Anand : રૂષિન પટેલની પત્નીએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત સહિત દેશમાં આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આણંદથી સામે આવી છે. આણંદમાં રહેતી મોડલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી રિદ્ધિ સુથારની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. જણાવી દઈએ કે, રિદ્ધિના પતિ રૂષિન પટેલ આણંદના બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનના હોદ્દા પર કામ કરી રહ્યા છે. આ પણ વાચો :- આમિર ખાન: શું પરિવાર આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડથી ખુશ છે? જાણો અભિનેતાની બહેને ગૌરી સ્પ્રેટ વિશે શું કહ્યું આણંદના બોરીયાવી નપાના કારોબારી ચેરમેનની પત્નીએ આપઘત કરી લેતા ખળભળાટ મચ્યો છે,આણંદની લાંભવેલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.કારોબારી ચેરમેન રૂષિન પટેલની પત્નીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,તો પોલીસે સમગ્ર ઘટનામાં હાલ અકસ્માતે મોતનો ગુનો…

પાકિસ્તાન ટીમને શું જોઈએ છે? શાહિદ આફ્રિદીના નિવેદનથી ખળભળાટ મચ્યો

હાલ પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ ચાલી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 16 માર્ચે હેગલી ઓવલ ખાતે રમાઈ હતી. અહીં ગ્રીન ટીમ 59 બોલ બાકી રહેતા નવ વિકેટે હારી ગઈ હતી. પાકિસ્તાની ટીમ હજુ આ મોટી હારમાંથી બહાર નીકળી નહોતી કે બીજી T20 મેચમાં પણ તેને 11 બોલ બાકી રહેતા પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પણ વાચો :- ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશ દેશ, આ યાદીમાં ભારત પાકિસ્તાનથી પણ પાછળ જે બાદ તે દરેકના નિશાના પર છે. જોકે, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ખેલાડીઓનો બચાવ કર્યો છે અને રાષ્ટ્રીય ટીમની પસંદગીની નીતિઓની ટીકા કરી છે. આફ્રિદીનું કહેવું છે કે, ખેલાડીઓ સાથે અંડર-14 સ્તરના ખેલાડીઓની જેમ…