કાળી ગરદન માટે ઘરેલું ઉપાય: કાળી ગરદન સાફ નથી થઈ રહી? એલોવેરા, લીંબુ અને હળદરનો ઉપયોગ કરો

કાળી ગરદન ગંદકી, તડકા અને પરસેવાના કારણે થાય છે. આપણે આપણા ચહેરાનું ધ્યાન રાખીએ છીએ પણ ગરદન સાફ કરવા પર ધ્યાન આપતા નથી, જેના કારણે ગંદકી જમા થાય છે અને ગરદનની ત્વચા કાળી દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, એલોવેરા, લીંબુ અને હળદર ત્રણ એવા કુદરતી ઘટકો છે, જે ત્વચાને સાફ કરવામાં અને તેને સુધારવામાં મદદ કરે છે. ચાલો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીએ. એલોવેરા અને લીંબુનો પેક બનાવો અને તેને લગાવો 1 ચમચી એલોવેરા જેલ૧ ચમચી લીંબુનો રસએલોવેરા જેલ અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો.આ મિશ્રણને કાળા ગરદન પર લગાવો અને હળવા હાથે માલિશ કરો.તેને ૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ધોઈ લો.અઠવાડિયામાં ૩-૪ વાર આ ઉપાય કરવાથી તમને થોડા…

લીલા મરચાના ફાયદા: શું તમે લીલા મરચાં ખાવાનુ ટાળો છો? તમારા આહારમાં તેનો સમાવેશ કરવાના ચમત્કારિક ફાયદાઓ જાણો

લીલા મરચા ફક્ત આપણા ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો અનેક રોગોથી બચાવે છે અને શરીરને મજબૂત અને ઉર્જાવાન પણ રાખે છે. જો તમે પણ તમારા આહારમાં લીલા મરચાંનો સમાવેશ કરો છો, તો તમારા શરીરને તેના ચમત્કારિક ફાયદા ચોક્કસપણે મળશે. ચાલો જાણીએ લીલા મરચા ખાવાના અદ્ભુત ફાયદા. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ :- લીલા મરચામાં વિટામિન સી અને બીટા-કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. લીલા મરચાં તમારા શરીરને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે. પાચનતંત્ર સ્વસ્થ રાખો :- લીલા મરચાં પાચનમાં સુધારો કરે છે અને અપચો, કબજિયાત અને ગેસ જેવી પેટની સમસ્યાઓમાં રાહત આપે છે. તેમાં રહેલું…

તમારા રાત્રિભોજનમાં પ્રોટીનથી ભરપૂર મગની દાળનો સમાવેશ કરવાની આ ખૂબ જ સરળ રીતો છે, તેનો સ્વાદ પણ અદ્ભુત છે.

લોકો ઘણીવાર મગની દાળને દાળની જેમ રાંધીને ખાય છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને પચવામાં પણ સરળ હોય છે. તે પ્રોટીન, ફાઇબર, આયર્ન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. ખાસ કરીને રાત્રિભોજનમાં તેનો સમાવેશ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે સરળતાથી પચી જાય છે અને શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. જો તમે તેને તમારા રાત્રિભોજનમાં સ્વસ્થ અને સ્વાદિષ્ટ રીતે સામેલ કરવા માંગતા હો, તો અહીં મગની દાળમાંથી બનાવેલા કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો છે. અમને તેમના વિશે જણાવો. આ પણ વાંચો :- Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન -> મગ દાળની વાનગીઓ :- મૂંગ દાળ ખીચડી- મૂંગ દાળ અને ભાતમાંથી બનેલી ખીચડી પેટ માટે હલકી…

Gondal : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની મબલખ આવક, સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની મબલખ આવક નોંધાઈ છે. જેમાં અંદાજે 80 હજારથી વધુ બોરી મરચાની આવક નોંધાઈ છે.હરાજીમાં 20 કિલોના 1000 થી 2500 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. યાર્ડ બહાર 2,000 થી 2,500 વાહનોની લાંબી કતાર પણ જોવા મળી છે. આ પણ વાંચો :- Gandhinagar : ભાજપના જિલ્લા પ્રમુખોનાં નામ જાહેર, જાણો ક્યાં કોની કરાઈ વરણી મરચાની મબલખ આવકથી ગ્રાઉન્ડમાં જગ્યા ટૂંકી પડી છે જેને લઈ અન્ય જગ્યા ભાડે રાખી મરચા ઉતારવાની વ્યવસ્થા કરાઇ છે.સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડમાં આવતા હોય છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં જેતપુર કોટડા સાંગાણી ગોંડલ રાજકોટ અને જામકંડોરણા તાલુકાના તેમજ જૂનાગઢ અને જામનગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મરચા વેચવા માટે આવતા હોય છે.…

Gandhinagar : ભાજપના જિલ્લા પ્રમુખોનાં નામ જાહેર, જાણો ક્યાં કોની કરાઈ વરણી

જૂનાગઢમાં નવા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત થઈ છે. ભાજપે પાલિકા પ્રમુખ અને ઉપ્રપ્રમુખને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધર્યા બાદ ઉમેદવારોની નામોની જાહેરાતનો દોર શરૂ કર્યો છે. જાણો કયા વિસ્તારમાં કોને રીપીટ કરાયો તો કયાં નવા ઉમેદવારને કમાન સોંપવામાં આવી છે. જૂનાગઢ :- જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરાઈ. જૂનાગઢને નવા જીલ્લા ભાજપ પ્રમુખ મળ્યા. ચંદુ મકવાણાને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા. ચંદુભાઈ મકવાણા જીલ્લા ભાજપ મહામંત્રી હતા. પ્રમુખ તરીકેની પાર્ટીએ જવાબદારી સોંપી. પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાએ નામની જાહેરાત કરી છે. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે સુરત :- સુરત જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરતા પ્રમુખ તરીકે ભરત રાઠોડની વરણી કરાઈ છે. કાર્યકરોને નવનિયુક્ત પ્રમુખને…

