શિક્ષણ જગત ફરી શર્મસાર | GUJARATI NEWS BULLETIN

શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના બોટાદ શહેરના શિક્ષણ જગતમાંથી લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી કે.એમ.દોશી પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડતી કરી દિનેશ પ્રસોત્તમ ભુવા પર દસમાં ધોરણની વિદ્યાર્થીની સાથે અડપલાનો આક્ષેપ ઓફિસમાં બોલાવી હાથ પકડ્યો શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ શૈક્ષણિક સંસ્થાઓમાં આંતરિક મોનિટરિંગ નિષ્ફળ ? શિક્ષણ મંદિરમાં જ અસુરક્ષા જવાબદારી કોણ લેશે ? શું બાળકો શાળામાં સુરક્ષિત છે ખરા ? શાળા સંચાલકોની નૈતિક જવાબદારી ક્યાં ગઈ ? બાળક માટે ક્લાસરૂમ ભણતર કે ભય ?   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ગુજરાતનું વિક્રમી બજેટ | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

ગુજરાતનું 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ જાહેર ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી કનુ દેસાઈનો પાંચમો સતત વિક્રમ રૂ. 4.08 લાખ કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર ઓલિમ્પિક રેડી અમદાવાદ, રમતગમત માટે વિશાળ જોગવાઈ વાજબી ભાવ દુકાન સંચાલકોના કમિશનમાં વધારો અન્ન પુરવઠા વિભાગ માટે 2856 કરોડની જોગવાઈ રમતગમત, યુવા, સાંસ્કૃતિક વિભાગ માટે 2006 કરોડ પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 226 કરોડની જોગવાઈ માર્ગ અને મકાન વિભાગ માટે 29,709 કરોડની જોગવાઈ 500 AC બસ સહિત નવી 2463 બસ મૂકવાની જાહેરાત બજેટમાં રાજ્ય સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત કાયદો વ્યવસ્થાને મજબૂત કરવા બજેટમાં સરકારની જાહેરાત બજેટને ધી સંઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ આવકાર્યું મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7690 કરોડનું બજેટ 16 નવી સરકારી કોલેજો શરૂ કરવાની કરાઈ જાહેરાત…

ગુજરાત બજેટ 2026-27 | GUJARAT STATE BUDGET 2026 | GUJARATI NEWS BULETIN

નરેન્દ્ર મોદીએ જનસેવક તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યા ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપ્યાનો ઉલ્લેખ ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ અભિનંદન વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત@2047 તરફ રાજ્ય આગળ GST સુધારાથી સામાન્ય નાગરિકની ખરીદ શક્તિમાં વધારો શ્રમ અધિનિયમ સુધારાથી કામદારોને સામાજિક સુરક્ષા અને રોજગારીમાં વધારો કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને મળ્યાનો ઉલ્લેખ ગુજરાત@2035 રોડમેપ સાથે વિકાસ યાત્રાને વેગ GARC દ્વારા વહીવટી સુધારા માટે 6 અહેવાલ રજૂ ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ નિમિત્તે રૂ.2 લાખ કરોડના વિકાસ કાર્યોની જાહેરાત પીએમ-જનમન હેઠળ ગુજરાત “બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય” તરીકે સન્માનિત 2003થી શરૂ થયેલ વાઇબ્રન્ટ સમિતિથી રાજ્યની આર્થિક પ્રગતિને ગતિ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે અનેક મહત્વપૂર્ણ નીતિઓ જાહેર ગુજરાત સ્પેસટેક, ઇલેક્ટ્રોનિક્સ…

ગુજરાત અંદાજપત્ર 2026-27’ માટે આકર્ષક બજેટ પોથી તૈયાર, જાણો શું છે ખાસ

નાણા‌ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘ગુજરાત અંદાજપત્ર :2026-27 માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય કે જેમની સ્થાપના, પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, આમ કંસરી દેવી prosparity- સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. એમની કૃપાથી સુખ સમૃદ્ધિ મળે છે. આમ કંસરી દેવી આદિવાસીઓ માટે પાયાના દેવી ગણાય છે. વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ અને પાસેના મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં રહે છે.…

રાજકોટ અને જસદણ તાલુકાના કુલ ૧૧૫ ગામના ૩,૪૮,૮૪૨ નાગરિકોને શુદ્ધ પાણી મળી રહ્યું છે: મંત્રીઈશ્વરસિંહ પટેલ

