હૉર્મુઝમાં 1500થી વધુ જહાજો પર ‘બાયોફાઉલિંગ’નું જોખમ, વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી

હૉર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલી લાંબી અવરોધની સ્થિતિ માત્ર વૈશ્વિક ઈંધણ પુરવઠા અને વેપાર માટે જ પડકારરૂપ બની નથી, પરંતુ હવે તેના કારણે દરિયાઈ પર્યાવરણ સામે પણ એક ગંભીર જોખમ ઊભું થયું છે. ફારસની ખાડીમાં 1500થી વધુ કોમર્શિયલ જહાજો લાંબા સમયથી અટવાયેલા હોવાના કારણે વૈજ્ઞાનિકો અને દરિયાઈ પર્યાવરણના નિષ્ણાતોએ ‘બાયોફાઉલિંગ’ને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંશોધકોના મતે આ જહાજો જ્યારે હૉર્મુઝ જળમાર્ગ ફરી ખુલ્યા બાદ વિશ્વના અલગ-અલગ બંદરો તરફ આગળ વધશે, ત્યારે તેમની સાથે અનેક પ્રકારના દરિયાઈ સૂક્ષ્મજીવો અને અન્ય સજીવો પણ નવા વિસ્તારોમાં પહોંચી શકે છે. આ પ્રક્રિયા સ્થાનિક દરિયાઈ પર્યાવરણ માટે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. શું છે બાયોફાઉલિંગ? દરિયામાં કોઈ જહાજ લાંબા સમય સુધી એક જ સ્થળે સ્થિર રહે ત્યારે તેના પાણીની અંદરના…

સિડની એરપોર્ટ પર ટળી મોટી વિમાન દુર્ઘટના, Jetstar અને Qatar Airwaysના વિમાન સામસામે આવી ગયા

ઓસ્ટ્રેલિયાના સિડની ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થતાં રહી ગઈ. એરપોર્ટના ટેક્સીવે પર Jetstarનું Airbus A320 અને Qatar Airwaysનું Boeing 777 વિમાન એકબીજાની અત્યંત નજીક આવી ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા Jetstarના પાયલટે તાત્કાલિક બ્રેક લગાવીને વિમાન રોકી દીધું હતું. આ ઝડપી નિર્ણયને કારણે બંને વિમાન વચ્ચે સંભવિત ટક્કર ટળી ગઈ. આ ઘટનામાં Jetstarની ફ્લાઇટ JQ402માં સવાર 151 મુસાફરોમાંથી કોઈને ઈજા થઈ નહોતી. જોકે, વિમાનને અચાનક અને જોરદાર બ્રેક લગાવવાને કારણે એક કેબિન ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત થયો હતો. તેને તબીબી સારવાર આપવામાં આવી હતી. ઘટના બાદ ફ્લાઇટ રદ કરવામાં આવી અને મુસાફરોને અન્ય ફ્લાઇટ દ્વારા તેમના ગંતવ્ય સુધી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. સિડની એરપોર્ટ પર સવારે 7 વાગ્યાની આસપાસ બની ઘટના પ્રાથમિક…

મેલબોર્ન એરપોર્ટ બનશે નવું વૈશ્વિક ‘ગેટવે’: $4.5 બિલિયનના માસ્ટર પ્લાનની જાહેરાત

ઓસ્ટ્રેલિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટોમાંના એક મેલબોર્ન એરપોર્ટે આંતરરાષ્ટ્રીય મુસાફરીને નવી ઊંચાઈ આપવા માટે $4.5 બિલિયન (આશરે ₹37,000 કરોડ)ના ખર્ચે આંતરરાષ્ટ્રીય ટર્મિનલના મોટા વિસ્તરણની જાહેરાત કરી છે. ઉનાળાની સીઝનમાં 1.26 મિલિયન આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેકોર્ડબ્રેક ટ્રાફિક બાદ આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શું બદલાશે? મુસાફરોને શું ફાયદો? આ મેગા પ્રોજેક્ટ હેઠળ પાંચ નવા એરક્રાફ્ટ સ્ટેન્ડ ઉમેરવામાં આવશે, જે Widebody અને Narrowbody બંને પ્રકારના વિમાનોને સંભાળી શકશે. ચેક-ઇન હોલ અને બેગેજ ક્લેમ વિસ્તારને વિસ્તૃત કરવામાં આવશે, જેથી લાંબી લાઈનોમાં રાહ જોવાની સમસ્યા ઘટશે. સાથે સાથે પ્રીમિયમ લાઉન્જ, આધુનિક રિટેલ સ્ટોર્સ અને આરામદાયક વેટિંગ ઝોન વિકસાવવામાં આવશે. ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા માટે Australian Border Force આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે. 2031 સુધી તબક્કાવાર વિકાસ એરપોર્ટના CEO લોરી આર્ગસ અનુસાર,…

T20 વર્લ્ડકપ 2026: ઝિમ્બાબ્વે સુપર-8 માટે ક્વોલિફાય, ઓસ્ટ્રેલિયા લીગ સ્ટેજથી બહાર

