કાંકરીયા કાર્નિવલ 2025 દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર, જાહેરનામું પ્રસિદ્ધ

અમદાવાદ શહેરમાં આયોજિત થનારા કાંકરીયા કાર્નિવલ 2025 દરમિયાન નાગરિકોની સલામતી અને સુચારુ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કાર્નિવલના દિવસો દરમિયાન કાંકરીયા તળાવ અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં અસ્તવ્યસ્તતા ન સર્જાય તે માટે કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ, ડાયવર્ઝન તથા પાર્કિંગ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ, કાર્નિવલ દરમિયાન કાંકરીયા તળાવ તરફ જતા મુખ્ય માર્ગો પર ચોક્કસ સમયગાળા માટે વાહન પ્રવેશ પર નિયંત્રણ રહેશે. જાહેર વાહનો, ઇમરજન્સી સેવાઓ અને પાસ ધરાવતા વાહનોને જરૂરિયાત મુજબ છૂટ આપવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, ટ્રાફિક…

નેહા કક્કરનું ‘કેન્ડી શોપ’ ગીત વિવાદમાં, ‘અશ્લીલ’ ડાન્સ અને શબ્દો પર લોકો ભડક્યા

પોપ્યુલર સિંગર નેહા કક્કર અને તેમના ભાઈ ટોની કક્કરનું નવીનતમ ગીત ‘કેન્ડી શોપ’ સોશિયલ મીડિયા પર વિવાદનો વિષય બની ગયું છે. વીડિયોમાં બંને ‘લોલીપોપ’ થીમ પર ડાન્સ કરતા નજરે પડે છે, જેને ઘણા લોકોએ અશ્લીલ ડાન્સ અને શબ્દો ગણાવ્યા છે. વીડિયો અને લોકોની પ્રતિક્રિયા ગીત 15 ડિસેમ્બરે યૂટ્યૂબ પર અપલોડ થયું હતું, અને 18 ડિસેમ્બરની બપોર સુધીમાં 3 મિલિયનથી વધુ વ્યૂઝ નોંધાયા. છતાં, કોમેન્ટ સેક્શનમાં મોટાભાગના યુઝર્સે ગીતને લઈને કડક નિંદા વ્યક્ત કરી છે. યુઝર્સનું માનવું છે કે ગીતના લિરિક્સ, મ્યુઝિક અને ડાન્સ સ્ટેપ્સ બધું જ વલ્ગર છે. એક યુઝરે ટિપ્પણી કરી, “ઈતના ઉપર ભી નહીં ઉડના ચાહિયે કિ નીચે ગિરને પર કંકાલ ભી ના મિલે” જે દર્શાવે છે કે લોકો આ ગીતને તેમના પૂર્વના ભાવનાત્મક…

“કલાકારો, કોમેડી અને આતશબાજી સુધી… કાંકરિયા કાર્નિવલ તૈયાર!” કાર્નિવલમાં જાણો શું હશે ખાસ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે નવા વર્ષની શરૂઆત પહેલા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરે છે. આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ યોજાશે. શહેરવાસીઓ અને મુલાકાતીઓ માટે આ કાર્નિવલ મફતમાં ખુલ્લો રહેશે, જેમાં મનોરંજન, સંસ્કૃતિ અને સર્જનાત્મકતા ભરપૂર કાર્યક્રમો જોવા મળશે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે કાંકરિયા કાર્નિવલની શરૂઆત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે 25 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે. કાર્નિવલ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો કિર્તીદાન ગઢવી, સંકેત ખાંડેકર, પાર્થ ઓઝા અને ગીતાબેન રબારી સંગીત કાર્યક્રમો રજૂ કરશે. 29 ડિસેમ્બરે સ્ટેન્ડઅપ કોમેડી શો માટે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દીપ વૈદ અને ચિરાયુ મિસ્ત્રી હાજર રહેશે. 30 ડિસેમ્બરે ગિરિરાજ ગઢવી સાંસ્કૃતિક…

