ભારતની શિક્ષણ પ્રણાલીની હત્યા બંધ થવી જોઇએઃ સોનિયા ગાંધી

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિક્ષણના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં સરકારે ફક્ત પોતાના એજન્ડાને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો; શૈક્ષણિક સંસ્થાઓનું ખાનગીકરણ અને સાંપ્રદાયિકીકરણ કરવામાં આવ્યું. આ પણ વાચો :- વડાપ્રધાન મોદીનું કામ દેશ અને સંસ્કૃતિના હીતમાં, RSSના કાર્યકારી સભ્ય રાજીવ તુલીનું નિવેદન સોનિયા ગાંધીએ કહ્યું કે શિક્ષણ પર કેન્દ્રીય સલાહકાર બોર્ડની બેઠક એક વર્ષથી બોલાવવામાં આવી નથી. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંબંધિત મોટા ફેરફારો અંગે રાજ્યો સાથે એક પણ વાર વાત કરી નથી, જ્યારે શિક્ષણ બંધારણની સમવર્તી યાદીનો એક ભાગ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારો પર દબાણ લાવવું અને પીએમ શ્રી યોજના માટે ભંડોળ રોકવું શરમજનક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુજીસીના નિયમોના…