રાજકોટ : વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નર્મદાના પાણી અથવા સ્થાનિક ડેમ આધારિત શુદ્ધ પાણી નાગરિકોને પહોંચાડવામાં આવે છે. તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રાજકોટ અને જસદણ તાલુકાના કુલ 115 ગામના 3,48,842 નાગરિકોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત રૂ. 20,332.28 લાખના નાગરિકલક્ષી કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના પસવી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના વિશે માહિતી આપતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ 12 જૂથ યોજનાઓ…

વડનગર: અનુભવાત્મક જ્ઞાન કેન્દ્ર, ગૌ સંરક્ષણ અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકાસનું આદર્શ મોડલ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર, રાજ્યમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે માળખાગત વિકાસનું સંતુલિત મૉડલ ઊભું કરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે ઐતિહાસિક શહેર વડનગર. લગભગ 2,500 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું વડનગર પુરાતત્વ, સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવંત દ્રષ્ટાંત બન્યું છે. પુરાતત્વ અનુભવાત્મક સંગ્રહાલયનું નિર્માણ હોય કે નિર્માણાધીન દેશની પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌ-શાળા, કે પછી ઐતિહાસિક સ્થળોનું પુનઃસ્થાપન કાર્ય, ગુજરાત સરકારના સતત પ્રયાસોના કારણે વડનગર આજે એક ટકાઉ શહેરી મૉડલ તરીકે વિકસી રહ્યું છે. આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ   વડનગરના 2500 વર્ષ જૂના ગૌરવશાળી ઇતિહાસને સંરક્ષિત કરવા માટે આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમનું ગત વર્ષે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ₹300 કરોડના ખર્ચે બનેલ આ સંગ્રહાલય ભારતનું…

ગંગા સ્વરૂપા આર્થિક સહાય’યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે

રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વધુ વિગતો આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં આશરે 1.47 લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓને આધુનિક બેંકિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં તા. 14 થી…

વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પ સાથે સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ: રાજ્યપાલ

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે ગૌરવસભર પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, નારીશક્તિ, ખેડૂત અને ગરીબોના કલ્યાણ માટે દૃઢ સંકલ્પ સાથે કાર્યરત છે. રાજ્યપાલએ જણાવ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થતાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું આયોજન કરાયું, જે સંસ્કૃતિના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિક છે. જાન્યુઆરી 9 થી 15 દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરક સાન્નિધ્યમાં સંસ્કૃતિની આરાધના કરવામાં આવી હતી. સરદાર વલ્લભ પટેલ તથા ભગવાન…

15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે પૂર્વ સદસ્યોને શ્રદ્ધાંજલિ, સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું

15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે તા. 16 ફેબ્રુઆરી, સોમવારે વિધાન ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભાના પૂર્વ દિવંગત સદસ્યો પૂર્વ મંત્રી સ્વ. મનસુખ છગનલાલ જોષી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીસ્વ. મોહંમદ ગુલામમોહયુદીન સુરતી તથા પૂર્વ સભ્યો સ્વ. ધીરજલાલ ફુલા રીબડીયા, સ્વ. અમરસિંહ રામસિંહ વસાવા, સ્વ. વજુ પરમા ડોડિયા અને સ્વ. બાવનજી હંસરાજમેતલિયાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો ગૃહમાં રજુ થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌ દિવંગત પૂર્વ જનપ્રતિનિધિઓની કર્તવ્યપરાયણતા અને પ્રજાકીય પ્રશ્નો- રજૂઆતોને વાચા આપી તેના નિવારણ માટેની સક્રિયતાની સરાહના કરી હતી. તેમણે દિવંગત પૂર્વ સભ્યશ્રીઓના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને તેમના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર…

કીર્તિ પટેલનો “સ્નાનકાંડ”..! | GUJARAT | GUJARATI NEWS BULETIN

વિવાદાસ્પદ કીર્તિ પટેલનો વધુ એક કાંડ ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં લગાવી ડૂબકી જૂનાગઢના મૃગીકુંડમાં કીર્તિ પટેલની ડૂબકીથી વિવાદ મૃગીકુંડ કોઈ સ્વિમિંગ પૂલ નથી, આસ્થા અને પરંપરાનું કેન્દ્ર સાધુ-સંતોની પરંપરા તોડનાર સામે કાર્યવાહીની માંગ સોશિયલ મીડિયા ફેમ માટે આસ્થા સાથે ખેલ? કીર્તિ પટેલના કાંડથી સાધુ સમાજમાં રોષ મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાન બાદ સાધુ સંતોમાં નારાજગી કીર્તિ પટેલ આવા નાટક નાટક કરતી હોય છે : ડૉ.જ્યોર્તિનાથ કીર્તિ પટેલે સનાતન ધર્મ અને સંતોનું અપમાન કર્યું : ડૉ.જ્યોર્તિનાથ   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in