Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ
વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત થઈ છે. વડોદરામાં સરકારી કચેરીને સરકારે જ સીલ મારવું પડ્યું છે. ડભોઈ કોર્ટના આદેશ બાદ નર્મદા નિગમની કચેરીએ સીલ લાગ્યું છે. ડભોઈ કોર્ટે ખેડૂતોને નાણાં ન ચૂકવતા મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ડભોઈ કોર્ટે 30 કરોડ ખેડૂતોને ચૂકવવા આદેશ કર્યો છે. આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે જમીન સંપાદન મામલે ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી સરકાર સામે કાનૂની લડત લડી રહ્યા હતા. આખરે ખેડૂતોની 34 વર્ષની લડત રંગ લાવી છે. મળતી વિગત મુજબ 1989માં નર્મદા નિગમે ડભોઈની આસપાસ 6 ગામોની જમીન સંપાદિત કરી હતી. અને 1991માં 543 ખેડૂતોને 23 રૂપિયા ચો. ફૂટ ભાવે આ જમીનનું…
Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી
ગુજરાત વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રીનું મોટુ એલાન કર્યું છે. સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ડૉક્ટર્સની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. જેમાં વિધાનસભામાં ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં 1900 ડૉક્ટરની ભરતી કરવામાં આવશે. આ પણ વાંચો :- Dhoraji : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા આ બાબતે ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 1900થી વધુ ડૉક્ટરની ભરતી કરવામાં આવનાર છે. જેમાં વર્ગ-1ની 1100થી વધુ જગ્યા ભરાશે. અને વર્ગ-2ની 800 જગ્યા ભરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં આ ભરતીને લઇ દેખાડા કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો :- Mehsana : સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા…
Ahmedabad : અમદાવાદમાં ફરી તંત્રની કાર્યવાહી, ગંદકી- પ્રતિબંધિત પ્લાસ્ટિકને ઉપયોગમાં લેતી 307 દુકાનોને નોટિસ, 8 એકમો કરાયા સીલ
અમદાવાદમાં ફરી તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી કરતાં એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કામગીરી દરમિયાન 1.7 કિ.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેના સાથે ડેબ્રીજ અને ગંદકી કરવા બદલ 8 એકમોને સીલ કરવામાં આવ્યા છે. તેમજ ઉત્તર ઝોનમાં ગંજદકી કરતાં 307 એકમોને નોટિસ ફટકારીને કુલ રૂ.80,054 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા આ ઉપરાંત તંત્ર દ્વારા આરોગ્ય સાથે ચેડા કરતાં એકમો સામે હજી પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. તેમજ તહેવાર બાદ પણ વિવિધ વિસ્તારોમાં હજી પણ ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.…
Ahmedabad : અમદાવાદની LG હોસ્પિટલ ફરીથી વિવાદમાં, દર્દીઓને હાલાકી પડતા વિપક્ષ મેદાને
અમદાવાદની LG હોસ્પિટલમાં લાઇટ ગૂલ થતા વિપક્ષના નેતાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વિપક્ષ નેતાએ LG હોસ્પિટલની મુલાકાત કરી કોર્પોરેશન સામે સવાલ ઉઠાવ્યા હતા. LG હોસ્પિટલમાં લાઇટ ગૂલ થતા અનેક દર્દીઓને હાલાકી પડી હતી. LG હોસ્પિટલનું વાર્ષિક બિલ કરોડોનું છતાં લાઇટમાં ધાંધિયાને લઇને વિપક્ષ નેતાએ કોર્પોરેશન પર નિશાન તાક્યું હતું. આ પણ વાંચો :- Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા લાઇટ બિલ ભરવા છતાં એલજી હોસ્પિટલમાં લાઇટ સપ્લાયના ધાંધિયાને લઇને તેમણે કહ્યું કે જે અધિકારીઓની બેદરકારી હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ જો કે પાવર સપ્લાય કટ થવાની ઘટના પહેલીવાર બની હોવાનો હોસ્પિટલે ખુલાસો કર્યો. આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર,…
gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ
ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગને લઈને આજથી હડતાળની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા મુજબ અનેક વખત સરકારને તેમના પ્રશ્નોને લઈને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પરંતુ તેમની વારંવારની રજૂઆત બાદ પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ના લેવાતા મહાસંઘ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ આરોગ્યકર્મી મહાસંઘ જિલ્લા કક્ષાએ કલેક્ટર, DDOને આવેદનપત્ર આપશે. તેમજ 18 અને 19 માર્ચે સાંસદો અને ધારાસભ્યોને આવેદન પાઠવશે. આરોગ્ય કર્મચારીઓ પોતાના આવેદન પત્રમાં ગ્રેડ પે, ટેક્નિકલ ગ્રેડમાં સમાવેશ સહિતની માંગણીઓ મંજૂર કરવા સરકારને રજૂઆત કરી છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી તેમના પ્રશ્નોનોનો ઉકેલ ના…
‘તે જોકર છે’, જેસન ગિલેસ્પીએ આકિબ જાવેદ પર લગાવ્યો મોટો આરોપ, પાકિસ્તાની ક્રિકેટમાં હલચલ મચી ગઈ.
એક તરફ પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી અને સેમીફાઈનલમાં પણ નથી પહોંચી શકી તો બીજી તરફ પૂર્વ કોચ જેસન ગિલેસ્પીએ પાકિસ્તાનના વચગાળાના કોચ આકિબ જાવેદ પર મોટો આરોપ લગાવ્યો છે. જેસન ગિલેસ્પીએ આકિબ જાવેદ પર ગેરી કર્સ્ટન અને મને પાકિસ્તાન ટીમમાંથી અલગ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. આપને જણાવી દઈએ કે, ગિલેસ્પીને એપ્રિલ 2024માં પાકિસ્તાન ટીમ માટે રેડ-બોલ ક્રિકેટના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, આઠ મહિનામાં તેણે પીસીબી સાથે સંબંધ તોડી નાખ્યો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં મોત, રીલ બનાવતી વખતે 3 સગીર કેનાલમાં ડૂબ્યા પાકિસ્તાન ટીમથી અલગ થયાના લગભગ ત્રણ મહિના બાદ ગિલેસ્પીએ સોશિયલ મીડિયા પર આકિબ જાવેદ વિશે કેટલીક એવી વાતો લખી…












