મમતા બેનર્જી સરકારને ફટકો, સુપ્રીમ કોર્ટે કર્મચારીઓને DA ના 25% બાકી ચૂકવવાનો આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને 2009 થી 2019 સુધીના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) ના બાકી ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે તેને કર્મચારીઓનો વૈધાનિક અધિકાર ગણાવ્યો. જસ્ટિસ સંજય કરોલ અને પીકે મિશ્રાની બેન્ચે જણાવ્યું હતું કે ROPA નિયમો હેઠળ પગારની ગણતરી કરવા માટે DA ફરજિયાત છે. કોર્ટે રાજ્ય સરકારની દલીલોને ફગાવી દીધી હતી જેમાં નાણાકીય ક્ષમતાનો હવાલો આપીને ભથ્થાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ ચુકવણી માટેની પ્રક્રિયા નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રાના નેતૃત્વમાં એક ખાસ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં બે નિવૃત્ત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને CAGના એક વરિષ્ઠ અધિકારીનો સમાવેશ થશે. કોર્ટનો આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા અગાઉના કાનૂની પરાજય સામે દાખલ કરવામાં આવેલી અપીલો પર આવ્યો હતો જેમાં કર્મચારીઓની તરફેણમાં…

મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો , ED અધિકારીઓ સામેની FIR પર લગાવી રોક

કોલકાતામાં I-PAC ઓફિસ પર તાજેતરમાં થયેલા દરોડાનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. જેમાં ED અને મમતા બેનર્જી સામસામે છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર એટલે કે મમતા બેનર્જીની સરકાર અને કોલકાતા પોલીસને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજકીય સલાહકાર I-PAC ની ઓફિસ અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના પરિસર પર દરોડાના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ સામે નોંધાયેલી FIR પર આગામી સુનાવણી સુધી સ્ટે આપ્યો છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે તપાસમાં ‘અવરોધ’ કરવાનો આરોપ લગાવતી ED ની અરજી પર પશ્ચિમ બંગાળ સરકાર, મુખ્યમંત્રી મમતા બેનર્જી, DGP રાજીવ કુમાર અને અન્ય લોકોને નોટિસ ફટકારી છે. ન્યાયાધીશ પ્રશાંત મિશ્રા અને વિપુલ પંચોલીની બેન્ચે ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ, મમતા બેનર્જી અને બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકાર પાસેથી…

બાબરી મસ્જિદ મામલે ભાજપે મમતા બેનર્જી પર ઉઠાવ્યા સવાલો, જાણો શું કહ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP) એ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસ સમારોહ અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપનો આરોપ છે કે બેનર્જી પોતાના જ નેતાઓ અને સાંસદોને મસ્જિદ વિરુદ્ધ નિવેદનો આપવા માટે એકત્ર કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસે મુર્શિદાબાદ જિલ્લામાં મસ્જિદનો શિલાન્યાસ કરનાર ધારાસભ્ય હુમાયુ કબીરને સસ્પેન્ડ કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “મમતા બેનર્જીએ હુમાયુ કબીર દ્વારા બંગાળને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજીત કરવા માટે એક છુપાયેલા એજન્ડા તરીકે બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું. જે રીતે દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે, તેવી જ રીતે અન્યત્ર પણ તેનો વિરોધ થઈ રહ્યો છે. આ પાયો એક સુનિયોજિત રણનીતિના ભાગ રૂપે નાખવામાં આવ્યો છે, અને તે ફક્ત બંગાળમાં જ નથી. મમતા બેનર્જીને તેના…