Surat : સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, યુવાને કંટાળીને ઝેર ગટગટાવ્યું

સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતાં. 9 લાખ સામે 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ અને એક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે મળતી માહિતી મુજબ, યુવકે 7%ના વ્યાજ દરે 10 લાખ લીધા હતા. સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા ચાર વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 54 લાખ ઉધાર લીધા.…

Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન

હળવદમાં ચારણબાઈ પર સ્વામીએ બફાટ કર્યાનું સામે આવ્યું છે. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રાદાયના જ્ઞાનપ્રસાદ સ્વામીએ જલારામ બાપા પર ટિપ્પણી કરી હતી. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે હળવદમાં સ્વામીના બફાટનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સ્વામીના બફાટનો વિડિયો બે દિવસ પહેલાનો જ હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી રણમલપુર ગામે ચાલતી ભક્ત ચિંતામણી કથા પારાયણમાં હરિકૃષ્ણ ધામના સ્વામી ભક્તિ હરી સ્વામીએ ચારણબાઇ પર બફાટ કર્યો હતો. જેના કારણે આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્વામી અન્ય કોઇ વ્યક્તિને થયેલ રોગ વિશે વાત કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિને રોગ થતા તેમના સસરાએ ચારણબાઇ પાસેથી મંત્ર લખેલો…

Banaskantha : બનાસકાંઠામાં આલવાડા ગામે હડકાયા શ્વાનનો આતંક, દસ લોકોને ભર્યા બચકા

બનાસકાંઠાના ધાનેરાના આલવાડા ગામે એક સાથે શ્વાને દસ લોકોને બચકા ભર્યા છે. આલવાડા ગામે હડકાયા શ્વાનનો આતંક વધ્યો છે. શ્વાને દસ લોકોને બચકા ભરતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ધાનેરાના આલવાડા ગામે શ્વાનના આતંકથી સૌ કોઈ કંટાળી ગયા છે. તો ગ્રામજનોનો આક્ષેપ છે કે, તંત્રને રખડતા શ્વાનને લઈ વારંવાર રજૂઆત કરી તેમ છત્તા કોઈ ધ્યાન આપવા તૈયાર નથી. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે મળતી માહિતી મુજબ, જે લોકોને બચકા ભર્યા છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે,લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યાં છે. તો શ્વાને પશુ અને લોકો પર હુમલો અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. હડકાયા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.…

‘મેં માથું પકડી રાખ્યું…’ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચતાં વસીમ અકરમે આપી પ્રતિક્રિયા, નિવેદને હંગામો મચાવ્યો

બીજી સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવી ફાઇનલમાં (ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ) જગ્યા બનાવી લીધી. હવે 9 માર્ચે ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે દુબઈમાં ફાઈનલ મેચ રમશે. તમને જણાવી દઈએ કે બીજી સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 6 વિકેટે 362 રન બનાવવામાં સફળ રહી હતી. જે બાદ સાઉથ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 312 રન બનાવી શકી હતી. વસીમે કહ્યું કે, આ મેચમાં ન્યૂઝીલેન્ડે સમગ્ર મેચ દરમિયાન સાઉથ આફ્રિકાની ટીમ પર દબાણ જાળવી રાખ્યું હતું, ન્યૂઝીલેન્ડ ટીમના ખેલાડીઓ સમગ્ર મેચ દરમિયાન સકારાત્મક ઉર્જા સાથે રમ્યા હતા અને સમગ્ર મેચ દરમિયાન પોતાની તાકાતથી વિરોધી ટીમ પર દબાણ બનાવવામાં સફળ રહ્યા હતા. કિવી બેટ્સમેનોએ શાનદાર બેટિંગ અને બોલિંગ કરી, ન્યૂઝીલેન્ડ દરેક વિભાગમાં દક્ષિણ આફ્રિકા…

‘તે જોકર છે’, જેસન ગિલેસ્પીએ આકિબ જાવેદ પર લગાવ્યો મોટો આરોપ, પાકિસ્તાની ક્રિકેટમાં હલચલ મચી ગઈ.

એક તરફ પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી અને સેમીફાઈનલમાં પણ નથી પહોંચી શકી તો બીજી તરફ પૂર્વ કોચ જેસન ગિલેસ્પીએ પાકિસ્તાનના વચગાળાના કોચ આકિબ જાવેદ પર મોટો આરોપ લગાવ્યો છે. જેસન ગિલેસ્પીએ આકિબ જાવેદ પર ગેરી કર્સ્ટન અને મને પાકિસ્તાન ટીમમાંથી અલગ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. આપને જણાવી દઈએ કે, ગિલેસ્પીને એપ્રિલ 2024માં પાકિસ્તાન ટીમ માટે રેડ-બોલ ક્રિકેટના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, આઠ મહિનામાં તેણે પીસીબી સાથે સંબંધ તોડી નાખ્યો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં મોત, રીલ બનાવતી વખતે 3 સગીર કેનાલમાં ડૂબ્યા પાકિસ્તાન ટીમથી અલગ થયાના લગભગ ત્રણ મહિના બાદ ગિલેસ્પીએ સોશિયલ મીડિયા પર આકિબ જાવેદ વિશે કેટલીક એવી વાતો લખી…