વધુ એક નેતાએ આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યુ, AAPને વોટ આપવા કરી લોકોને અપીલ
આસામની પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટી અપીલ કરી છે. બદરુદ્દીન અજમલે ધર્મનિરપેક્ષ લોકોને આમ આદમી પાર્ટીને જીત અપાવવા અપીલ કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બદરુદ્દીન અજમલે કહ્યું, “હું દિલ્હીના તમામ ધર્મનિરપેક્ષ મતદારોને વિનંતી કરું છું કે કૃપા કરીને તમારા ધર્મનિરપેક્ષ મતોને વિભાજીત ન કરો કારણ કે દેશની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને પહેલાથી જ ખરાબ થઈ ગઈ છે. તેથી તમારા ધર્મનિરપેક્ષ મતોને વિભાજીત ન કરો, અને આમ આદમી પાર્ટીને મોટી સંખ્યામાં મત આપો. -> લોકોએ અરવિંદ કેજરીવાલના કામની ખૂબ પ્રશંસા કરી છે – અજમલ :- તેમણે વધુમાં કહ્યું, “અરવિંદ કેજરીવાલને ફરીથી સરકાર…







