એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 300 ફૂટનો અચાનક ઘટાડો, પાયલટનો મારિજુઆના ટેસ્ટ પોઝિટિવ
એર ઈન્ડિયાની ફુકેત-દિલ્હી ફ્લાઈટ AI2379 સાથે 4 ઓગસ્ટે બનેલી ગંભીર ઘટનામાં હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ફ્લાઈટ દરમિયાન વિમાનની ઊંચાઈમાં અચાનક આશરે 300 ફૂટનો ઘટાડો નોંધાયા બાદ કરવામાં આવેલા સાયકોએક્ટિવ સબ્સ્ટન્સ ટેસ્ટમાં પાયલટ-ઈન-કમાન્ડનો કન્ફર્મેટરી લેબ ટેસ્ટ મારિજુઆના માટે પોઝિટિવ આવ્યો હોવાનો અહેવાલ છે. જોકે, પાયલટના ટેસ્ટના પરિણામને ફ્લાઈટની ઊંચાઈમાં થયેલા અચાનક ઘટાડા સાથે સીધો સંબંધ છે કે નહીં તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. 4 ઓગસ્ટે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શું બન્યું? 4 ઓગસ્ટ, 2026ના રોજ એર ઈન્ડિયાની Airbus A320 ફ્લાઈટ AI2379 ફુકેતથી દિલ્હી તરફ આવી રહી હતી. ઉડાન દરમિયાન વિમાનની ઊંચાઈમાં અચાનક લગભગ 300 ફૂટનો ઘટાડો થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત ઉડ્ડયન સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી હતી. વિમાન બાદમાં સ્થિર થયું અને…






