વેરાવળ ખાતે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા લૉન્ચ થશે

ગાંધીનગર: ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નિયમોને અમલમાં મૂકવા અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રીરાજીવ રંજન સિંહ 20 ફેબ્રુઆરીએ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરશે. આ નવું માળખું માછીમારોને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં માછીમારી માટે સત્તાવાર પરવાનગી (એક્સેસ પાસ) મેળવવાનું સરળ બનાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ પહેલ ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે એક્સેસ પાસની પહેલ પરંપરાગત અને નાના પાયાના માછીમારો, સહકારી મંડળીઓ, સ્વ-સહાય જૂથો અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદક સંગઠનો (FFPO) ને સશક્ત બનાવશે. ઉલ્લેખનીય છે કે, એક્સેસ પાસ ભારતના EEZ માં માછીમારોને માછીમારી માટે કાયદેસર અને પારદર્શક રીતે પરવાનગી આપશે. તે તેમને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં ટુના જેવી ઉચ્ચ-મૂલ્યની પ્રજાતિઓને પકડવામાં મદદ કરશે તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણોનું યોગ્ય ટ્રેકિંગ અને પાલન પણ સુનિશ્ચિત કરશે.

એક્સેસ પાસ પ્રદાન કરવાનો નિર્ણય શા માટે મહત્વપૂર્ણ છે?

ભારત 11,099 કિમીનો દરિયાકિનારો ધરાવે છે અને 24 લાખ ચોરસ કિમીમાં EEZ ધરાવે છે. પુષ્કળ દરિયાઈ સંપત્તિથી સમૃદ્ધ હોવા છતાં મોટાભાગની માછીમારી પ્રવૃત્તિઓ 40-50 નોટિકલ માઇલ સુધી મર્યાદિત રહે છે. EEZ રૂલ્સ, 2025 માં માછીમારીના ટકાઉ ઉપયોગને 4 નવેમ્બર, 2025ના રોજ ટેરિટોરિયલ વોટર્સ, કોન્ટિનેન્ટલ શેલ્ફ, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અને અન્ય મેરીટાઇમ ઝોન્સ એક્ટ, 1976 હેઠળ સૂચિત કરવામાં આવ્યા હતા. આ નિયમો એક મજબૂત કાનૂની અને સંસ્થાકીય માળખું બનાવે છે, જેમનો ઉદ્દેશ EEZ માં માછીમારી પ્રવૃત્તિઓને જવાબદાર અને ટકાઉ રીતે વિસ્તૃત કરવાનો છે.

આ માળખું દેખરેખ, પાલન અને સલામતીમાં સુધારો કરશે, સાથે સાથે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં આવકમાં વધારો કરશે. તે ભારતના સીફૂડ નિકાસને પણ મજબૂત બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે. નાણાકીય વર્ષ 2024-25 માં ₹62,408 કરોડની દેશની સીફૂડ નિકાસ સાથે ભારત વિશ્વના બીજા ક્રમનો સૌથી મોટો મત્સ્યઉદ્યોગ અને જળચરઉછેર ઉત્પાદક દેશ બન્યો હતો.

ગુજરાતમાં વેરાવળ એક મુખ્ય ફિશરીઝ પ્રોસેસિંગ (મત્સ્યઉદ્યોગ પ્રક્રિયા) અને નિકાસ કેન્દ્ર છે અને તેના વ્યૂહાત્મક સ્થાનના કારણે તેને એક્સેસ પાસના લૉન્ચ માટે પસંદ કરવામાં આવ્યું છે. ભારત સરકારનો ઉદ્દેશ દેશભરમાં 34 મત્સ્યઉદ્યોગ ઉત્પાદન અને પ્રોસેસિંગ ક્લસ્ટરોનો વિકાસ કરવાનો છે, જેમાં વેરાવળ સીફૂડ નિકાસ, મૂલ્યવર્ધન અને પ્રોસેસિંગ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ પહેલ સરકારના બ્લુ ઇકોનોમી વિઝન સાથે સુસંગત છે, જે સુનિશ્ચિત કરે છે કે ભારતના સીફૂડ નિકાસના લાભો સીધા માછીમારો અને દરિયાકાંઠાના સમુદાયોને મળે, સાથે સાથે પ્રીમિયમ વૈશ્વિક બજારોમાં પણ પ્રવેશ સુનિશ્ચિત થાય.

