BLO પર કામનું ભારણ,મોતનું કારણ ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
મહેસાણામાં BLO નું હાર્ટ-એટેકથી મોત દીવસે સર્વર કામ ન કરતાં રાત્રે કરવી પડી SIRની કામગીરી આચાર્ય રાત્રે 2 વાગ્યે કામગીરી કરતા હતા ને ઢળી પડ્યા મૃતક દિનેશ રાવળે SIRની કામગીરી લગભગ 70% જેટલી પૂરી કરી હતી. મૃતક સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય હતા રાજ્યમાં 10 દિવસમાં 5 BLO કર્મચારીના મોત SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો મોડીરાત સુધી મહેનત કરવા છતાં, અધિકારીઓ ત્રાસ આપે – BLO Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાત આવેલ કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની મોટી જાહેરાત, હાઇવે માટે કેન્દ્ર સરકાર આપશે 20,000 કરોડ
કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ આ બેઠકમાં અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ કરી કે, રસ્તાઓની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય તથા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાય તે અતિ આવશ્યક છે. નિતીન ગડકરીએ કહ્યુ કે, નેશનલ હાઈવેના નિર્માણ અને રીસર્ફેસીંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાશે નહિ. એટલુ જ નહી, નક્કિ કરેલી સમય મર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ નહિ થાય અને નિષ્કાળજી જણાશે તો ઈજારદારને બ્લેકલિસ્ટ કરવા સુધીના કડક પગલા પણ લેવાશે. 20 હજાર કરોડની મળશે કેન્દ્રમાંથી સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રિય મંત્રીને અનુરોધ…
ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદ 2030 Commonwealth Gamesનું યજમાન બન્યું
2030માં અમદાવાદને Commonwealth Games (CWG) ના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આગામી આઇએફ (International Federation) અને Commonwealth Games Federation (CGF) ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા મતદાનમાં અમદાવાદને વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ ગેમ્સ માત્ર રમત મહોત્સવ નહીં, પરંતુ Commonwealth Gamesના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે Centenary Edition તરીકે પણ ઉજવાશે. હર્ષ સંઘવીની પ્રતિભાવ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું,”આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થતા આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં, પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.” અમદાવાદમાં તૈયારીઓ આ યજમાનીની તૈયારી માટે શહેરમાં તમામ…
રાજકોટમાં સરકારી શિક્ષકોની હેવાનિયત, યુવતી પર દુષ્કર્મ, ન્યૂડ ફોટા વડે બ્લેકમેલિંગ કરી લખો પડાવ્યા
રાજકોટ શહેરમાં માનવતા શર્મસાર બને તેવી ચોંકાવનારી ઘટના બહાર આવી છે. પડધરીની સરકારી શાળાના શિક્ષક મુકેશ સોલંકી અને મોરબીની સરકારી શિક્ષિકા પ્રીતિ ઘેટીયા દ્વારા એક યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ સાથે, આરોપીઓએ યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી કુલ ₹4.25 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઓળખાણથી લઈને ફસાવવાની આખી કાવતરાખોરી ફરિયાદ મુજબ, ભોગ બનનાર યુવતીની શરૂઆત પ્રીતિ ઘેટીયા સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ પ્રીતિએ યુવતીનો પરિચય મુકેશ સોલંકી સાથે કરાવ્યો. બંનેએ મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને યુવતીને સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક આવેલા પ્રીતિના ફ્લેટ પર બોલાવી હતી. ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ મુકેશ સોલંકી દ્વારા દુષ્કર્મ કરાયું હતું. ન્યૂડ ફોટા…
ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો મહત્વનો નિર્ણય, વિધાનસભાના સચિવને લખેલ આ પત્ર જાણો કેમ ચર્ચામાં
ગુજરાત વિધાનસભાના સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો એક પત્ર હાલ ચર્ચામાં છે. આ પત્ર સકારાત્મક રીતે ચર્ચામાં આવ્યો છે. બલવંતસિંહ રાજપૂતે વિધાનસભાના સચિવને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હું અગાઉ ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી હતો ત્યારે પણ સરકારમાંથી કોઈ જ પગાર-ભથ્થા લેતો નહોતો. આજેપણ મને મળવાપાત્ર કોઈ જ પગાર-ભથ્થા હું સ્વીકારતો નથી. ગુજરાતમાં બહુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ સચિવાલય તરફથી સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી બળવંતસિંહ રાજપૂતને એક પત્ર લખવામાં આવ્યો હતો અને પગાર-ભથ્થાની આકારણી માટે જરુરી વિગત માંગવામાં આવી હતી. જેના જવાબમાં બળવંતસિંહ રાજપૂતે પત્ર લખી અને પગાર ભથ્થા લેવાનો ઈન્કાર કર્યો છે. મહત્વની વાત એ છે કે, બળવંતસિંહ રાજપૂત જ્યારે ગુજરાત સરકારમાં ધારાસભ્ય કે મંત્રી પદ પર ન હતા અને…
