પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પર પીએમ મોદીના ખાસ મંત્ર
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો સાથે દિલથી વાત કરી. પરીક્ષા સમયે આવતો તણાવ, વાંચેલું યાદ ન રહેવું, મોબાઈલ-ગેમિંગ અને ઈન્ટરનેટની વધતી લત જેવા મુદ્દાઓ પર તેમણે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે પરીક્ષાને જીવનનો અંત ન માનવો જોઈએ. પરીક્ષા એ જીવનનો એક પડાવ છે, દબાણ નહીં પરંતુ તક તરીકે જોવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે વાંચતી વખતે મન એકાગ્ર રાખો, સમજ સાથે અભ્યાસ કરો—માત્ર રટણ પર ભાર ન આપો.ગેમિંગ અને ઈન્ટરનેટ અંગે તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી ખરાબ નથી, પરંતુ તેનો અતિઉપયોગ નુકસાનકારક બની શકે છે. સમયનું આયોજન કરો, પોતાને જાતે શિસ્તમાં રાખો અને ડિજિટલ ડિટોક્સ અપનાવો.તણાવ દૂર કરવા માટે પીએમ મોદીએ યોગ, ધ્યાન, નિયમિત ઊંઘ અને સકારાત્મક…
મિર્ઝાપુરના કાલીન ભૈયા અને ગુડ્ડૂ પંડિતની સિનેમાઘરોમાં એન્ટ્રી, જાણો ક્યારે મચશે ધમાલ
ભારતીય ડિજિટલ સ્પેસમાં ‘ભૌકાલ’ શબ્દને નવી ઓળખ આપનાર વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’એ હવે એક એવું ડગલું ભરી રહી છે, જેની કલ્પના કદાચ બહુ ઓછા લોકોએ કરી હશે. મિર્ઝાપુરની દુનિયા, તેના શક્તિશાળી પાત્રો અને ધમાકેદાર સંવાદોનો જાદુ હવે મોબાઇલ અને લેપટોપની નાની સ્ક્રીનમાંથી બહાર આવીને સીધા સિનેમા ઘરોના વિશાળ પડદા પર છવાઈ જવા માટે તૈયાર છે. એમેઝોન MGM સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટએ અધિકૃત રીતે ‘મિર્ઝાપુર ધ મૂવી’ની જાહેરાત કરી છે. આ સમાચારે કરોડો ફેન્સ માટેકોઈ ઉત્સવથી ઓછા નથી જેઓ વર્ષોથી કાલીન ભૈયા અને ગુડ્ડૂ પંડિત વચ્ચેની શત્રુતાને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે આતુર હતા ક્યારે મચશે અસલી ધમાલ? ફેન્સની લાંબી રાહનો અંત લાવતા મેકર્સે આખરે ફિલ્મની રિલીઝ તારીખ પરથી પડદો ઉઠાવી દીધો છે. હવે દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી…
પી.એમ.કિસાન પોર્ટલમાં ફાર્મર રજિસ્ટ્રેશન મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે, મળી આટલા કરોડની ગ્રાન્ટ
ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પી.એમ.કિસાનમાં 88% ખેડૂતોના KYC અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 53 લાખ લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રૂ.206 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ ગુજરાતના ખેડૂતોએ કરેલ ફાર્મર રજીસ્ટ્રીની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. જેના પરિણામે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂ.206 કરોડનું સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ રાજ્ય સરકારને…
રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન”ની કામગીરી આગામી તા. 21 ફેબ્રુઆરીથી થશે શરૂ, જાણો વિગત
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. ૨૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાન…
Amreli: ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ બેલડીની લટાર, વનવિભાગ પર ઉઠયા સવાલો
બાબુ વાઢેર, જાફરાબાદ: અમરેલી જિલ્લાના જાફરાબાદના બાલાનીવાવ નજીક ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર સિંહોની લટાર જોવા મળી છે. પ્રસિદ્ધ ‘લવ–કુશ’ નામની સિંહોની જોડી નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતી અને હાઈવે પર લટાર મારતી નજરે પડી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વની વાત એ છે કે ગયા મહિને આ જ હાઈવે પર બે સિંહણ અને એક દીપડાના અકસ્માતમાં મોત થયા હતા. તેમ છતાં વનવિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. વારંવાર થતા વન્યપ્રાણી અકસ્માતો બાદ પણ હાઈવે પર જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળ્યો છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જાણે ઘાતક માર્ગ બની ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઝડપી વાહન વ્યવહારના કારણે સિંહો સતત…
