ઈથોપિયાના જ્વાળામુખી વિસ્ફોટનો પ્રભાવ ભારત સુધી, દિલ્હી સહિત અનેક શહેરોમાં રાખના વાદળ

ઈથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીના શક્તિશાળી વિસ્ફોટનો પ્રભાવ હવે ભારતમાં પણ જોવા મળ્યો છે. હજારો કિલોમીટર દૂર થયેલા આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખનો વિશાળ વાદળ ઉત્તર ભારતનાં આકાશમાં પ્રવેશતા ચિંતા વધારાઈ છે. રાખનું આ વાદળ ફ્લાઇટ સલામતી માટે મોટો ખતરો બને એવી સ્થિતિમાં DGCAએ એરલાઇન્સને સતર્કતા સૂચનાઓ જારી કરી છે.

ઈથોપિયાની રાખ સીધી ભારત સુધી
સોમવારે રાત્રે 11 વાગ્યે ઈથોપિયાના 10,000 વર્ષ જૂના જ્વાળામુખી વિસ્ફોટની રાખ ભારતના હવામંડળમાં પ્રવેશી હતી.
આ રાખનો વાદળ:
– 130 કિમી પ્રતિ કલાકની ઝડપે લાલ સમુદ્ર પાર કરીને
– સૌપ્રથમ જોધપુર અને જેસલમેરમાં દેખાયો
– બાદમાં દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સુધી ફેલાઈ ગયો
– વિજ્ઞાનીઓ અનુસાર રાખ 25,000 થી 45,000 ફૂટની ઊંચાઈએ છે, એટલે જમીન સ્તરે લોકોના આરોગ્ય પર હાલ કોઈ મોટો ખતરો નથી.

ફ્લાઇટ સલામતી પર મોટો ખતરો: અનેક ફ્લાઇટ્સ રદ
જ્વાળામુખીની રાખના સૂક્ષ્મ કણો વિમાનના એન્જિનમાં ગંભીર નુકસાન કરી શકે છે. આને ધ્યાનમાં રાખીને DGCAએ તરત જ એલર્ટ જાહેર કર્યું છે.

કયા પગલા લેવાયા?
– એરલાઇન્સને રાખવાળા એર–રાઉટ ટાળવા આદેશ
– કેટલીક ફ્લાઇટ્સ રીરાઉટ
– ઘણી ફ્લાઇટ્સ રદ
– એર ઈન્ડિયા, અકાસા અને ઇન્ડિગોની સ્પેશિયલ મોનિટરિંગ
– આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને અરબી સમુદ્ર–ઓમાન તરફથી ચક્કર લગાવીને મોકલવામાં આવી
– રીરૂટિંગને કારણે અનેક ફ્લાઇટ્સ ડિલે પણ થઈ રહી છે.

દિલ્હી–NCRમાં AQI 300 થી 350 પાર
– AccuWeather મુજબ સવારે દિલ્હીમાં AQI 300 સુધી પહોંચ્યો
– CPCBના માપદંડ પ્રમાણે રાતે કેટલીક જગ્યાએ AQI 350 થી ઉપર
– પરંતુ નિષ્ણાતો કહે છે કે જમીન પરનું પ્રદૂષણ મુખ્યત્વે સ્થાનિક પોલ્યુશન છે; જ્વાળામુખીની રાખ જમીન સ્તરે ઓછો પ્રભાવ પોહચાડે છે.

SO₂નું પ્રમાણ વધ્યું: નેપાળ અને હિમાલય વિસ્તારમાં અસર શક્ય
ઇન્ડિયા મેટસ્કાય મુજબ:
– વાદળમાં Salphur Dioxide (SO₂)નું પ્રમાણ વધારે
– રાખનું પ્રમાણ ઓછું થી મધ્યમ
– SO₂નું સ્તર ઉત્તર પ્રદેશ તરાઇ, નેપાળ અને હિમાલય વિસ્તારમાં થોડું વધી શકે

ઈથોપિયામાં ભારે નુકસાન
જ્વાળામુખી વિસ્ફોટથી સ્થાનિક ગામો રાખના જાડા પડથી ઢંકાઈ ગયા છે:
– ખેતીને ભારે નુકસાન
– પશુપાલન ઉપર અસર
– અનેક ગામોમાં સ્થળાંતરની કામગીરી
– ઈમર્જન્સી ટીમો સતત રાહત કામગીરીમાં

ઈથોપિયાના જ્વાળામુખી વિસ્ફોટની રાખ ભારત સુધી પહોંચવી એક અસામાન્ય પરંતુ વૈજ્ઞાનિક રીતે શક્ય ઘટના છે. જમીન સ્તરે આરોગ્ય પર મોટો ખતરો નથી,પણ હવાઈ ટ્રાફિક માટે હાલની પરિસ્થિતિ ગંભીર બની છે. એરલાઈન્સ અને હવામાન એજન્સીઓ સતત મોનીટરીંગ કરી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

EPFOનો મોટો નિર્ણય: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે PFની પગાર મર્યાદા ₹15,000થી વધીને ₹25,000 થશે

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલા કર્મચારીઓ માટે સરકાર મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. નાણાં મંત્રાલયે અનિવાર્ય પ્રોવિડન્ટ ફંડ (PF) અને એમ્પ્લોઈ પેન્શન સ્કીમ (EPS) હેઠળ આવતી પગાર મર્યાદા ₹15,000 પ્રતિ માસથી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની અંતિમ મંજૂરી મળ્યા બાદ નવી વ્યવસ્થા અમલમાં આવશે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી PFના દાયરાથી બહાર રહેલા હજારો નહીં પરંતુ લાખો ખાનગી કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો સીધો લાભ મળશે. નિષ્ણાતોના મતે, આ પગલું સંગઠિત ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે લાંબા ગાળે નાણાકીય સુરક્ષા મજબૂત બનાવશે. EPFOનો શું છે હાલનો નિયમ? હાલની વ્યવસ્થા મુજબ જે કર્મચારીઓનો…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાના સંકેત? ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં 5%નો કડાકો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાતા ભારતના પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિક વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ઓછો થઈ શકે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાય અંગેની ચિંતા ઘટી છે અને ભાવમાં ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પની જાહેરાતથી પેટ્રોલ-ડીઝલ બજારમાં હલચલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સંભવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે ટાળવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે સીધી વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.…