કેમ થઈ રહ્યો છે જીગ્નેશ મેવાણીનો વિરોધ, પોલીસને શું આપી હતી ધમકી
ગુજરાતમાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ પહેલા આપેલ એક નિવેદનને લઈ પોલીસ તંત્રમાં ભારે રોષ છે. જેને લઈને લોકોએ પણ પોલીસ તંત્રને ટેકો આપ્યો છે. આ સાથે જ હવે લોકો પણ જીગ્નેશ મેવાણી સામે મેદાને ઉતાર્યા છે. આ વિરોધ વાવ થરાદ, અમરેલી અને હવે કચ્છ સુધી પહોંચ્યો છે. ગઇકાલે પાલનપુરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ સાથે જ લોકોએ જીગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. અને જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી. જાણો શું છે મામલો વાવ થરાદમાં આ વિવાદનું મૂળ છે. જીગ્નેશ મેવાણી બે દિવસ પહેલા શિવનગરના લોકો સાથે થરાદ SP કચેરી…
જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું બ્રિજનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3750 મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન 16.50 મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન 8.40 મીટરના છે. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે, પરિણામે ઇંધણ અને સમયની બચત થશે. વધુમાં, સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ…
ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો વહીવટી નિર્ણય, 39 મામલતદારોની સામૂહિક બદલી
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે આજે એક મહત્વપૂર્ણ વહીવટી પગલું ભરતાં 39 મામલતદારોની સામૂહિક બદલી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની મહેસૂલ વ્યવસ્થા વધુ દ્રઢ બને, કાર્યક્ષમતા વધે અને નાગરિક સેવાઓની ગુણવત્તામાં વધારો થાય તે હેતુથી આ ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે. વધતા કેસ અને વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને ફેરફારો સરકારી સૂત્રો મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલાંક જિલ્લાઓમાં: – જમીન સંબંધિત કેસોની વધતી સંખ્યા – વિકાસ પ્રોજેક્ટ્સની ગતિ – લોકઅરજીઓમાં વધારો ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે અનુભવી મામલતદારોને વ્યસ્ત તાલુકાઓમાં નિમણૂંક કરી છે. બીજી તરફ, અમુક અધિકારીઓને શાંત અને ઓછી વહીવટી દબાણ ધરાવતા તાલુકાઓમાં બદલી કરવામાં આવી છે. વહીવટી કાર્યક્ષમતામાં સુધારો લાવવા પ્રયાસ મામલતદાર એક તાલુકામાં અનેક મહત્વપૂર્ણ ફરજો બજાવે છે જેમ કે: – જમીન માપણી અને સર્વે –…
વડોદરા: ચૂંટણી પંચની SIR કામગીરીને લઈને શિક્ષકોમાં કચવાટ, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
ચૂંટણી પંચની SIR (Systematic Inspection Report) કામગીરીને કારણે વડોદરાના શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહી છે. ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. શિક્ષકોની રજૂઆત મુજબ, BLO (Booth Level Officer) સંબંધિત કામગીરીમાં વ્યસ્ત રહેવાના કારણે શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. તેમણે માંગ કરી છે કે ચૂંટણી પંચ સરકારની અન્ય એજન્સીઓને પણ આ કામગીરી સોંપે, જેથી શિક્ષકો શાળામાં પુરી રીતે ફોકસ કરી શકે. હવે આ મુદ્દે શિક્ષકોની રજૂઆતને ધ્યાનમાં લઈ કયા પગલાં લેવાય તે જોવાનું રહેશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
NIAના 5 રાજ્યોમાં દરોડા, જાણો શું છે મામલો
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ગુરુવારે અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરાના સંદર્ભમાં પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સામેલ હોવાની શંકા છે. NIA એ પાંચ રાજ્યોમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIA ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે NIA ટીમોએ બુધવારે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળોની તપાસ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ કેસ 2023 માં નોંધવામાં આવ્યો હતો અને તેમાં ચાર બાંગ્લાદેશી નાગરિકો – મોહમ્મદ સોજીબ મિયાં, મુન્ના ખાલિદ અંસારી, અઝરુલ ઇસ્લામ અને અબ્દુલ લતીફના નામ છે. આરોપીઓ નકલી ભારતીય ઓળખ દસ્તાવેજોનો…
















