ડિપોર્ટ કરાયેલા ભારતીયોને ઉતારવા માટે માત્ર અમૃતસર જ કેમ પસંદ કરાય છે ? પંજાબના મુખ્યમંત્રીનો કેન્દ્રને સવાલ

અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને આવેલું પહેલું યુએસ એરફોર્સનું વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. હવે અન્ય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત આવી રહેલા બે વિમાનો પણ અમૃતસરમાં ઉતરશે. પહેલી ફ્લાઇટ ૧૫ ફેબ્રુઆરીએ અને બીજી ૧૬ ફેબ્રુઆરીએ આવશે. પંજાબ સરકારે આ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સીએમ ભગવંત માને પૂછ્યું છે કે અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને જતા વિમાનોને ફક્ત અમૃતસરમાં જ કેમ ઉતારવામાં આવી રહ્યા છે, જ્યારે તે અન્ય કોઈ રાજ્યમાં ઉતારી શકાયા હોત. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા લોકોને પરત લાવનારા બે વિમાનોમાં મોટાભાગના લોકો પંજાબના હોવાનું કહેવાય છે . કુલ ૧૧૯ ભારતીયોને પાછા લાવવામાં આવશે. પંજાબના સીએમ ભગવંત માન કહે છે કે અમૃતસરમાં વિમાનો ઉતારીને મોદી સરકાર પંજાબને બદનામ કરવામાં કોઈ કસર છોડી રહી…