ગુજરાતમાં વરસાદનો કહેર: ડીસાથી ધોળકા સુધી જળબંબાકાર સ્થિતિ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. બનાસકાંઠાના ડીસા, આણંદ જિલ્લાના બોરસદ, અમદાવાદ શહેર તેમજ ધોળકા તાલુકાના વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક સ્થળોએ સ્થાનિક તંત્ર, પોલીસ અને રાહત ટીમો દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ડીસામાં રસ્તાઓ બન્યા નદી, ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી બનાસકાંઠાના ડીસા શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના ટ્રીઝમેન્ટ પ્લાન્ટથી જલારામ મંદિર સર્કલ સુધીના વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અનેક…
ગુજરાતમાં 40,500 લોકોનું સ્થળાંતર, 1,100 રસ્તા બંધ; 2,637 લોકોનું રેસ્ક્યુ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને પહોંચી વળવા માટે સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિ, અસરગ્રસ્ત વિસ્તારો અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ તંત્રને સતત એલર્ટ રહેવા અને જરૂરિયાતમંદ લોકો સુધી તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના આપી છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ રાજ્યની વરસાદી સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સતર્ક રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે…
આણંદની એકતા શાહનો વૈજ્ઞાનિક કારનામો: 6 નવી ગેલેક્સી સમુહોની શોધ, ભારતીય નામોથી વિશ્વમાં ગૌરવ
આણંદ શહેરમાં 13 બાય 13ની એક સામાન્ય ઓરડીમાં વસવાટ કરતા માતા-પિતાની સાથે રહી અભ્યાસ કરનારી એક યુવતીએ તેમની આર્થિક સંકડામણને હાર આપી સફળ ખગોળ વૈજ્ઞાનિક બની બતાવ્યું છે. આ યુવતીએ દેશની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં નાસા અનુદાનિત ફેલોશીપ મેળવી અંતરીક્ષમાં છ નવી આકાશગંગાઓના સમુહને શોધી કાઢ્યા છે. આટલું જ નહી, આ નવા સમુહને ભારતીય નામોથી નવાજ્યા છે. માત્ર ૩૨ વર્ષની ઉંમરે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. આણંદ નગર હવે માત્ર શ્વેતક્રાંતિના જનક માટે જાણીતી ભૂમિ રહી એવું નથી. અહીં વિસ્તરેલી શૈક્ષણિક પ્રવૃત્તિના પરિણામે અનેક યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. તેમાંથી એક નામ છે એકતા શાહ. તેમની ઉક્ત સિદ્ધિ વિશે જાણવું હોય તો પહેલા…
અમેરિકા જવાની લાલચમાં અઝરબૈજાનમાં ગુજરાતી યુવક-યુવતી બંધક, પરિવાર પાસેથી રૂ. 65 લાખ વસૂલ્યા
ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી યુવક અને યુવતી આંતરરાષ્ટ્રીય ઠગાઈના જાળમાં ફસાયા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અઝરબૈજાનમાં બંનેને બંધક બનાવી તેમના પરિવાર પાસેથી કુલ રૂ. 65 લાખની ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મુંબઈના એજન્ટોની લાલચમાં આવી વિદેશ રવાના આણંદ જિલ્લાના ઝાંખરીયા ગામનો યુવક અને વાસદની યુવતી અમેરિકા જવા ઇચ્છતા હતા. આ દરમિયાન મુંબઈના એજન્ટોએ તેમને અઝરબૈજાન અને કેનેડા મારફતે અમેરિકા પહોંચાડવાની લાલચ આપી હતી. એજન્ટોની વાતોમાં આવી બંને 30 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટથી રવાના થયા હતા. યોજના અનુસાર તેમને અઝરબૈજાન થઈને કેનેડા અને ત્યાંથી અમેરિકા પહોંચાડવાના હતા, પરંતુ દિલ્હીથી અઝરબૈજાન લઈ જઈ બંનેને બંધક બનાવી દેવામાં આવ્યા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વીડિયો કોલ પર મારઝૂડ, ખંડણીની માંગ પરિવારજનોના જણાવ્યા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું. અમૂલ દ્વારા તૈયાર કરાયેલ “અમૂલ AI” 200 કરોડથી વધુ વાર્ષિક ડેટા ટ્રાન્ઝેક્શન અને આશરે 3 કરોડ પશુઓના ડિજિટલ રેકર્ડના સંકલન પર આધારિત છે. આ આધુનિક પ્લેટફોર્મ ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. મહિલાઓ માટે સરળ માર્ગદર્શન – ગુજરાતી ભાષામાં સેવા ખાસ કરીને મહિલા દૂધ ઉત્પાદકો માટે “અમૂલ AI” ખૂબ ઉપયોગી સાબિત થશે. હવે તેઓ પોતાના મોબાઇલ દ્વારા ગુજરાતી ભાષામાં સરળતાથી પશુપાલન, પશુ આરોગ્ય અને ઉત્પાદન વધારવા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે. સરકારી યોજનાઓ અને સબસિડીની સંપૂર્ણ માહિતી “અમૂલ AI” રાજ્ય અને…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ- 4” લેબનો શિલાન્યાસ; જાણો વિગત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ- 4” લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ” સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ વેળાએ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન ગુજરાત બાયો-ટેક્નોલોજી રીસર્ચ સેન્ટરની “બાયો સેફ્ટી લેવલ- 4” સુવિધાને ભારત સરકારની “BioE3 નીતિ” અંતર્ગત ‘નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી’ તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્રીય બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) એનાયત કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. પુણે બાદ…
Anand : રૂષિન પટેલની પત્નીએ જીવન ટૂંકાવ્યું
ગુજરાત સહિત દેશમાં આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આણંદથી સામે આવી છે. આણંદમાં રહેતી મોડલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી રિદ્ધિ સુથારની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. જણાવી દઈએ કે, રિદ્ધિના પતિ રૂષિન પટેલ આણંદના બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનના હોદ્દા પર કામ કરી રહ્યા છે. આ પણ વાચો :- આમિર ખાન: શું પરિવાર આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડથી ખુશ છે? જાણો અભિનેતાની બહેને ગૌરી સ્પ્રેટ વિશે શું કહ્યું આણંદના બોરીયાવી નપાના કારોબારી ચેરમેનની પત્નીએ આપઘત કરી લેતા ખળભળાટ મચ્યો છે,આણંદની લાંભવેલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.કારોબારી ચેરમેન રૂષિન પટેલની પત્નીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,તો પોલીસે સમગ્ર ઘટનામાં હાલ અકસ્માતે મોતનો ગુનો…
આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું, કમળાનાં વધુ 8 કેસ નોંધાયા, કુલ આંક 100ને પાર
આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ધર્મજ ગામમાં કમળાનો કહેર જોવા મળ્યો છે. ધર્મજમાં છેલ્લા ઘણા સમયથી લોકો બીમાર પડી રહ્યા હતા. જેમાં રબારીવાસ અને નવાપુરામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું હતું. ગઇ કાલે વધુ 8 દર્દીઓને કમળો નોંધાયો હતો. જેના કારણે કેસની સંખ્યા 113 એ પહોંચી હતી. ત્યારે હાલ 8 માંથી 4 દર્દીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કમળાના કારણે ગામના લોકોની મુશ્કેલી વધી હતી. તો બીજી તરફ પાણીન સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રમાં જોવા મળતા બંને વિસ્તારોના પાણીને બિન પીવાલાયક જાહેર કરવામાં આવ્યું હતું. વધતા જતા કમળાના કેસને લઇ કલેકટરના માર્ગદર્શન હેઠળ 19 ટીમો ગામમાં કાર્યરત કરવામાં આવી છે. જોકે ધર્મજ ગામને આરોગ્ય વિભાગે કમળાગ્રસ્ત જાહેર કર્યું…














