Amreli: ઝર ગામના ખેડૂતને 5 વર્ષ બાદ મળી પોતાની જમીન, પોલીસની કામગીરી ઉડીને આંખે વળગી
ધારી તાલુકાના ઝર ગામે છેલ્લા 5 વર્ષથી પોતાની ખેતીની જમીન પર ન્યાય માટે સંઘર્ષ કરતા ખેડૂત જયસુખ સોલંકીને આખરે ન્યાય મળ્યો છે. અમરેલી એસ.પી. સંજય ખરાત અને તેમની ટીમની તકેદારી અને કાર્યક્ષમતાના પરિણામે ખેડૂતને તેની જમીન પર અધિકાર પુનઃસ્થાપિત કરાવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી “તેરા તુજકો અર્પણ” પહેલ અંતર્ગત, જમીન વિવાદોના નિકાલ માટે લાગતી પોલીસ અને પ્રશાસકીય પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવામાં આવી છે. આ કિસ્સો એ પહેલનો જીવંત ઉદાહરણ બની રહ્યો છે. “તેરા તુજકો અર્પણ” હેઠળ ઝરના ખેડૂતને પોતાની જમીન 5 વર્ષ બાદ પરત મળતા રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રી સમક્ષ રજૂઆત જમીન પર અધિકાર મેળવ્યા બાદ, ખેડૂત જયસુખ સોલંકી પોતાના પરિવાર સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા. તેઓની સાથે એસ.પી.…
મહેસુલ વિભાગે લીધા મહત્ત્વના નિર્ણયો, અરજી કર્યાના 10 દિવસમાં મળશે NA
રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ બનાવવા અને સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. વિગતો આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા હેતુફેર/ શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રિમિયમ પણ ભરવાનું રહે છે. આ જમીનો જૂની શરતની ગણાશે મુખ્યમંત્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ…
રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, હવે આ તારીખ સુધી થશે ટેકાના ભાવે તુવેરની ખરીદી
ખેડૂતોને લઈ રાજ્ય સરકારે ફરી એક વાર મહત્વનો નિર્ણય લીધો છે. આ દરમિયાન રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તા. 30 એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂ. 7,550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના 1.23 લાખથી વધુ ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં સરકારે 841 કરોડની ખરીદી તુવેર:- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે…









