શરૂ થયું છે. BRO દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ મોટાભાગના માર્ગો પર ટ્રાફિક ધીમે ધીમે શરૂ કરવામાં આવ્યો છે, જોકે કેટલાક વિસ્તારોમાં હજુ પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત ચંબા જિલ્લાના સલોની સબડિવિઝનમાં ભારે વરસાદ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. સંઘાણી પંચાયતના પ્રેધ ગામની રહેવાસી 19 વર્ષીય શબનમ ગુરુવારે સાંજે જંગલમાંથી ઘેટાં-બકરાં ચરાવીને ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન વરસાદને કારણે પાણીના જોરદાર પ્રવાહવાળા નાળામાં તે લપસી પડી અને તણાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને ગ્રામજનોએ રાતભર શોધખોળ હાથ ધરી હતી. શુક્રવારે સવારે જલાડી નજીક સિઉલ નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પાંડોહ ડેમમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડાયું રાજ્યમાં સતત વરસાદને ધ્યાનમાં રાખીને મંડી જિલ્લા વહીવટીતંત્રે પાંડોહ ડેમમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે સવારે પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વહીવટીતંત્રે બિયાસ નદીના કિનારે રહેતા લોકો તેમજ પ્રવાસીઓને નદીથી દૂર રહેવા અને પાણીની સપાટી વધે ત્યારે કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે પાણી છોડવાની પ્રક્રિયા દરમિયાન નદીના જળસ્તરમાં અચાનક વધારો થઈ શકે છે, તેથી સ્થાનિક લોકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા સંભવિત કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે લોકો માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કર્યા છે. કોઈપણ પ્રકારની આપત્તિ અથવા તાત્કાલિક મદદની જરૂર હોય તો લોકો મંડી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના 01905-226201, 01905-226202, 01905-226203 અને 01905-226204 નંબર પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત, રાજ્યનો ટોલ-ફ્રી ઈમરજન્સી નંબર 1077 પણ કાર્યરત રાખવામાં આવ્યો છે. હવામાન વિભાગે આપી વધુ વરસાદની ચેતવણી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં પણ હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે. વિભાગે ચેતવણી આપી છે કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, અચાનક પૂર, નદીઓના જળસ્તરમાં વધારો અને માર્ગ અવરોધ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વહીવટીતંત્રે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને મુસાફરી કરતા પહેલાં હવામાનની માહિતી મેળવવાની, નદી-નાળા અને ભૂસ્ખલન સંવેદનશીલ વિસ્તારોની નજીક ન જવાની તેમજ સરકારી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. રાજ્યના તમામ સંવેદનશીલ જિલ્લાઓમાં રાહત અને બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive  X : https://x.com/bindia276

BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે. જો તેમની મુલાકાત નક્કી થાય છે, તો કોવિડ-19 મહામારી અને 2020ના ગલવાન સરહદ વિવાદ બાદ આ તેમની પ્રથમ ભારત યાત્રા હશે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સરહદ મુદ્દે તણાવ રહ્યો છે. ગલવાન ઘટનાએ બંને દેશોના સંબંધોમાં મોટી અસર પેદા કરી હતી. જોકે, તાજેતરના સમયમાં બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે વાતચીત અને સંબંધોમાં સુધારા માટે પ્રયાસો થયા છે. આવી સ્થિતિમાં શી જિનપિંગની સંભવિત ભારત મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપનારી ઘટના તરીકે જોવામાં આવી રહી છે. BRICS સમિટ માટે પુતિનની હાજરીની પણ શક્યતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ BRICS શિખર સંમેલનમાં ભાગ લે તેવી શક્યતા છે. ક્રેમલિન તરફથી પણ પુતિનની ભારત મુલાકાત અંગે સંકેત આપવામાં આવ્યા છે. ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી વ્યૂહાત્મક સંબંધો રહ્યા છે. સંરક્ષણ, ઊર્જા, વેપાર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સતત સહયોગ જોવા મળે છે. યુક્રેન યુદ્ધ બાદ બદલાયેલા વૈશ્વિક રાજકીય સમીકરણોમાં ભારત-રશિયા સંબંધો પર પણ સમગ્ર વિશ્વની નજર છે. BRICS સમિટ માટે ઈરાનની ભાગીદારી પણ મહત્વપૂર્ણ BRICSના વિસ્તરણ બાદ ઈરાન પણ આ સંગઠનનો સભ્ય દેશ છે. તેથી BRICS બેઠકમાં ઈરાનની ભાગીદારી પણ મહત્વપૂર્ણ રહેશે. જોકે, ઈરાન તરફથી કયા સ્તરનું પ્રતિનિધિમંડળ આવશે તે અંગે અંતિમ નિર્ણય હજુ બાકી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઈરાનની ભૂમિકાને ધ્યાનમાં લેતા, BRICS બેઠકમાં ઈરાનની હાજરીને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. SCO બેઠકમાં મોદી અને વૈશ્વિક નેતાઓની મુલાકાત BRICS સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને કિર્ગિસ્તાનમાં યોજાનારી શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ભારત, રશિયા, ચીન અને ઈરાન સહિતના દેશોના નેતાઓ સામેલ થશે. SCO બેઠકમાં ક્ષેત્રીય સુરક્ષા, વેપાર, આતંકવાદ વિરોધી સહયોગ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ બાદ યોજાનારી આ બેઠક આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ બની શકે છે. ભારત-ચીન સંબંધો માટે તક જો શી જિનપિંગ ભારત આવે છે તો આ મુલાકાત ભારત-ચીન સંબંધો માટે એક મહત્વપૂર્ણ કૂટનીતિક તક બની શકે છે. બંને દેશો વચ્ચે સરહદ વિવાદ હજુ પણ એક મોટો મુદ્દો છે, પરંતુ ઉચ્ચ સ્તરીય મુલાકાતો દ્વારા સંબંધોમાં સ્થિરતા લાવવાના પ્રયાસો થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે BRICS જેવી બહુપક્ષીય બેઠકમાં બંને દેશોના નેતાઓ વચ્ચે અનૌપચારિક ચર્ચા થવાની શક્યતા પણ રહે છે, જે ભવિષ્યના સંબંધો માટે મહત્વપૂર્ણ બની શકે છે. પાકિસ્તાનને પણ મળી શકે છે ભારતનું ધ્યાન આ દરમિયાન પાકિસ્તાન તરફથી પણ ભારત સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ સંકેત સામે આવ્યું છે. પાકિસ્તાન 2027માં ઇસ્લામાબાદમાં યોજાનારી SCO શિખર બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપી શકે છે. પાકિસ્તાન સપ્ટેમ્બર 2026માં SCOની અધ્યક્ષતા સંભાળશે અને ત્યારબાદ 2027માં શિખર બેઠકની યજમાની કરશે. જો ભારત તરફથી આ આમંત્રણ સ્વીકારવામાં આવે છે તો તે બંને દેશોના સંબંધોમાં એક મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટનાક્રમ બની શકે છે. વૈશ્વિક રાજકારણમાં ભારતની ભૂમિકા મજબૂત થશે BRICS અને SCO જેવી આંતરરાષ્ટ્રીય બેઠકોની યજમાની ભારતની વધતી વૈશ્વિક ભૂમિકાને દર્શાવે છે. અમેરિકા, ચીન, રશિયા અને અન્ય મોટા દેશો વચ્ચેના બદલાતા સંબંધોમાં ભારત એક મહત્વપૂર્ણ સંતુલનકારી ભૂમિકા ભજવી રહ્યું છે. દિલ્હીમાં યોજાનારી BRICS બેઠક દરમિયાન વૈશ્વિક અર્થતંત્ર, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મુદ્દાઓ પર મોટા નિર્ણયો થઈ શકે છે. વિશ્વના મોટા નેતાઓની સંભવિત હાજરીને કારણે આ સમિટ પર સમગ્ર વિશ્વની નજર રહેશે. Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive  X : https://x.com/bindia276