મહારાષ્ટ્રના હિન્દુઓ ઇચ્છે છે કે ઔરંગઝેબની કબરના દરેક નિશાન ભૂંસી નાખવામાં આવે: ટી રાજા

મુઘલ શાસક ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. દરમિયાન, રવિવારના રોજ પુણેમાં એક કાર્યક્રમમાં બોલતા, તેલંગાણાના ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યું કે મહારાષ્ટ્રના હિન્દુઓ ઈચ્છે છે કે ઔરંગઝેબની કબર રાજ્યમાંથી દૂર કરવામાં આવે. તેમણે પૂછ્યું કે ઔરંગઝેબની કબર ક્યારે તોડી પાડવામાં આવશે? હવે મારો એક જ સંકલ્પ છે – ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો અને ઔરંગઝેબની કબર દૂર કરવાનો.”ભાજપના ધારાસભ્ય ટી રાજાએ કહ્યું, “દુર્ભાગ્ય જુઓ, આપણા છત્રપતિ સંભાજી મહારાજને ઔરંગઝેબે કોલ્હાપુરમાં 39 દિવસ સુધી ત્રાસ આપીને પછી ફાંસી આપી . શું આપણા આજના નેતાઓને ઇતિહાસ કહેવાની જરૂર છે? જો તમે મહારાષ્ટ્રના કોઈપણ બાળકને પૂછો કે ઔરંગઝેબે સંભાજી મહારાજને કેવી રીતે માર્યા, તો મહારાષ્ટ્રનો દરેક બાળક તમને કહેશે કે ઔરંગઝેબે સંભાજી મહારાજને…