હવે ડુંગરાળ વિસ્તારોમાં પણ લહેરાશે મોલ: તાપી જિલ્લામાં રૂ. ૧૬૦૦ કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ. ૧૬૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ તાપીના ઉચ્છલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ તાપીના ૧૩૬ ગામો માટે રૂ. ૯૬૨ કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઇ-લોકાર્પણ કર્યુ : ૨૮ હજાર હેક્ટર જમીન થશે લાભ રૂ. ૬૫૧ કરોડની બોરીસાવર યોજનાનું ઇ-ખાતમુહૂર્તથી સોનગઢ-વ્યારાના ૨૯ ગામોના ૮ હજાર હેક્ટર જમીન સિંચાઈની સુવિધાથી લાભાન્વિત થશે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આદિવાસી વિસ્તારો માટે તાપી જિલ્લાના વિકાસ માટે અંદાજિત રૂ. ૧૬૦૦ કરોડની ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના અને બોરીસાવર યોજનાનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતું. આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા…

મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૩૬૨ કરોડના માર્ગો અને સ્ટ્રકચરના કામોને મંજૂરી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનો રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય —————- વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડતા માર્ગો તેમજ સ્ટ્રકચર નિર્માણ માટે રૂા. ૩૬૨ કરોડના કામોને મંજૂરી આપી :::::::::::::::::: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજી થી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં, ગામડાઓ સુધી પાયાની સુવિધાઓને વધુ સુલભ બનાવવા માટેનો એક મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં આદિજાતિ વિસ્તારોના ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પાકા રસ્તાઓથી જોડવા માટે 325.81 કિ.મી. લંબાઈના કામો તેમજ સ્ટ્રકચર નિર્માણના કામો મળીને ૨૯૩ કામો માટે કુલ ૩૬૨.૫૭કરોડ મંજૂર કર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ સમુદાયોને શિક્ષણ અને…

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત “AI FOR AGRICULTURE” વિષયક પ્રાથમિક સેમિનારમાં પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવું સિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી અજયબ્રમ્હભટ્ટ, KDCC નાં ચેરમેન તેજસપટેલ, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજુપટેલ, પીજ અમૂલના ડિરેક્ટર નિલેશપટેલ, બલોલના ગૌતમ સિંહ ચૌહાણ, વરસોલાના ભગવંત સિંહ પરમાર, માતરના  AI ટેકનોલોજી મંડળીના ચેરમેન જયરામદેસાઈ તેમજ વાઈસ ચેરમેન ચિરાગપટેલ (કણજરી) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ ખેડૂત અને કૃષિ ક્ષેત્રમાં આધુનિક AI ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અને AI ટેકનોલોજી મંડળી શરૂ થવાથી આ…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલું જ નહિં ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે.  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહીને વિવિધ સૂચનો કર્યા હતા. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ હાલની વૈશ્વિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં દેશના રાજ્યોમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ, ખાતર અને અન્ન પુરવઠાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ…

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતકારી નિર્ણય: જમીન વ્યવહારોમાં મળશે મોટી રાહત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને પ્રજાહિતકારી પક્ષોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને જમીન વ્યવહારોને સરળ બનાવવા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. મુખ્યમંત્રીએ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે, જેના પરિણામે જમીનની વારસાઈ વ્યવહાર અને કબજો નોંધણી સરળ બનશે. મુખ્ય મુદ્દા: – સીધી લીટીના વારસો ન હોય તો આડીલીટીના વારસદારોની હિતમાં થયેલી વારસાઈ વ્યવહારો માટે રૂ. 300/- સ્ટેમ્પ ડ્યુટી લાગુ થશે. – પ્રત્યેક તબક્કામાં હકક ઉઠાવવાના લેખ પર રૂ. 300/- ડ્યુટી વસુલ થશે, ચાહે તે સીધી લીટીના વારસો દ્વારા કરવામાં આવે કે આડીલીટીના. – એક સાથે બહુમુખી વારસદારોની નામ દાખલ કરવામાં પણ દરેક હકક માટે રૂ. 300/- સ્ટેમ્પ ડ્યુટી લાગુ થશે. – આ પગલાથી પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનશે,…