સ્મૃતિ મંધાનાએ ઇન્સ્ટાગ્રામ પરથી સગાઈના ફોટા અને વીડિયો હટાવ્યા, ચાહકો ચિંતામાં ; જાણો શું છે મામલો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન અને સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલ 23 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવાના હતા. તેમના લગ્ન પહેલાના સમારોહ પૂરજોશમાં ચાલી રહ્યા હતા ત્યારે સંગીત રાત્રિ દરમિયાન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હૃદયરોગનો હુમલો આવ્યો, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા. પલાશની બહેન અને ગાયિકા પલક મુચ્છલે તાજેતરમાં જ લગ્ન મુલતવી રાખવાનું કારણ સમજાવતી એક પોસ્ટ શેર કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તેના પિતાની ખરાબ તબિયતને કારણે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. જોકે, સ્મૃતિ મંધાનાએ હવે એક એવું પગલું ભર્યું છે જેનાથી અટકળો શરૂ થઈ છે કે મુલતવી રાખવા પાછળ અન્ય કારણો હોઈ શકે છે. સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પરથી પોતાની અને પલાશની સગાઈ અને પ્રપોઝલના ફોટા અને વીડિયો…

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, હિન્દી સિનેમાના એક યુગનો અંત

બોલીવુડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે.   આ સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.  અમિતાભ બચ્ચન સહીત અભિનેતાઓ વિલે પાર્લે સ્મશાન પહોંચ્યા છે. થોડા દિવસ પહેલા ધર્મેન્દ્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સેલેબ્સ તેમના સ્વાસ્થ્ય અંગે ખૂબ ચિંતિત થઈ ગયા. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને અભિનેતા ગોવિંદાએ તેમના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં “શોલે”, “ચુપકે ચુપકે”, “સીતા ઔર ગીતા” અને “ધરમ વીર” જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. ધર્મેન્દ્ર તાજેતરમાં “રોકી ઔર રાની કી પ્રેમ કહાની”…

98 વર્ષની ઉમરે બોલીવુડની લેજેન્ડરી અભિનેત્રી કામિની કૌશલનું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

બોલિવુડ માટે છેલ્લા કેટલાક સમયથી દુઃખદ સમાચાર સતત સાંભળવા મળી રહ્યા છે. હવે હિન્દી સિનેમાની જાણીતી અને વરિષ્ઠ અભિનેત્રી કામિની કૌશલના અવસાનના સમાચાર સામે આવ્યા છે. 98 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના અવસાનથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે અવસાન મળતી માહિતી મુજબ કામિની કૌશલ છેલ્લા ઘણા સમયથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી હતી. સારવાર દરમિયાન જ તેઓએ દુનિયાને અલવિદા કહી દીધી. તેમના જતા તેઓના ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ઊંડા શોકમાં છે. બાળપણથી જ પ્રતિભા સાથે જોડાયેલી સફર 1927ના 24 જાન્યુઆરીએ લાહોરમાં જન્મેલી કામિની કૌશલનું સાચું નામ ઉમા કશ્યપ હતું. બાળપણથી જ તેઓ પ્રતિભાશાળી હતાં. તેમણે પપેટ થિયેટર બનાવીને કામ કર્યું અને ઓલ ઈન્ડિયા રેડિયો માટે…

‘હી-મેન’ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, ‘બીગ બી’ અમિતાભ બચ્ચનએ પૂછ્યા સમાચાર

બોલીવુડના ‘હી-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને 11 દિવસ બાદ આખરે હોસ્પિટલમાંથી રજા મળી છે. 1 નવેમ્બરથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધર્મેન્દ્ર આજે, બુધવારે સવારે ઘરે પરત ફર્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની સલાહ મુજબ તેઓની સારવાર હવે ઘરે જ ચાલુ રહેશે. હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે તેમની તબિયતમાં ઘણો સુધારો થયો છે અને તેઓ આરામની અવસ્થામાં છે. બોલીવુડના દિગ્ગજો પહોંચ્યા ખબર પૂછવા ધર્મેન્દ્રના ડિસ્ચાર્જ બાદ ફિલ્મ જગતના અનેક દિગ્ગજ કલાકારો તેમને મળવા અને તેમની તબિયત અંગે પૂછપરછ કરવા તેમના જુહુ સ્થિત નિવાસસ્થાન પર પહોંચ્યા. – અમિતાભ બચ્ચન: ‘શોલે’ ફિલ્મના સહ-અભિનેતા અને નજીકના મિત્ર…