ગુજરાતમાં ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ’નો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સરપંચોને જવાબદારીપૂર્વક કાર્ય કરવા આહ્વાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષનું કેન્દ્ર સરકારનું બજેટ પણ કર્તવ્યને મુખ્ય આધાર લઈને બનાવવામાં આવ્યું છે એટલું જ નહિ, આ બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તેમણે દેશના વિકાસમાં ગામડાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેમ જણાવતા સરપંચોને પણ ગામના વડા તરીકેનું કર્તવ્ય જવાબદારી પૂર્વક અદા કરીને વિકસિત ભારતના નિર્માણમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જનશક્તિને જોડવાનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો વિધાનસભા…
ચોમાસા પહેલા જ જળસંચયના કામોના આગોતરા આયોજન માટે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરોને કર્યું આહવાન, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસા પહેલા જ જળસંચયના કામોના આગોતરા આયોજન કરીને વરસાદી પાણીના વધુને વધુ સંચય તથા સંગ્રહથી જળસંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા જિલ્લા કલેકટરોને આહવાન કર્યું છે. રાજ્યમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ભારત સરકારના જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી એ આ આહવાન કર્યું હતું કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને વિભાગના સચિવ કાન્તારાવ તથા કેન્દ્ર સરકારના અન્ય અધિકારીઓ દિલ્હીથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ અને વરિષ્ઠ સચિવો ગાંધીનગરથી આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ જિલ્લાના કલેકટરોના પ્રેઝન્ટેશન સહિત વિવિધ જિલ્લા કલેકટરોએ પોતાના ક્ષેત્રોમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની પ્રગતિ તેમજ આગામી આયોજનની વિસ્તૃત વિગતો…
લુપ્ત થવાની કગારે પહોંચેલી જરીકલાને 120 વર્ષથી જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર, યુવા પેઢીની પસંદ બની જરી સાડીઓ
ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા આગવી ઓળખ ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના ગ્રંથોમાં ઉલ્લેખિત થયેલી અને આજે GI ટેગ ધરાવતી સુરતની જરીકલા, જરી-જરદોશી વર્ક પ્રાચીન સમયથી ચાલતી આવતી એક અમૂલ્ય પરંપરા છે. આવી જ પરંપરાને સુરતના સગરામપુરાનો જરીવાલા પરિવાર છેલ્લા 120 વર્ષથી વધુ સમયથી જીવંત રાખી રહ્યો છે. સુરતની ઓળખ માત્ર ખાણીપીણી કે ઉદ્યોગોથી નહીં, પરંતુ જરી ઉદ્યોગ જેવી પરંપરાગત કલાઓથી પણ બનેલી છે. સુરતના સગરામપુરાના એક જ પરિવાર દ્વારા પેઢી દર પેઢી સંવર્ધિત થતા પરંપરાગત જરી ઉદ્યોગની શરૂઆત જેકીશનદાસ ચપડીયા દ્વારા કરવામાં આવી હતી. સમય બદલાતો ગયો તેમ પેઢીઓ બદલાતી ગઈ, પરંતુ જરીનો વારસો યથાવત રહ્યો. આજે આ પરિવારની નવી પેઢી…
‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ના બીજા દિવસે સુરત ખાતે ‘MSME કોન્કલેવ’ યોજાશે, જાણો વિગત
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગુજરાતમાં મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં અગાઉ 10 વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે. આ આયોજનના ભાગરૂપે સુરત ખાતે આગામી તા. 9 અને 10 એપ્રિલ-2026ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વગેરે બહુ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે, તા. 10 એપ્રિલ, 2026ના રોજ ‘MSME…
અજિત પવારના મૃત્યુ અંગે સંજય રાઉતે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો, જાણો શું કહ્યું
શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે અજિત પવારના મૃત્યુ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. બજેટ સત્રમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા સંજય રાઉતે કહ્યું કે અજિત પવારના વિમાન દુર્ઘટના અંગે પ્રશ્નો ઉભા થવા જોઈએ. તેમણે કહ્યું કે આ ઘટના તેમને જસ્ટિસ લોયા કેસની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં કંઈક ખોટું છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ આવા જ પ્રશ્નો ઉઠાવ્યા છે. દેશમુખે કહ્યું કે હવામાન એકદમ સ્પષ્ટ હતું, દૃશ્યતા સારી હતી, તો પછી વિમાન અચાનક કેવી રીતે ઝૂકી ગયું. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. સંજય રાઉતે કહ્યું કે અજિત પવારનું મૃત્યુ કોઈ સામાન્ય ઘટના નહોતી પણ શંકાસ્પદ ઘટના હતી. ભાજપના સભ્યો તેમને સિંચાઈ કૌભાંડની ફાઇલ લઈને…
















