રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યો ડોકલામ–ચીન મુદ્દો, સંસદમાં થયો ભારે હંગામો

સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંબોધન આપ્યું. પોતાના ભાષણમાં તેમણે ડોકલામ અને ચીનની ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવતા જ સદનમાં ભારે હોબાળો મચી ગયો. કેન્દ્ર સરકારના અનેક વરિષ્ઠ મંત્રીઓ પોતાની બેઠકો પરથી ઊભા રહી કડક વિરોધ નોંધાવ્યો. રાહુલ ગાંધીએ કારવાં મેગેઝિન તથા પૂર્વ થલસેના પ્રમુખ જનરલ નરવણે દ્વારા ડોકલામ પર લખાયેલ પુસ્તકનો ઉલ્લેખ કર્યો, જેના કારણે મામલો વધુ ગરમાયો અને સંસદમાં શોર-બખેડો વધ્યો. સત્તાપક્ષ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને પડકાર આપવાનો પ્રયાસ કર્યો. હંગામો સતત વધતો જોઈ લોકસભાની કાર્યવાહી બપોરે ત્રણ વાગ્યા સુધી માટે સ્થગિત કરવામાં આવી. રાહુલ ગાંધીએ કહ્યું કે, “આ લોકો કહે છે કે અમે આતંકવાદ સામે લડીએ છીએ, પરંતુ એક સચ્ચાઈથી ડરે…