હેમા માલિનીએ ધર્મેન્દ્રની હેલ્થ અપડેટ આપી: કહ્યું, ‘પ્રાર્થના કરો…’

ફેમસ એક્ટર ધર્મેન્દ્ર હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મેડિકલ ઓબ્જર્વેશન હેઠળ છે. તેમના હેલ્થ વિશે એક્ટ્રેસ અને પત્ની હેમા માલિનીએ ફેન્સને અપડેટ આપી છે. 10 નવેમ્બરના રોજ હેમાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સના પ્રાર્થના અને ચિંતાઓ બદલ આભાર વ્યક્ત કર્યો અને પુષ્ટિ આપી કે 89 વર્ષના “હી-મેન” હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. હેમા માલિનીએ ધર્મેન્દ્રના મૃત્યુની ચર્ચાઓને નકારી કાઢતા જણાવ્યું કે, એક્ટરને ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. હેમાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ, જેના પર ફેન્સ અને સેલિબ્રિટીઓએ ખુશી વ્યક્ત કરી. ધર્મેન્દ્રની તબિયત હેમા માલિનીએ લખ્યું: “હું ધર્મજી પ્રત્યેની ચિંતાઓ બદલ બધાનો આભાર માનું છું. તેઓ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે, અને તેમની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.…

યામી ગૌતમની ફિલ્મ ‘હક’ને રાહત : હાઈકોર્ટએ શાહબાનોની પુત્રીની અરજી ફગાવી, હવે રિલીઝનો રસ્તો સાફ

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ઈમરાન હાશ્મી અભિનીત ફિલ્મ ‘હક’ હવે તેની નિર્ધારિત તારીખે 7 નવેમ્બર રિલીઝ થવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે શાહબાનો કેસ પરથી પ્રેરિત આ ફિલ્મને રોકવાની અરજીને ફગાવી દીધી છે, જેના કારણે ફિલ્મ પરનો કાનૂની ખતરો ટળી ગયો છે. અરજીકર્તા સિદ્દિકા બેગમ ખાન, જે પ્રખ્યાત શાહબાનો કેસની પુત્રી છે, તેમણે ઈન્દોર હાઈકોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હતો કે આ ફિલ્મ તેમની માતાની કથા પરથી પ્રેરિત છે અને નિર્માતાઓએ પરિવારની પરવાનગી લીધા વિના ફિલ્મ બનાવી છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે ફિલ્મમાં શરિયા કાયદાનું ખોટું પ્રતિનિધિત્વ કરાયું છે, જે મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. તેમ છતાં, હાઈકોર્ટએ અરજી ફગાવતા નોંધ્યું કે ફિલ્મના ડિસ્ક્લેમર મુજબ ‘હક’ એક કાલ્પનિક કૃતિ…

બોલિવૂડ ગાયિકા સુલક્ષણા પંડિતનું અવસાન: સંગીત જગતમાં દુઃખની લહેર

બોલિવૂડ ફરી એકવાર દુઃખદ સમાચાર લાવી રહ્યું છે. જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિત હવે આપણામાં નથી. તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં 71 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો, અને લાંબા સમયથી આરોગ્યના સમસ્યાઓનો સામનો કરી રહી હતી. તેમના નિધનના સમાચાર મળતાં જ ચાહકો અને સંગીત પ્રેમીઓ સોશિયલ મીડિયાની માધ્યમથી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુંદર સંગીત યાત્રા સુલક્ષણા પંડિતનો જન્મ 1954માં મુંબઈમાં એક પ્રતિષ્ઠિત સંગીત પરિવારમાં થયો હતો. તેમણે માત્ર 9 વર્ષની ઉંમરે સંગીત યાત્રા શરૂ કરી. 1967માં પ્લેબેક સિંગિંગ શરૂ કરીને, તેમણે 1975ની ફિલ્મ સંકલ્પના લોકપ્રિય ગીત “તુ હી સાગર હૈ તુ હી કિનારા” થી પોતાના અવાજનો વિશ્વમાં પ્રચાર કર્યો. આ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો. પરિવાર અને જસરાજ સાથે સંબંધ સુલક્ષણા પંડિત જસરાજ…