અમદાવાદ: વીજળી ઘર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસનો ‘ખુલ્લેઆમ તોડ’? TRB જવાન ચેકિંગ કરે ને સાહેબ તમાશો જુએ!

અમદાવાદ:શહેરમાં ટ્રાફિક નિયમન અને લોકોની સુરક્ષા માટે તૈનાત ટ્રાફિક પોલીસ ફરી એકવાર વિવાદોના ઘેરાવમાં આવી છે. અમદાવાદના ઈ-ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળ આવતા વીજળી ઘર ચાર રસ્તા બીટ પરથી ખાખીને દાગ લગાડતી એક કથિત ઘટના સામે આવી રહી છે. વીજળી ઘર ચાર રસ્તા બીટ પર નિયમોના નામે વાહનચાલકોની કનડગતની આશંકા.TRB જવાનો લાયસન્સ અને RC બુક ચેક કર્યા બાદ તોડબાજી કરતા હોવાનો આક્ષેપ.પોલીસ ઇન્ચાર્જ સાઇડમાં બેસી તમાશો જોતા હોવાની ચર્ચા: ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે? અહીં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાને બદલે વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ ‘તોડ’ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.TRB જવાનો આગળ, સાહેબ સાઈડમાં! મળતી માહિતી મુજબ, વીજળી ઘર ચાર રસ્તા પર TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોને આગળ ધરીને આખી રમત રમવામાં આવી રહી છે. કાયદાકીય રીતે TRB…

અમદાવાદના વાહનચાલકો માટે મહત્વની સૂચના, શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોનો પ્રવેશ બંધ

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા મહત્વના અને વ્યસ્ત શાસ્ત્રી બ્રિજ (વિશાલા–નારોલ બ્રિજ) પરથી પસાર થતા ભારે વાહનો માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજની સલામતી અને મજબૂતીને ધ્યાનમાં રાખીને આગામી 8 જાન્યુઆરી, 2027 સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધની વિગતો – પ્રતિબંધિત સમયગાળો: હાલથી 8 જાન્યુઆરી, 2027 સુધી – પ્રતિબંધિત વાહનો: ટ્રક, ટ્રેલર, લક્ઝરી બસ તેમજ તમામ પ્રકારના ભારે માલવાહક વાહનો – પ્રતિબંધનું કારણ: બ્રિજની જર્જરિત હાલત અને તાત્કાલિક રિપેરિંગની જરૂરિયાત ભારે વાહનો માટે ડાયવર્ઝન રૂટ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. નારોલથી વિશાલા તરફ: નારોલ સર્કલ → પીરાણા ચાર રસ્તા → એસ.પી. રિંગ રોડ → શાંતિપુરા થઈ આગળનો માર્ગ…

AMTS બસની વધુ એક બેદરકારી આવી સામે, બે રાહદારીને અડફેટે લીધા

અમદાવાદના કાંકરિયા દીવાન બલ્લુભાઈ સ્કૂલ રોડ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બસે એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતના કારણે સ્થાનિક વિસ્તારમાં થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી, અને લોકો એકઠા થઈ ગયા હતા. AMTS બસના ચાલકે પુરપાટ ઝડપે યુવકને અડફેટે લીધો ઘટનાની માહિતી મુજબ, અકસ્માતમાં ઘવાયેલો યુવક હિંમતનગરથી છૂટક મજૂરી માટે અમદાવાદ આવ્યો હતો. તે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે AMTS બસના ચાલકે તેને પૂરપાટ ઝડપે અડફેટે લીધો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, યુવક જમીન પર પટકાયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર…

ફિલ્મફેર એવોર્ડ 2025: અમદાવાદના આ રસ્તા આવતીકાલે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

અમદાવાદમાં 11 ઓક્ટોબરના રોજ થઈ રહેલા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમને લઈને શહેરના ટ્રાફિક અને AMTS બસ રૂટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થા માટે 28 AMTS રૂટની 183 બસો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. ટ્રાફિક પ્રતિબંધ સમય – તારીખ: 11 ઓક્ટોબર – સમય: બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 2:00 વાગ્યા સુધી – બસો વૈકલ્પિક માર્ગે: બપોરે 12:00 વાગ્યાથી કયા રસ્તા બંધ રહેશે? – રાયપુર ચાર રસ્તા થી પારસી અગિયારી રોડ – વાણિજ્ય ભવનથી પારસી અગિયારી જવાનો માર્ગ – કાંકરિયા ગેટ નં. 3 થી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો માર્ગ નોંધ: ઉપરોક્ત માર્ગો પર નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. ખુલ્લા માર્ગ અને વૈકલ્પિક રસ્તા – વાણિજ્ય ભવનથી મણીનગર અને ખોખરા સુધીનો માર્ગ ચાલુ રહેશે…