

રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવીને દારા સિંહે જે છાપ છોડી, તે આજે પણ લોકોના દિલમાં જીવંત છે. તેમની દેહરચના અને વ્યક્તિત્વ આ ભૂમિકા માટે સંપૂર્ણપણે યોગ્ય હતું.
દારા સિંહએ 1987ની રામાયણમાં હનુમાનનો રોલ ભજવીને અવિસ્મરણીય છાપ છોડી હતી. લોકો તેમને સાચા હનુમાન માનીને પૂજા કરતા
12 જુલાઈ 2012 ના રોજ તેમનું અવસાન થયું ,તેઓ આજે આપણી વચ્ચે નથી, પણ તેમની ભૂમિકા આજે પણ જીવંત છે. આજે પણ તેમને “અસલી હનુમાન” તરીકે યાદ કરવામાં આવે છે.

![]()
![]()

વિંદુ દારા સિંહે પોતાના પિતાના પગલે ચાલીને જય વીર હનુમાનમાં હનુમાનનું પાત્ર ભજવ્યું.
ભલે પછી તેમણે રિયાલિટી શો અને ફિલ્મોમાં કામ કર્યું હોય, પરંતુ તેમની ઓળખ આજે પણ આ પૌરાણિક પાત્ર સાથે જોડાયેલી છે.


સિયા કે રામમાં હનુમાન બનીને દાનિશ અખ્તર સૈફીએ ખુબ જ લોકપ્રિયતા મેળવી.
ખાસ વાત એ છે કે તેઓ પહેલા રેસલર હતા અને પછી અભિનેતા બન્યા. આજે પણ તેઓ અનેક ટીવી શોમાં વારંવાર હનુમાનનું પાત્ર ભજવી ચૂક્યા છે.

ફિલ્મ આદિપુરુષમાં દેવદત્તા નાગેએ હનુમાનનું પાત્ર ભજવ્યું હતું.
ભલે ફિલ્મને ટીકા મળી હોય, પરંતુ તેમના અભિનયને ખુબ પ્રશંસા મળી હતી.

કહત હનુમાન જય શ્રી રામમાં બાળ હનુમાનનું પાત્ર ભજવનારા એકાગ્ર દ્વિવેદીને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો.
તેમની નિર્દોષતા અને અભિનયે તેમને ઘરઘરમાં લોકપ્રિય બનાવી દીધા.
આજના સમયમાં પણ ટીવી અને ફિલ્મોમાં હનુમાનના પાત્રને નવા અંદાજમાં રજૂ કરવામાં આવી રહ્યું છે—ચાહે તે વીર હનુમાન જેવા શો હોય કે આવનારા મોટા પ્રોજેક્ટ્સ.
હનુમાન જયંતિ માત્ર એક તહેવાર નથી, પરંતુ તે કલાકારોને યાદ કરવાનો અવસર પણ છે, જેમણે આ દિવ્ય પાત્રને જીવંત બનાવ્યું.
આ તમામ કલાકારોએ માત્ર અભિનય જ નથી કર્યો, પરંતુ આસ્થા ને પડદા પર ઉતારી છે. Dara Singh જેવા દિગ્ગજ આજે ભલે આપણા વચ્ચે નથી, પરંતુ તેમનો “હનુમાન” હંમેશા અમર રહેશે.
ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે 6 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જેવી કે એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. સરકારનું માનવું છે કે બજારમાં ભેળસેળયુક્ત અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા ઉત્પાદનો સામે કડક કાર્યવાહી જરૂરી બની ગઈ હતી. હવે આ પ્રતિબંધના અમલ બાદ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ તેમજ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. છેલ્લા કેટલાક સમયથી ડેરી પ્રોડક્ટ્સના નામે બજારમાં એવા ઉત્પાદનો…
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાતા જળાશયોમાં પાણીની આવક વધી છે અને હાલમાં 27 ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યા છે. જોકે રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હજુ પણ આશરે 22 ટકા જેટલી સંગ્રહ ક્ષમતા ખાલી છે. આગામી પાંચ દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગની આગાહી અનુસાર 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીના…