1982 ના યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લૉ ઑફ ધ સી (UNCLOS) હેઠળ વ્યાખ્યાયિત કરાયેલ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) એ દેશના દરિયાકાંઠાથી 200 નોટિકલ માઇલ સુધી વિસ્તરેલું દરિયાઈ ક્ષેત્ર છે. આ ઝોનમાં, દેશને દરિયાઈ સંસાધનોનું અન્વેષણ, સંરક્ષણ અને ઉપયોગ કરવાના વિશિષ્ટ અધિકારો મળે છે – જેમાં માછીમારી, ઊર્જા ઉત્પાદન અને ખનિજ નિષ્કર્ષણનો સમાવેશ થાય છે. આશરે 24 લાખ ચોરસ કિમીમાં ફેલાયેલા EEZ સાથે ભારત વિશ્વના સૌથી મોટા દરિયાઈ ક્ષેત્રો ધરાવતા દેશો પૈકીનો એક છે. આ ક્ષેત્ર ટકાઉ માછીમારી વિકાસ, આજીવિકા ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા અને નિકાસ વૃદ્ધિ માટે અપાર તકો પ્રદાન કરે છે.

વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ) માં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા લૉન્ચ થવાથી આ પ્રદેશ મત્સ્યઉદ્યોગ વિકાસ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે, જે દરિયાઈ સંસાધન વૃદ્ધિ અને નિકાસમાં ગુજરાતનું નેતૃત્વ દર્શાવે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Gujaratમાં વરસાદને લઈને મિશ્ર સ્થિતિ: IMDએ 7 દિવસ માટે કોઈ ચેતવણી આપી નથી, Relief Phase

Gujaratમાં વરસાદને લઈને મિશ્ર સ્થિતિ: IMDએ 7 દિવસ માટે કોઈ ચેતવણી આપી નથી, છતાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા અમદાવાદઃGujaratમાં ચોમાસાની સ્થિતિ હાલમાં મિશ્ર જોવા મળી રહી છે. એક તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 2 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવાર સબ-ડિવિઝન વોર્નિંગ બુલેટિનમાં ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી સાત દિવસ દરમિયાન કોઈ ખાસ હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ, IMDના જિલ્લા સ્તરના પૂર્વાનુમાનમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આથી Gujaratમાં હાલની સ્થિતિને સંપૂર્ણપણે સૂકી કે સંપૂર્ણપણે વરસાદી કહી શકાય નહીં. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અથવા ઉકળાટભર્યું હવામાન જોવા મળી શકે છે. -> આગામી…

Gujarat : અદાણી ગ્રીનની મોટી સિદ્ધિ: ખાવડામાં 139 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ થયો ઓપરેશનલ! Milestone Achievement

Gujaratમાં સોલાર એનર્જી પ્રોજેક્ટને ગતિ: Adani Green Energyએ ખાવડામાં 139 MWનો સોલાર પ્રોજેક્ટ કર્યો ઓપરેશનલ Gujaratના રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. Adani Green Energy Limited (AGEL)ની સંપૂર્ણ માલિકીની સ્ટેપ-ડાઉન સહાયક કંપની Adani Green Energy Twenty Six A Limitedએ ગુજરાતના ખાવડા વિસ્તારમાં 139 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્રોજેક્ટ ઓપરેશનલ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ 1 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:05 વાગ્યે આ પ્લાન્ટને કોમર્શિયલી ઓપરેશનલ કરવામાં આવ્યો હતો. આ નવા પ્રોજેક્ટના શરૂ થવાથી Adani Green Energyની કુલ ઓપરેશનલ રિન્યુએબલ એનર્જી જનરેશન ક્ષમતા વધીને 20,280.80 મેગાવોટ થઈ ગઈ છે. સાથે જ કંપની પાસે કુલ 3,551 MWhની ઓપરેશનલ Battery Energy Storage System (BESS) ક્ષમતા પણ છે. -> ખાવડામાં 139 MWનો સોલાર…