અમદાવાદમાં વરસાદનો કહેર: અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ, વાહનચાલકો પરેશાન

અમદાવાદમાં વરસાદથી ટ્રાફિક જામ – કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર?   અમદાવાદ: શહેરમાં પડેલા વરસાદ બાદ અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અચાનક વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાવું પડ્યું. ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસ.જી. હાઈવે, ઇસ્કોન ચાર રસ્તા, પ્રહલાદનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, થલતેજ અને વેજલપુર જેવા વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળી હતી. કેટલીક જગ્યાએ રોડ પર પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી અને ટ્રાફિક પોલીસને વ્યવસ્થા જાળવવા માટે વધારાની કામગીરી કરવી પડી હતી. પૂર્વ અમદાવાદમાં નિકોલ, નરોડા, ઓઢવ, બાપુનગર અને ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ બાદ ટ્રાફિક ધીમો પડ્યો હતો. અનેક આંતરિક…

ચીને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ICBM મિસાઇલનું પરીક્ષણ કર્યું, ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સહિત અનેક દેશોએ નોંધાવ્યો વિરોધ

ચીને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પરમાણુ હથિયાર વહન કરવાની ક્ષમતા ધરાવતી ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પરીક્ષણ કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે. અહેવાલો મુજબ ચીને પરમાણુ સંચાલિત સબમરીનમાંથી મિસાઇલ લોન્ચ કરી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ 72 કલાક અગાઉ આપવાની જરૂરી પૂર્વ સૂચના આપવામાં આવી નહોતી. આ ઘટનાને લઈને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ફીજી સહિતના દેશોએ કડક વાંધો નોંધાવ્યો છે. પૂર્વ સૂચના વગર થયું મિસાઇલ પરીક્ષણ ચીનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સોમવારે બપોરે મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ તેમાં એક ડમી વોરહેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે પરીક્ષણ પહેલાં સંબંધિત દેશોને સમયસર જાણ ન કરાતા સુરક્ષા સંબંધિત ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ન્યૂઝીલેન્ડે વ્યક્ત કરી ગંભીર ચિંતા ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમને પરીક્ષણ અંગે…

નાટો સમિટ પહેલાં યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 68 મિસાઇલ અને 351 ડ્રોનથી કર્યો હુમલો

નાટો સમિટ પહેલા રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલાઓમાંથી એક કર્યો હોવાનું સામે આવ્યું છે. રશિયાએ યુક્રેન પર 68 મિસાઇલ અને 351 ડ્રોન દ્વારા હુમલો કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ હુમલા બાદ સમગ્ર વિશ્વની નજર હવે આવનારી નાટો સમિટ અને તેના નિર્ણયો પર કેન્દ્રિત થઈ છે. રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવાયા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ જણાવ્યું કે હુમલામાં અનેક રહેણાંક વિસ્તારોને પણ નુકસાન પહોંચ્યું છે. હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હોવાનું અને 60થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. અનેક સ્થળોએ ઇમારતો ધરાશાયી થતાં બચાવ ટીમો કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધી રહી છે. ઝેલેન્સકીએ હુમલા પહેલા જ ચેતવણી આપી હતી કે રશિયા ટૂંક સમયમાં મોટા પાયે હુમલો કરી શકે…

રાશિફળ/07 જુલાઈ 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે. તમારે તમરી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દૃઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો. નાણાકીય પક્ષ મજબૂત થવા ની પુરી શક્યતા છે.જો તમે કોઈ વ્યક્તિ ને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવા ની પુરી શક્યતા છે. જ્ઞાન માટેની…

અંક જ્યોતિષ/07 જુલાઈ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ /07 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી સપ્તમી (સાતમ) 01:27 PM નક્ષત્ર ઉત્તરભાદ્રપદ 04:25 PM કરણ : ભાવ 01:27 PM બાલવ 01:27 PM પક્ષ કૃષ્ણ યોગ શોભન 02:30 PM દિવસ મંગળવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:28 AM ચંદ્રોદય 11:47 PM ચંદ્ર રાશિ મીન સૂર્યાસ્ત 07:22 PM ચંદ્રાસ્ત 11:58 AM ઋતું વર્ષા હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન અવધિ…

રામ મંદિર ટ્રસ્ટમાં મોટો નિર્ણય: ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારાયા, કૃષ્ણ મોહન નવા મહાસચિવ બન્યા

અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠકમાં દાનચોરીના મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સર્વાનુમતે સ્વીકારી લેવામાં આવ્યા છે. આ સાથે જ ભૂતપૂર્વ IFS અધિકારી કૃષ્ણ મોહનની ટ્રસ્ટના નવા મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સ્વામી ગોવિંદ દેવ ગિરીએ વ્યક્ત કર્યું દુઃખ ટ્રસ્ટની બેઠક બાદ ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે દાનચોરીની ઘટના સમગ્ર ટ્રસ્ટ અને સમાજ માટે શરમજનક છે. તેમણે કહ્યું કે પ્રસાદ અને દાન સંબંધિત ગેરરીતિઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેઓ ભાવુક પણ બન્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે ચંપત રાયની જવાબદારીઓ હવે કૃષ્ણ મોહનને સોંપવામાં આવી છે અને ટ્રસ્ટ પારદર્શિતા જાળવવા માટે જરૂરી તમામ પગલાં ભરી રહ્યું…

રામ મંદિરમાં કેટલું આવ્યું દાન અને કેટલો થયો ખર્ચ? શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે જાહેર કર્યો સંપૂર્ણ હિસાબ

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તાજેતરમાં યોજાયેલી બેઠક બાદ મંદિરના દાન અને ખર્ચનો વિગતવાર હિસાબ જાહેર કર્યો છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, મંદિર નિર્માણ માટે મળેલા દાનનો મોટો હિસ્સો નિર્માણ અને અન્ય જરૂરી કામગીરી પાછળ ખર્ચવામાં આવ્યો છે. સાથે જ દાનની ગણતરીમાં સામે આવેલી અનિયમિતતાઓ અંગે રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની પણ માંગ કરવામાં આવી છે. 3,264 કરોડનું દાન, 2,370 કરોડનો નિર્માણમાં ખર્ચ ટ્રસ્ટના નિવેદન અનુસાર, નિધિ સમર્પણ અભિયાન અને કોરપસ દાન દ્વારા કુલ 3,264 કરોડ રૂપિયા એકત્ર થયા હતા. આમાંથી 2,370 કરોડ રૂપિયા મંદિરના નિર્માણ અને અન્ય મૂડી ખર્ચ માટે વાપરવામાં આવ્યા છે. ટ્રસ્ટે જણાવ્યું કે તમામ ખર્ચ અને દાનની વિગતો સમયાંતરે જાહેર કરવામાં આવી છે અને નાણાકીય વ્યવહારો સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવે છે.…

અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પિટલની બેઝમેન્ટ ડ્રેનેજમાં ઝેરી ગેસથી ત્રણ શ્રમિક બેભાન, ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યૂ

અમદાવાદ શહેરની યુ.એન. મહેતા હોસ્પિટલના કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્ક (ડ્રેનેજ ચેમ્બર)ની સફાઈ દરમિયાન ઝેરી ગેસના કારણે ત્રણ શ્રમિકો બેભાન થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમયસર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ત્રણેય શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, સુવેજ ટેન્કની સફાઈ દરમિયાન એક શ્રમિક અચાનક ગૂંગળામણ અનુભવતા બેભાન થઈ ગયો હતો અને ટેન્કમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે અન્ય બે શ્રમિકો નીચે ઉતર્યા હતા, પરંતુ ટેન્કમાં ભરાયેલા ઝેરી ગેસની અસરથી તેઓ પણ બેભાન થઈ ગયા હતા અને અંદર જ ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એક શ્રમિકને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની…

મહારાષ્ટ્રના નાસિકમાં ભારે વરસાદનું સંકટ: વાદળ ફાટવાની આશંકા વચ્ચે આજે સ્કૂલ-કોલેજો બંધ, પ્રશાસન હાઈ એલર્ટ પર

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન સંપૂર્ણ સતર્ક બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ત્ર્યંબકેશ્વર, ઇગતપુરી અને નાસિકના પશ્ચિમ વિસ્તારોમાં અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાવાની આશંકાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને આજે જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ત્ર્યંબકેશ્વર અને સપ્તશૃંગી મંદિર બંધ ભારે વરસાદ અને સંભવિત જોખમને કારણે પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર તેમજ વણી સ્થિત માતા સપ્તશૃંગી મંદિર ભક્તો માટે અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યા છે. ઉપરાંત ત્ર્યંબકેશ્વર, ઇગતપુરી, નાસિક ગ્રામ્ય, પેઠ, ડિંડોરી અને સુરગાણા તાલુકાઓમાં યોજાતા સાપ્તાહિક બજારો પણ રદ કરવામાં આવ્યા છે. ત્ર્યંબકેશ્વરમાં 300 મીમી સુધી વરસાદની આગાહી નાસિકના કલેક્ટર આયુષ પ્રસાદે જણાવ્યું કે અરબ સાગરમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમના કારણે…