ચૂંટણી પહેલા આસામ કોંગ્રેસને મોટો ફટકો, આ દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું
આગામી થોડા મહિનામાં આસામમાં ચૂંટણીઓ યોજાવાની છે, અને તે પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રિપુન બોરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યા બાદ રિપુન બોરાએ 2021 માં પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા. તરુણ ગોગોઈ સરકારના સતત બે કાર્યકાળ દરમિયાન તેમણે મંત્રી તરીકે સેવા આપી હતી અને 2001 માં તેઓ પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે લગભગ પાંચ વર્ષ સુધી આસામ કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપી. તેમણે 2016 માં પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું. તે જ વર્ષે, તેઓ રાજ્યસભામાં પણ ચૂંટાયા, તેમનો કાર્યકાળ 2022…
રિવાબા જાડેજાએ 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ કરી મોટી ભવિષ્યવાણી; જાણો શું કહ્યું
ગુજરાત પ છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીનું ફોકસ વધારે છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધીએ આજે ગુજરાતને લઈ X પર પોસ્ટ કરવામાં આવી હતી. જેને લઈને રિવાબા જાડેજા મેદાને ઉતાર્યા છે અને તેમણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીને રિવાબાએ 2027ની ચૂંટણીને લઈને પણ જણાવ્યું કે, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઇ જશે. ગુજરાતમાં દારૂબંધી મામલે રાજકારણ ગરમ છે. જીગ્નેશ મેવાણીના પોલીસને લઈને નિવેદન બાદ વિઓધ શરૂ થયો હતો. ત્યાર બાદ સમર્થન મામલે આવેદન પત્રો દેવાના શરૂ થયા. આ દરમિયાન ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે આજે રાહુલ ગાંધીએ x પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે દારૂબંધી અને ડ્રગ્સ મામલે સરકારને ઘેરી હતી. જેમનો જવાબ રિવાબાએ આપ્યો હતો. રિવાબાએ શું કરી પોસ્ટ રાહુલ ગાંધીની પોસ્ટમાં જવાબ આપતા રિવાબાએ…
બિહારનો બાજીગર કોણ..? | | GUJARATI NEWS BULLETIN
ઘણા સમયની આતુરતાનો અંત…શું લાગી રહ્યું છે કોણ બનશે બિહારનો બોસ એક્ઝિટ પોલના જે આંકડાઓ જાહેર થયા શું લાગી રહ્યું તે તરફી જ પરીણામ છે કે કેમ કહી શકાય કે મત ગણતરીની દોડ શરૂ થઈ ગઈ છે અને આ એકલ દોડ નહી પણ રીલે રેસ છે કારણ કે આમાં એક પાર્ટનર કેટલી સીટો લાવશે અને બીજો પાર્ટનર કેટલી સીટો લાવશે તે મહત્વનું રહેશે
બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન | GUJARATI NEWS BULLETIN
બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન 18 જિલ્લાની 121 બેઠકો માટે મતદાન 9 વાગ્યા સુધી 13.13 ટકા સુઘીનુ મતદાન થયું પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો અને 1314 ઉમેદવારો પહેલા તબક્કામાં 16 મંત્રીઓનુ ભાવિ દાવ પર ભાજપના 11 અને જેડિયુના 6 મંત્રીઓનુ નક્કી થશે ભાવી
BJPની કમાન નડ્ડાના હાથમાં જ રહશે ! ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે રાહ જોવી પડશે ,જાણો શું છે કારણ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જેપી નડ્ડા આગામી ચૂંટણી સુધી ભાજપના પ્રમુખ રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ચૂંટણી થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી છે. રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં થોડો વિલંબ થશે. પાર્ટી પ્રમુખની ચૂંટણી ક્યારે થશે તે હાલમાં સ્પષ્ટ નથી. ભાજપ અગાઉ આગામી મહિનામાં એટલે કે મે મહિનામાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરવા જઈ રહ્યું હતું. પરંતુ પહેલગામ હુમલા બાદ હવે આ ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રમાં સત્તામાં હોવાથી, ભાજપ હાલમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન પહેલગામ હુમલા પર કેન્દ્રિત કરવા માંગે છે. તેથી, પાર્ટી પ્રમુખની ચૂંટણી થોડા…
