IND vs NZ: અંબાતી રાયડુએ ટીમ ઈન્ડિયાને ફાઈનલ જીતવા માટે આપ્યો આ અદ્ભુત આઈડિયા

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 માર્ચે દુબઈમાં રમાશે. આ મોટી મેચ પહેલા ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી છે. તેણે કહ્યું કે ન્યૂઝીલેન્ડના ત્રણ ખેલાડીઓ (મિશેલ સેન્ટનર, રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવે) ભારત માટે ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે. મિશેલ સેન્ટનર ન્યુઝીલેન્ડના સૌથી અનુભવી સ્પિનરોમાંથી એક છે. તે નવા અને જૂના બોલ સાથે શાનદાર બોલિંગ કરી શકે છે. ખાસ કરીને ધીમી પીચો પર તે ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જો ભારતે ફાઈનલ મેચ જીતવી હશે તો સેન્ટનરને સાવચેતીથી રમવું પડશે. આ પણ વાંચો :- ફાઈનલ પહેલા સની ગાવસ્કરનું સનસનાટીભર્યું નિવેદન “ચાર મેચ જીતવા છતાં ટીમ ઈન્ડિયા હજુ પણ છે…” ટોપ ઓર્ડરમાં હલચલ મચાવી શકે છે રચિન…