મિર્ઝાપુરના કાલીન ભૈયા અને ગુડ્ડૂ પંડિતની સિનેમાઘરોમાં એન્ટ્રી, જાણો ક્યારે મચશે ધમાલ
ભારતીય ડિજિટલ સ્પેસમાં ‘ભૌકાલ’ શબ્દને નવી ઓળખ આપનાર વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’એ હવે એક એવું ડગલું ભરી રહી છે, જેની કલ્પના કદાચ બહુ ઓછા લોકોએ કરી હશે. મિર્ઝાપુરની દુનિયા, તેના શક્તિશાળી પાત્રો અને ધમાકેદાર સંવાદોનો જાદુ હવે મોબાઇલ અને લેપટોપની નાની સ્ક્રીનમાંથી બહાર આવીને સીધા સિનેમા ઘરોના વિશાળ પડદા પર છવાઈ જવા માટે તૈયાર છે. એમેઝોન MGM સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટએ અધિકૃત રીતે ‘મિર્ઝાપુર ધ મૂવી’ની જાહેરાત કરી છે. આ સમાચારે કરોડો ફેન્સ માટેકોઈ ઉત્સવથી ઓછા નથી જેઓ વર્ષોથી કાલીન ભૈયા અને ગુડ્ડૂ પંડિત વચ્ચેની શત્રુતાને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે આતુર હતા ક્યારે મચશે અસલી ધમાલ? ફેન્સની લાંબી રાહનો અંત લાવતા મેકર્સે આખરે ફિલ્મની રિલીઝ તારીખ પરથી પડદો ઉઠાવી દીધો છે. હવે દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી…