T20 વર્લ્ડકપ 2026ની 32મી ગ્રુપ સ્ટેજ મેચ ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચે શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાવાની હતી. પરંતુ, ભારે વરસાદને કારણે આ મેચ રદ્દ કરવામાં આવી, જેના પરિણામે ટોસ પણ ન થઈ શક્યો અને એક પણ બોલ ફેંકાયો નહીં. મેચ રદ્દ થતા ઝિમ્બાબ્વે સુપર-8 માટે પસંદ આ મેચ રદ્દ થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ આપ્યા, અને ઝિમ્બાબ્વે 5 પોઈન્ટ સાથે સુપર-8 માટે ક્વોલિફાય કરી ગયું. આ સાથે જ, ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપ અભિયાને સમાપ્તિ મળી. જો કે, ઝિમ્બાબ્વે હવે શ્રીલંકા સામે આગામી મેચ 19 ફેબ્રુઆરીએ રમશે, જ્યારે ઓસ્ટ્રેલિયા 20 ફેબ્રુઆરીએ ઓમાન સામે ટકરાશે. ઝિમ્બાબ્વેનું શાનદાર પ્રદર્શન ઝિમ્બાબ્વેનો આ T20 વર્લ્ડકપમાં હવે સુધીનો પ્રદર્શન નોંધપાત્ર રહ્યો છે. ટીમે 3 મેચ રમેલી છે, જેમાં 2 મેચ જીતી છે અને 1 માવજત…

T20 World Cup: જાણો T20 વર્લ્ડ કપના ચેમ્પિયનનો ઇતિહાસ, ટીમ ઈન્ડિયા પાસે છે મોટી તક

T20 વર્લ્ડ કપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં કુલ 20 ટીમો ભાગ લેશે. ભારત અને શ્રીલંકા એકસાથે ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે. આ વખતે ટીમ ઈન્ડિયા પોતાના ખિતાબનો બચાવ કરવા માટે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. ટીમ ઈન્ડિયા પાસે ટુર્નામેન્ટમાં ઇતિહાસ રચવાની તક હશે, કારણ કે અત્યાર સુધી કોઈ પણ ટીમ સતત બે વાર T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. વધુમાં, અત્યાર સુધી કોઈ પણ ટીમ ઘરઆંગણે ચેમ્પિયન બની શકી નથી. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયા પાસે બે મોટી સિદ્ધિઓ હાંસલ કરવાની શાનદાર તક છે. T20 વર્લ્ડ કપ અત્યાર સુધીમાં નવ વખત યોજાયો છે, અને આ વખતે, બધી ટીમો 10મી આવૃત્તિ જીતવા માટે સ્પર્ધા કરશે. વિશ્વની ફક્ત ત્રણ ટીમોએ બે વાર T20 વર્લ્ડ…

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગી ભીષણ આગ, અનેક મકાનો થયા બળીને ખાખ

જંગલોમાં આગના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ વિનાશક રૂપ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓનું કહેવું છે કે આગ બે રાજ્યોમાં ફેલાઈ ગઈ છે અને લગભગ 40 ઘરો નાશ પામ્યા છે. અધિકારીઓએ એ પણ અહેવાલ આપ્યો છે કે આગમાં એક ફાયર ફાઇટરનું મોત થયું છે. ગ્રામીણ ફાયર સર્વિસ કમિશનર ટ્રેન્ટ કર્ટિને જણાવ્યું હતું કે રવિવારે રાત્રે ન્યુ સાઉથ વેલ્સના બુલાહડેલાહ શહેર નજીક જંગલની આગ સામે લડી રહ્યા હતા ત્યારે એક ઝાડ પડતાં ૫૯ વર્ષીય ફાયર ફાઇટરનું મોત નીપજ્યું હતું. આગને કારણે ૩,૫૦૦ હેક્ટર જંગલ બળી ગયું છે અને અનેક ઘરોનો નાશ થયો છે. કર્ટિને જણાવ્યું હતું કે ફાયર ફાઇટર ગંભીર રીતે ઘાયલ થયો…

2014 થી 2023 દરમ્યાન 15 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી સ્ટોરી

દર વર્ષે લગભગ 1.5 લાખ ભારતીયો તેમની નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે. કેટલાક બેરોજગારીને કારણે બીજા દેશમાં જઈને સ્થાયી થાય છે, જ્યારે કેટલાક વિદેશમાં લગ્ન કરીને ત્યાંની નાગરિકતા મેળવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષમાં 15 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન, ગોવા અથવા અરુણાચલ પ્રદેશની વસ્તી સમાન લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે અને અન્ય દેશની નાગરિકતા લીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના સમયગાળા દરમિયાન ભારતીય નાગરિકતા છોડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ તે પછી નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા ઝડપથી વધવા લાગી છે. 2020 એ એકમાત્ર વર્ષ હતું જેમાં ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરનારા લોકોની સંખ્યા એક લાખથી ઓછી હતી. બાકીના નવ વર્ષમાં આ આંકડો…