અમદાવાદમાં 11 ઓક્ટોબરના રોજ થઈ રહેલા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમને લઈને શહેરના ટ્રાફિક અને AMTS બસ રૂટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થા માટે 28 AMTS રૂટની 183 બસો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે.
ટ્રાફિક પ્રતિબંધ સમય
– તારીખ: 11 ઓક્ટોબર
– સમય: બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 2:00 વાગ્યા સુધી
– બસો વૈકલ્પિક માર્ગે: બપોરે 12:00 વાગ્યાથી
કયા રસ્તા બંધ રહેશે?
– રાયપુર ચાર રસ્તા થી પારસી અગિયારી રોડ
– વાણિજ્ય ભવનથી પારસી અગિયારી જવાનો માર્ગ
– કાંકરિયા ગેટ નં. 3 થી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો માર્ગ
નોંધ: ઉપરોક્ત માર્ગો પર નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે.
ખુલ્લા માર્ગ અને વૈકલ્પિક રસ્તા
– વાણિજ્ય ભવનથી મણીનગર અને ખોખરા સુધીનો માર્ગ ચાલુ રહેશે
– વાણિજ્ય ભવનથી ન્યૂ ક્લોથ માર્કેટ થઈ રાયપુર જઈ શકાશે
– પારસી અગિયારીથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો રસ્તો ખુલ્લો રહેશે
– અપ્સરા સિનેમાથી ઝીરાફ સર્કલ સુધી મુસાફરી શક્ય રહેશે
AMTS રૂટમાં ફેરફાર
– શહેરના 28 રૂટની 183 બસોનું ચલણ વૈકલ્પિક માર્ગો પરથી થશે
– મુસાફરોને બપોરે 12 વાગ્યા પછી નવી રૂટ માહિતી માટે AMTS હેલ્પલાઇન અથવા સ્ટેન્ડ સુચનાઓ જોવા વિનંતી
કાંકરિયા પ્રવાસ માટે બંધ
સુરક્ષા દ્રષ્ટિએ કાંકરિયા પ્રવાસ માટે પણ 11 ઓક્ટોબરે બંધ રહેશે. શહેરીકોને અનાવશ્યક પ્રવાસ ટાળવા તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે.
નાગરિકોને અપીલ
મહત્વના કાર્યક્રમને ધ્યાનમાં રાખી ટ્રાફિક નિયમોનું પાલન કરો, અનુમતિ વગરના વિસ્તારમાં વાહનો ન પાર્ક કરો અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરો.