માયાવતીએ રાહુલ ગાંધીને કહ્યું બીજા પર આંગળી ચીંધતા પહેલા પોતાની અંદર જુઓ
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ તેમની સામેના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો આકરો વિરોધ કર્યો છે. બસપા નેતાએ રાહુલ ગાંધીને પોતાની અંદર જોવાની સલાહ આપી અને કહ્યું કે બીજાઓ પર આંગળી ચીંધતા પહેલા તેમણે પોતાની જાતને જોવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે દિલ્હીમાં ભાજપની બી ટીમ તરીકે ચૂંટણી લડી, જેના કારણે ભાજપ દિલ્હીમાં જીત્યો. બસપા સુપ્રીમો માયાવતીએ રાહુલ ગાંધીના નિવેદનનો આકરો વિરોધ કરતા કહ્યું કે, ‘આ સામાન્ય ચર્ચા છે કે કોંગ્રેસે આ વખતે દિલ્હી વિધાનસભાની સામાન્ય ચૂંટણી ભાજપની બી ટીમ તરીકે લડી હતી, જેના કારણે ભાજપ અહીં સત્તામાં આવી છે.’ નહિંતર, આ ચૂંટણીમાં કોંગ્રેસની હાલત આટલી ખરાબ ન હોત. તેથી, આ પાર્ટીના સર્વોચ્ચ નેતા રાહુલ ગાંધી, કોઈપણ બાબતમાં બીજાઓ પર, ખાસ કરીને બસપાના વડા પર,…
કેજરીવાલનું મોટુ એલાન, ચૂંટણી પછી ભાડૂઆતોને પણ આપીશું મફત વીજળી અને પાણીની સુવિધા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી દીધું છે. દુઃખની વાત છે કે ભાડૂઆતો આનો લાભ લઈ શકતા નથી. આના ઘણા કારણો હોઈ શકે છે. મારું માનવું છે કે ભાડૂઆતોને પણ આનો લાભ મળવો જોઈએ.તેમણે કહ્યું, “દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી, અમે એક યોજના લઈને આવીશું જેના હેઠળ ભાડૂઆતોને પણ મફત વીજળી અને પાણીનો લાભ મળશે. -> ભાડૂઆતોને મફત વીજળી અને પાણી યોજનાનો લાભ મળશે :- મફત વીજળી અને પાણીના મુદ્દા પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીવાસીઓને 200 યુનિટથી મફત વીજળી મળે છે. ૨૦૦ થી ૪૦૦ યુનિટ પર અડધો ચાર્જ વસૂલવામાં આવે છે. દિલ્હીમાં રહેતા ભાડૂઆતોને વિવિધ કારણોસર…
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આજે રાજીનામું આપી શકે છે, તેમની જ પાર્ટીમાં વધી રહ્યો છે વિરોધ
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાનું પદ છોડવાના છે. અખબાર ધ ગ્લોબ એન્ડ મેલના અહેવાલ મુજબ, જસ્ટિન ટ્રુડો આજે રાજીનામું આપી શકે છે. લિબરલ પાર્ટીમાં વધી રહેલા મતભેદ અને સભ્યો દ્વારા તેમના પર દબાણ લાવવામાં આવતા ટ્રુડોએ આ મોટો નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.ધ ગ્લોબ એન્ડ મેલ મુજબ, લિબરલ પાર્ટીમાં અસંતોષ અને ઝઘડો વધી રહ્યો છે. આ મામલે લિબરલ પાર્ટીની આંતરિક બાબતોની જાણકારી ધરાવતા ત્રણ અગ્રણી સ્ત્રોતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટ્રુડો તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે. 8 જાન્યુઆરીએ બુધવારે નેશનલ લિબરલ પાર્ટીની સંસદીય પાર્ટીની બેઠક યોજાવા જઈ રહી છે, જે પહેલા ટ્રુડોના રાજીનામાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. -> ટ્રુડોનો સત્તામાં પ્રવેશ અને ચૂંટણી યાત્રા :- જસ્ટિન ટ્રુડો 2015માં પહેલીવાર ચૂંટણી જીતીને કેનેડામાં…














