‘ગાંજા કાંડ’ બાદ એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, ગ્રૂપના તમામ પાયલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રીનિંગ

એર ઇન્ડિયા ગ્રૂપે પાયલટોની સલામતી અને મુસાફરોના વિશ્વાસને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. 13 ઓગસ્ટ 2026થી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના તમામ પાયલટોનું ફરજિયાત સાયકોએક્ટિવ સબસ્ટન્સ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં ઉડ્ડયન નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થો અને કેટલીક પ્રતિબંધિત દવાઓની તપાસ કરવામાં આવશે. આ નિર્ણય 4 ઓગસ્ટની ફુકેત-દિલ્હી ફ્લાઇટ AI2379 સાથે જોડાયેલી ગંભીર ઘટનામાં પાયલટના મારિજુઆના ટેસ્ટના પોઝિટિવ પરિણામ બાદ લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયાના તમામ પાયલટોની થશે તપાસ એર ઇન્ડિયાના નવા નિર્ણય હેઠળ માત્ર શંકાસ્પદ પાયલટો જ નહીં, પરંતુ ગ્રૂપના તમામ પાયલટોને સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ટેસ્ટ ટ્રેનિંગ સેશન દરમિયાન, ફ્લાઇટ બાદ તેમજ પાયલટોના નિર્ધારિત બેઝ અને અન્ય સ્થળોએ કરવામાં આવશે. કંપનીના ગુરુગ્રામ ટ્રેનિંગ એકેડેમી, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અને…

ઈન્ડિગોની આગામી 2–3 દિવસ વધુ ફ્લાઇટ્સ રદ થશે, DGCA પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખી રહ્યું

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો (IndiGo) છેલ્લા બે દિવસથી ચાલતી ફ્લાઇટ રદ્દી અને લાંબા વિલંબની સમસ્યા વચ્ચે ભારે દબાણમાં છે. દેશભરના એરપોર્ટ્સ પર મુસાફરોની મોટી સંખ્યાએ સોશિયલ મીડિયા પર થયેલી ભારે નારાજગી બાદ DGCA (Directorate General of Civil Aviation) એ ઈન્ડિગો મેનેજમેન્ટને તાત્કાલિક સ્પષ્ટીકરણ માટે બોલાવ્યું છે. ઈન્ડિગોએ DGCA ને જાણ કરી છે કે શેડ્યૂલને સ્થિર કરવા માટે આવતા 2–3 દિવસ સુધી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે ઓપરેશન્સને સામાન્ય કરવા માટે ફ્લાઇટ્સની સંખ્યા તાત્કાલિક ઘટાડવી જરૂરી છે. ઓપરેશન્સ સામાન્ય કરવાનું ઈન્ડિગોનું પહેલું લક્ષ્ય ન્યૂઝ એજન્સી PTI મુજબ, ઈન્ડિગોએ DGCA ને ખાતરી આપી છે કે 8 ડિસેમ્બરથી વિક્ષેપો ઘટાડવા માટે ફ્લાઇટ ઓપરેશન્સ ઘટાડવાનું શરૂ કરશે. કંપનીના CEO પીટર એલ્બર્સે આંતરિક મેમોમાં જણાવ્યું કે…

ઈથોપિયાના જ્વાળામુખી વિસ્ફોટનો પ્રભાવ ભારત સુધી, દિલ્હી સહિત અનેક શહેરોમાં રાખના વાદળ

ઈથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીના શક્તિશાળી વિસ્ફોટનો પ્રભાવ હવે ભારતમાં પણ જોવા મળ્યો છે. હજારો કિલોમીટર દૂર થયેલા આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખનો વિશાળ વાદળ ઉત્તર ભારતનાં આકાશમાં પ્રવેશતા ચિંતા વધારાઈ છે. રાખનું આ વાદળ ફ્લાઇટ સલામતી માટે મોટો ખતરો બને એવી સ્થિતિમાં DGCAએ એરલાઇન્સને સતર્કતા સૂચનાઓ જારી કરી છે. ઈથોપિયાની રાખ સીધી ભારત સુધી સોમવારે રાત્રે 11 વાગ્યે ઈથોપિયાના 10,000 વર્ષ જૂના જ્વાળામુખી વિસ્ફોટની રાખ ભારતના હવામંડળમાં પ્રવેશી હતી. આ રાખનો વાદળ: – 130 કિમી પ્રતિ કલાકની ઝડપે લાલ સમુદ્ર પાર કરીને – સૌપ્રથમ જોધપુર અને જેસલમેરમાં દેખાયો – બાદમાં દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સુધી ફેલાઈ ગયો – વિજ્ઞાનીઓ અનુસાર રાખ 25,000 થી 45,000 ફૂટની ઊંચાઈએ છે, એટલે જમીન સ્તરે લોકોના આરોગ્ય પર હાલ કોઈ મોટો ખતરો…