ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા મોદી સરકારનું ‘મેગા ઓપરેશન’, આવતીકાલે પ્રથમ ટુકડી વતન પરત
ઈરાનમાં આર્થિક કટોકટી અને રાજકીય અસ્થિરતાને કારણે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ ઇરાનમાં ભારતીયો માટે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. અત્યાર સુધી આશરે 3428 લોકોના મોતની જાણ થઈ છે. ભારત સરકારે ઈરાનમાં ફસાયેલા ૧૦,૦૦૦થી વધુ ભારતીય નાગરિકો, જેમાં મોટાભાગે વિદ્યાર્થી અને શ્રદ્ધાળુઓ છે, તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કું: – આવતીકાલે સવારે ૮ વાગ્યે પ્રથમ બેચ ભારત માટે મોકલાશે. – સૌથી જોખમી વિસ્તારોમાં રહેલા વિદ્યાર્થીઓને પહેલાં લાવવામાં આવશે. – વિદેશ મંત્રાલય અને ઈરાન સરકાર દ્વારા જરૂરી મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. સુવિધા અને તૈયારીઓ: – પેસેન્જર મેનિફેસ્ટ તૈયાર કરી રહેલ છે. – ભારતીય દૂતાવાસ ઈરાનમાં ફસાયેલા લોકોની વિગતો એકત્ર કરી રહ્યું છે. – વિદ્યાર્થીઓને તમામ દસ્તાવેજો અને સામાન સાથે તૈયાર રહેવાની સૂચના આપી છે.…