માધવપુર ઘેડના લોકમેળામાં રેતી શિલ્પ મહોત્સવ – સંસ્કૃતિ અને કળાનું અનોખું સંગમ

પોરબંદર : માધવપુર ઘેડ મેળો આ વર્ષે એક નવા રંગમાં રંગાઈ ગયો છે. અહીં યોજાયેલો રેતી શિલ્પ મહોત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ બનીને ઊભર્યો છે, જ્યાં કળા, ભક્તિ અને સંસ્કૃતિનું અદભૂત મિલન જોવા મળે છે. આ મહોત્સવમાં કળાકારો દ્વારા રેતીમાંથી બનાવાયેલા જીવંત શિલ્પો દરેક દર્શકને મંત્રમુગ્ધ કરી દે છે. ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના જીવનપ્રસંગોને અત્યંત સુક્ષ્મતા અને કલાત્મકતા સાથે રજૂ કરવામાં આવ્યા છે. તેમના પ્રાગટ્યથી લઈને વિવાહ સુધીની ગાથા રેતીના શિલ્પોમાં એટલી સુંદર રીતે કંડારવામાં આવી છે કે તે દર્શકોને પૌરાણિક સમયમાં લઈ જાય છે. આ રેતી શિલ્પોમાં માત્ર ધાર્મિક ભાવના જ નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ છલકાય છે. કેન્દ્ર સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારત અને વોકલ ફોર લોકલ જેવા અભિયાનોની ઝલક આ કળામાં…

રાજ્યમાં ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી વધારવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-32 અંતર્ગત ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત એક વર્ષ વધારવાનો સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 મુજબ કલમ 32 જી અંતર્ગત ખેડૂતો/ગણોતીયાઓ માટે મામલતદાર અને કૃષિ પંચ દ્વારા ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે અને આ કિંમત કાયદા મુજબની સમય મર્યાદામાં ભરપાઈ કરવાની હોય છે. ગણોતીયાઓ દ્વારા અજ્ઞાનતાના કારણે ખરીદ કિંમત ભરપાઈ ન કરી હોવાના કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે. આવી ખરીદ કિંમત ન ભરવાના કિસ્સામાં તેમને કાયદેસરના માલિક ગણી શકાતા નથી. આના પરિણામે ખેડૂતો દ્વારા ખેતીની જમીન વેચાણ, બિન ખેતીના પ્રસંગોએ જે મુશ્કેલીઓ પડે છે તે નિવારવા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વખતો વખત આવી ખરીદ કિંમત ભરપાઈ કરવાની…

B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેડૂત દેશની આર્થિક રીડ છે-ક્રિભકોના ડાયરેક્ટર બિપીન પટેલે

B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 :કૃષિ ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર ખેડૂતોને સન્માનિત કરવા માટે યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજકોમાસોલના વાઇસ ચેરમેન તથા ક્રિભકોના (Krishak Bharati Cooperative Limited) ડાયરેક્ટર બિપીન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનથી સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જે ભારતની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ શુભ પ્રસંગે  B INDIAની ટીમનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જેમણે આ આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમારોહમાં ઉપસ્થિત ખેડૂતોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. દરેક ખેડૂતએ પોતાની ખુશી વ્યક્ત કરી અને આ પ્રકારના સન્માનથી પ્રેરણા મળતી હોવાનું જણાવ્યું. આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો નહોતો, પરંતુ કૃષિ ક્ષેત્રે ખેડૂતોએ કરેલી મહેનત,…

B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’નું સફળ આયોજન, ખેડૂતોના પરિશ્રમને સલામ

રાજ્યના વિવિધ ખેડૂતોને અપાયું વિશિષ્ટ સન્માન ખેડૂતોને ટ્રોફી અને સર્ટિફીકેટ આપીને સન્માનિત કરાયા ઇફ્કો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંધાણી ઉપસ્થિત ગુજકોમાસોલના વાઇસ ચેરમેન & ક્રિભકોના ડાયરેક્ટર બિપીન પટેલ ઉપસ્થિત રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઇ જેબલીયા ઉપસ્થિત ઉપસ્થિત તમામ ખેડૂતોએ B INDIAની ટીમનો માન્યો આભાર દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત તમામ ખેડૂતોએ પોતાની ખુશી જાહેર કરી કૃષિ ક્ષેત્રે યોગદાન આપનાર ખેડૂતોની મહેનતને સન્માન WATCH Youtube video     Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

માધવપુર ઘેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો ધમાકો, 650થી વધુ ખેલાડીઓ તૈયાર

પોરબંદર: ભગવાન કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા. 27-03-2026 થી તા. 30-03-2026 દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650 થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી રહ્યા છે. આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળીયેલ ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા…