Surat : સુરતમાં 30 માર્ચે હીરા ઉધોગ બંધનું એલાન, રત્નકલાકારોની હડતાળના લાગ્યા બેનર

સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા 30 માર્ચે હીરા ઉદ્યોગ બંધનું એલાન આપવામાં આવ્યું છે. રત્નકલાકારોની હડતાળના બેનર પણ લાગ્યા છે. કતારગામ દરવાજા ફલાય ઓવર બ્રિજ નીચે રત્નકલાકારો ભેગા થશે. જેના બાદ બ્રિજ નીચે ભેગા થયેલ રત્નકલાકારો રેલી કાઢશે. DWUG દ્વારા રત્નકલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ રેલી માટે પોલીસની મંજૂરી પણ માગી છે. રવિવારે સવારે 9.30 કલાકે રત્ન કલાકારો ભેગા થશે. આ પણ વાંચો :- GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી રત્નકલાકારોની એકતા રેલી :- ગાંધી ચિંધ્યા માર્ગે રત્નકલાકાર એકતા રેલી કાઢવામાં આવશે. છેલ્લા 2 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં છે. ગત વર્ષની દિવાળી બાદ હીરા ઉદ્યોગમાં મહામંદી જોવા મળી.હીરા બજારમાં મોટી કીમત…

જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર, નવા જંત્રીના દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ

ગુજરાતમાં નવા જંત્રીના દર લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે. જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે. બીજી તરફ 1700 સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા તો જંત્રીના દર લાગુ કરવા અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે અને મુખ્યમંત્રી જંત્રી દર લાગુ કરવા અંગે આખરી નિર્ણય લેશે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી એપ્રિલ મહિનામાં લાગુ થઈ શકે છે ભાવ :- ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે. જેમાં જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. 11000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી. જેમાં 6000 જેટલી અરજીઓ…

ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ BCCIએ ભારતીયો પર વરસાવ્યો પૈસા, આટલા કરોડ આપવાની જાહેરાત

BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની જીત બાદ 58 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ નાણાકીય સન્માન ખેલાડીઓ, કોચિંગ અને સહાયક સ્ટાફ અને પુરુષોની પસંદગી સમિતિના સભ્યોનું સન્માન કરે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. ફાઇનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું. ટીમે તેના અભિયાનની શરૂઆત બાંગ્લાદેશને છ વિકેટથી હરાવીને કરી હતી, ત્યારબાદ પાકિસ્તાન સામે છ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. ત્યારે BCCI એ 58 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે પ્રમુખ, BCCI, શ્રી રોજર બિન્નીએ ભારતીય ટીમ વિશે જણાવ્યું હતું કે, “બેક-ટુ-બેક…

Gandhinagar : ભાજપના જિલ્લા પ્રમુખોનાં નામ જાહેર, જાણો ક્યાં કોની કરાઈ વરણી

જૂનાગઢમાં નવા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત થઈ છે. ભાજપે પાલિકા પ્રમુખ અને ઉપ્રપ્રમુખને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધર્યા બાદ ઉમેદવારોની નામોની જાહેરાતનો દોર શરૂ કર્યો છે. જાણો કયા વિસ્તારમાં કોને રીપીટ કરાયો તો કયાં નવા ઉમેદવારને કમાન સોંપવામાં આવી છે. જૂનાગઢ :- જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરાઈ. જૂનાગઢને નવા જીલ્લા ભાજપ પ્રમુખ મળ્યા. ચંદુ મકવાણાને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા. ચંદુભાઈ મકવાણા જીલ્લા ભાજપ મહામંત્રી હતા. પ્રમુખ તરીકેની પાર્ટીએ જવાબદારી સોંપી. પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાએ નામની જાહેરાત કરી છે. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે સુરત :- સુરત જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરતા પ્રમુખ તરીકે ભરત રાઠોડની વરણી કરાઈ છે. કાર્યકરોને નવનિયુક્ત પ્રમુખને…

Anand : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, આણંદમાં રૂ.64.29 કરોડનાં ખર્ચે નવી જેલ બનશે!

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત કરી છે. આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે તૈયાર થશે. નવી જેલને આણંદ જિલ્લા જેલ તરીકે ઘોષિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી. આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીનમાં 370 કેદી ક્ષમતા ધરાવતી નવી જેલ બનાવવામાં આવી રહી છે. જેમાં 330 પુરુષ કેદીઓ અને 40 સ્ત્રી કેદીઓ માટે ક્ષમતા સુવિધા ઉપલબ્ધ રહેશે. જિલ્લા જેલ તરીકે ઘોષિત થવા માટે ઓછામાં ઓછી 240 કેદી ક્ષમતા હોવી જરૂરી હોય છે. આ નવી જેલ 370…

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર, પ્રિલિમ પરીક્ષા આ તારીખે લેવાશે

GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GPSC વર્ગ 1-2 ની ભરતી માટે પ્રિવિમ પરિક્ષા 6 એપ્રિલે યોજાશે. આવનાર ત્રણથી ચાર દિવસમાં નિયમો તૈયાર કરી જાહેર થશે. અરજી કરવા માટે ઉમેદવારો તૈયારી કરી રાખવા સૂચના આપવામાં આવી છે. ઝડપી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી પરીક્ષા લેવાશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ ૧ અને મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ ૨ ની ભરતી રદ કરાઈ છે. બન્ને બેઠકો મા ત્રણ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 01/02/2025 ના રોજ જાહેર કરાયેલ ભરતી 19 ફેબ્રુઆરી 2025 ના રોજ રદ કરવામાં આવી હતી. જેના કારણમાં આ બંને જગ્યાઓ માટેના ભરતી નિયમોમાં…